Latest News
“ટ્રાફિકને છોડો, મેટ્રોમાં ચડો: આઈપીએલ 2025 દરમિયાન અમદાવાદ મેટ્રોની ૧૫ લાખથી વધુ મુસાફરીનો વિસ્મયકારક કિરિટ” “ફળીયામાં છુપાયેલું ઝેર: કોટડા બાવીસીગામમાં દેશી દારૂના જથ્થા સાથે યુવક ઝડપાયો” “સહજ જીવનના સેનાપતિ: પ્રાકૃતિક ખેતીના ખરા રક્ષકો ‘ગ્રીન કમાન્ડો’ની નિ:શુલ્ક સેવાયાત્રા” “વેસ્ટમાંથી બેસ્ટની યાત્રા: પર્યાવરણની રક્ષા માટે અમદાવાદ મહાનગરપાલિકાની નવીન પહેલો – વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ નિમિત્તે” “સાક્ષીઓ માટે ન્યાયની નવી ઓર: જામનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે ફોર્મલ વિટનેસ ડિપોઝિશન સેન્ટર – ન્યાયીક વ્યવસ્થામાં ક્રાંતિકારી પહેલ” “સંકલ્પથી સિદ્ધિ સુધી: વિકાસશીલ નહીં હવે વિકસિત ભારતનો અમૃતકાળ – સાબરકાંઠા જિલ્લાના ભાજપ કાર્યશાળાની વિશિષ્ટ ઝાંખી”

પાટણ : રાધનપુરની આસ્થા હોસ્પિટલમાં તબીબની ગંભીર બેદરકારી આવી સામે

પાટણ : રાધનપુરની આસ્થા હોસ્પિટલમાં તબીબની ગંભીર બેદરકારી આવી સામે

પાટણ : રાધનપુરની આસ્થા હોસ્પિટલમાં તબીબની ગંભીર બેદરકારી આવી સામે, તબીબ સામે કાયદેસરની કાર્યવાહી કરવા મહિલા દર્દીના પરિવારજનોએ કરી માંગ.

પાટણ : રાધનપુરની આસ્થા હોસ્પિટલમાં તબીબની ગંભીર બેદરકારી આવી સામે
પાટણ : રાધનપુરની આસ્થા હોસ્પિટલમાં તબીબની ગંભીર બેદરકારી આવી સામે

 

પરિવારજનો આસ્થા હોસ્પિટલ સમગ્ર ઘટનાને લઈને ડોક્ટર ને મળવા પહોંચતા ની સાથેજ હાજર સ્ટાફ દ્વારા ગેર વર્તણુક કરી ધક્કામૂકી કરી મારવાની ધમકી આપી… સમગ્ર ઘટના બાબતે પરિવારજનોએ તબીબ અને સ્ટાફ સામે કાર્યવાહી કરવા અને ન્યાયની માંગ કરતા FIR નોંધાવવા પોલીસ મથકે પહોંચ્યા, પોલીસ ફરિયાદ નહીં લેતા હોવાનો પરિવારજનોનો આક્ષેપ.!!!

પાટણ જિલ્લાની રાધનપુર સ્થિત આવેલ આસ્થા હોસ્પિટલ જે અગાઉ પણ વિવાદ ને લઈને ચર્ચામાં રહી છે. ત્યારે ફરીથી વધુ એકવાર ચર્ચા મા જોવા મળી રહી છે. રાધનપુર ભાભર ત્રણ રસ્તા પાસે આવેલ આસ્થા હોસ્પિટલ ના તબીબ ડો. દેવજીભાઈ પટેલ ની ઘોર બેદરકારી અને સ્ટાફની ગેર વર્તણુક હોવાનો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છૅ ત્યારે આ ઘટનાં ને લઈને હાલતો રાધનપુર પંથકમાં ચર્ચા નો વિષય બન્યો છે.

રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામના ઠાકોર ભરતભાઇ ની પત્નિ પાર્વતીબેન સગર્ભા હોય શરૂઆત થી જ છેલ્લા 3 મહિના થી આસ્થા હોસ્પિટલ ના તબીબ ડો. દેવજીભાઈ ના ત્યાં દવા ચાલુ હતી. ત્યારે મહિલા દર્દીને પેટમા અચાનક દુખાવો ચાલુ થતાં ત્યાં આસ્થા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પહોંચ્યા હતા. ત્યારે હોસ્પિટલમાં મહિલા દર્દી ના રિપોર્ટ કરી દવાઓ આપી ઘરે પરત મોકલી દીધા હતા જે બાદ રાત્રે મહિલાને સતત પેટનો દુખાવો ચાલુ રહ્યો હતો ત્યારે બીજા દિવસે વહેલી સવારે મહિલા દર્દીને લઈને પોતાના પરિવારજનો રાધનપુર ની એક ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોંચ્યા હતા. જ્યાં રિપોર્ટ કરાવતા જાણવા મળ્યું હતું કે મહિલાના પેટના અંદરના ભાગે ગાંઠ જેવું કંઈક દેખાય છે અને બાળક પણ તંદુરસ્ત નથી અને મહિલા તેમજ બાળક ની હાલત નાજુક દેખાઈ રહી છે જેથી કરીને પરિવારજનોને પાટણ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા જ્યાં પરિવારજનો પાટણની જુના બસ ડેપો પાસે આવેલ પંછીવાલા હોસ્પિટલ પહોંચી સારવાર કરાવતા અને રિપોર્ટ કરાવતા જાણવા મળ્યું હતું કે બાળકની હાલત નાજુક છે અને બાળક મૃત અવસ્થામાં હોય તાત્કાલિક બાળકને બહાર કાઢવાની તજવીજ લેવી પડશે નહીં તો બાળક મૃત હોય મહિલાને મોટી તકલીફ થાય તેવું જણાવતા પાટણ ની ખાનગી હોસ્પિટલ મા દવા શરૂ કરાવી હતી.

