Samay Sandesh News
ગુજરાતજામનગર

દિવાળી તહેવાર નિમિત્તે જામનગરવાસીઓને સલામતી અને સાવચેતી રાખવા તંત્રનો અનુરોધ

જામનગર તા.૦૨ નવેમ્બર, દિવાળી પર્વ નિમિત્તે જામનગર જિલ્લામાં કોઈ આકસ્મિક ઘટના/આગના અને અન્ય બનાવ ન બને, લોકોની સલામતી જળવાય તે માટે દિવાળીના તહેવાર દરમિયાન સલામતી અને સાવચેતી રાખવા અંગે તંત્ર દ્વારા વિવિધ સૂચનાઓ પ્રસારિત કરવામાં આવી છે. જેમ કે, લોકો ખુલ્લી જગ્યામાં ફટાકડા ફોડે અને આજુબાજુ કોઈ જ્વલનશીલ અથવા દાહક પદાર્થ નથી તેનુ ઘ્યાન રાખે, હંમેશા લાયસન્સ ધરાવતા વિક્રેતાઓ પાસેથી ફટાકડા ખરીદે. ફટાકડા(ક્રેકર)ના લેબલ પર છાપેલી સૂચનાઓ વાંચવાનું યાદ રાખવું, ખાસ કરીને જો ક્રેકર વાપરવા માટે નવું હોય. ફટાકડાને બંધ કન્ટેનરમાં સ્ટોર કરવા અને તેને આસપાસના કોઈપણ દાહક અથવા જ્વલનશીલ પદાર્થોથી દૂર રાખવા. ફટાકડા સળગાવતી વખતે, સલામત અંતર જાળવવું.

ફટાકડા ફોડતી વખતે, વાળને યોગ્ય રીતે બાંધવા, ખાસ કરીને જો વાળ લાંબા હોય તો, લાંબા અને ઢીલા કપડાં પહેરવાનું ટાળો કારણ કે, તેમાં આગ લાગવાની શક્યતા છે. તેના બદલે ફીટ કોટનના કપડાં પહેરવા જોઇએ. બાળકોને હંમેશા મોટાની દેખરેખ હેઠળ ફટાકડા ફોડાવવા, બાળકોનું વિશેષ ધ્યાન રાખવું. જો ફટાકડાનો અવાજ વધુ હોય, બહેરાશભર્યો હોય, તો નુકસાન ટાળવા માટે કાનમાં કોટન પ્લગ મૂકવું. શ્વસન સંબંધી કોઈપણ પ્રકારની સમસ્યાવાળા લોકોએ ઘરની અંદર જ રહેવું જોઈએ. છતની ટોચ પરથી કોઈપણ જ્વલનશીલ પદાર્થને દૂર કરવાની ખાતરી કરવી. ફટાકડા ફોડતી વખતે પગરખાં ખાસ પહેરવા, હાથમાં ફટાકડા ફોડવા નહીં. સળગતી મીણબત્તીઓ અને દીવાઓની આસપાસ ફટાકડા ખુલ્લા ન છોડો. વીજળીના થાંભલા અને વાયરો પાસે ક્યારેય ફટાકડા ફોડવા નહીં. અડધા બળી ગયેલા ફટાકડાને ક્યારેય ફેંકશો નહીં કે અડકશો નહિ તે જ્વલનશીલ પદાર્થ પર પડી શકે છે અને આગ પ્રગટાવી શકે છે. બહાર સિલ્ક અને સિન્થેટિક ફેબ્રિક ન પહેરવા.

ફટાકડા ફોડવા માટે ઓપન ફાયર (મેચ અથવા લાઇટર)નો ઉપયોગ કરવાનું ટાળો. તેના બદલે, ફટાકડા ફોડવા માટે સ્પાર્કલર, લાંબા ફાયર લાકડું અથવા અગરબત્તીનો ઉપયોગ કરો. કોઈપણ વાહનની અંદર ફટાકડા ફોડવાનો પ્રયાસ ક્યારેય કરશો નહીં. જો ફટાકડા ફૂટવામાં વધુ સમય લાગે તો તેની સાથે છેડછાડ કરવાનું ટાળવું. ફટાકડાથી સુરક્ષિત અંતર જાળવવું, ફટાકડા સેનીટાઇઝરવાળા હાથે ન ફોડવા તેમજ સેનીટાઇઝરની બોટલ દુર રાખવી. એ.પી.એમ.સી. અને કોટન ગોડાઉન વિસ્તાર આજુબાજુ ફટાકડા ફોડવા નહિ. ઇમરજન્સી માટે પાણીની ડોલ હાથમાં રાખો. આગના કિસ્સામાં જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે ફોન નં.૦૨૮૮-૨૫૫૩૪૦૪, જામનગર મહાનગરપાલિકા ફાયર કંટ્રોલ રૂમ નં.૦૨૮૮-૨૬૭૨૨૦૮ અથવા ફાયર બ્રિગેડને ૧૦૧ ૫ર કોલ કરવો. રોગચાળાને કારણે પોતાને અને પોતાની આસપાસની જગ્યાઓને સ્વચ્છ રાખવી જરૂરી છે.

આવા મુશ્કેલ સમયમાં સેનીટાઇઝરએ જીવનનું અભિન્ન ભાગ છે. સેનીટાઇઝર વાયરસને દુર રાખવામાં અને તમારા હાથને સ્વચ્છ અને સુરક્ષિત રાખવામાં મુખ્ય ભુમિકા ભજવે છે. તેથી જો દિવાળીમાં બહાર જાવ, તો સાથે સેનીટાઇઝરની બોટલ લઇ જવાનુ ભૂલશો નહિ. કોવિડ રોગચાળામાં લોકોનો કોઇ ૫ણ મોટો મેળાવડો ટાળવો જોઇએ, માસ્ક અને સેનીટાઇઝર જેવી તમામ જરૂરી સાવચેતીઓ સાથે નાના મેળાવડા આ દિવસોમાં આવશ્યક છે. જો તમામ મિત્રો અને ૫રીવારજનોને ઘરે બોલાવતા હોવ તો અલગ અલગ દિવસોમાં સમાવવાનો પ્રયાસ કરવો જેથી કોઇના સ્વાસ્થ્ય માટે જોખમ ન બને.

જામનગરવાસીઓને આ સૂચનાઓનું પાલન કરવા અને પોતાની તેમજ અન્ય લોકોની સલામતી જાળવવા માટે નિવાસી અધિક કલેકટરશ્રી જામનગરની યાદી દ્વારા અનુરોધ કરવામાં આવે છે

Related posts

ધોરાજી : ધોરાજી માં અનોખા જન્મદિવસ ની ઉજવણી

cradmin

સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ દ્વારા વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ સુશ્રી ડૉ.નીમાબેન આચાર્યનો સન્માન સમારોહ યોજાયો ..

samaysandeshnews

આપણી ખબર: દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના, હવામાન વિભાગની આગાહી,જુઓ મહત્વના સમાચાર

cradmin

Leave a Comment

error: Content is protected !!