ત્યારે રાધનપુરની આસ્થા હોસ્પિટલ ના ડો. દેવજીભાઈ પટેલ એ આ વાત ને પરિવારજનોને કહ્યા વગર જ નોર્મલ અને સામાન્ય સ્થિત કેવી રિતે કહી તેમજ જયારે મહિલા દર્દી ને લઈને પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા ત્યારે દવા આપી કેમ ઘરે મોકલી દીધા જે સવાલો વચ્ચે જ અત્યારે હાલ તો બાળક પાટણ ની અન્ય હોસ્પિટલમા સારવાર અર્થે પહોંચતા મૃત જાહેર કરાયો હોય ત્યારે આસ્થા હોસ્પિટલ ની આ બેદરકારી ને કારણે જ મારો બાળક મૃત પામેલ છે તેવું સેંધાભાઈ ઠાકોરે જણાવ્યું હતું અને આ તબીબ સામે કડક અને કાયદેસર ની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

રાધનપુર આસ્થા હોસ્પિટલના તબીબ ની બેદરકારી થી બાળ મોતનો મામલો ગરમાયો છૅ તો બીજી તરફ મહિલા દર્દીના પિતા દેવાભાઇએ મીડિયા સમક્ષ જણાવ્યું કે પોલીસે ફરિયાદ લઇ રહી નથી તેવા આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. મહત્વ નું છે કે પરિવારજનો જયારે ગત. તા.13/05/25 ના રોજ ફરીથી આસ્થા હોસ્પિટલ પહોંચી પોતાની વ્યથા કહેવા ગયેલ ત્યારે હોસ્પિટલ ના સ્ટાફ દ્વારા ગેર વર્તણુક કરવામાં આવી હતી અને જવાબ આપવાની જગ્યાએ પરિવારને ધક્કા મૂકી કરી ધમકી આપી બહાર કાઢી મારવાની ધમકી પણ આપી હોવાના આક્ષેપ મહિલા દર્દી નાં સસરા સેંધાભાઇ ઠાકોર કરી રહ્યા છે. એટલુંજ નહીં પરંતુ આ સમગ્ર ઘટના ને પગલે મહિલા દર્દી ના પરિવારજનો ન્યાય માટે રાધનપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા જ્યાં પોલીસએ ફરિયાદ ન લીધી હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છૅ.

આસ્થા હોસ્પિટલ રાધનપુર પહોંચેલા મહિલા દર્દીના પરીજનો સાથે સ્ટાફ દ્વારા ધક્કા મુક્કીથી લઈને ગેર વર્તણૂક અને ધમકી આપી હોવાના આક્ષેપ હોય પરિવાર ન્યાય ની માંગ સાથ પોલીસ મથકે પહોંચે છે. તો પોલીસ મથકે પણ ન્યાય મળ્યો નથી ત્યારે પરિવારજનોમા ભારે રોષ વ્યાપ્યો હતો. રાધનપુર પોલીસ મથકે પહોંચેલા પરિજનોની ફરિયાદ લેવામાં ન આવી હોવાની વિગતો મહિલા દર્દીના સસરા ઠાકોર સેંધાભાઇ એ મીડિયા સમક્ષ માહિતી આપી છે. ત્યારે મીડિયાને જણાવ્યું હતું કે રાધનપુર પોલીસ પણ કેસ લેવા તૈયારી નથી અને કયાંક ને ક્યાંક ડૉ. દેવજીભાઈના ઉચ્ચ રાજકારણને લઈને અમને પરેશાન કરવામાં આવી રહ્યા છૅ તેવું જણાવ્યું હતું.આસ્થા હોસ્પિટલના આ મામલે પોલીસ ફરિયાદ નહીં લેતા આખરે પરિવારએ લેખિત મા પરિજનોએ ફરિયાદ લેવા જણાવ્યું છે અને લેખિત આપી પોલીસ ને fir નોંધવા માટે જણાવ્યું હોવાની વિગત સામે આવી છૅ.

https://www.instagram.com/reel/DJqgeWqpRpf/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

રાધનપુરના કલ્યાણપુરા ગામના મહિલા દર્દી પાર્વતીબેન ભરતભાઇ ઠાકોર કે જેઓ ને ત્રણ મહિનાનો ગર્ભ હોવાથી સતત ત્રણ મહિના થી આસ્થા હોસ્પિટલ ના ડૉ. દેવજીભાઈ ની દવા ચાલુ હોય દવા લઇ રહ્યા હતા.અને આ મહિલાને પેટમાં દુખાવો થતાં મહિલા સાથેજ પરિજનઓએ હોસ્પિટલ જઈ સમગ્ર વાત કરતા સામાન્ય સ્થિત બતાવી દવા આપી ઘરે મોકલી દીધા હતા.ત્યારબાદ મહિલા ને સતત પેટમાં દુખાવો વધતા પરિજનઓએ મહિલાને રાધનપુર ની અન્ય ખાનગી હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં તમામ પ્રકારના રિપોર્ટ કરાવતા ડૉ. એ કહેલ કે આસ્થા હોસ્પિટલ થી આ કેશ બગડી ગયેલ છે રિપોર્ટ ખરાબ આવેલ છે.ત્યારબાદ પાટણ ખાતે પરિજનઓએ અન્ય ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.જ્યાં ડોક્ટરે કહ્યું કે આ મહિલાની સ્થિતિ ખૂબ જ નાજુક છે તેમ જ ગર્ભમાં રહેલ બાળકની સ્થિતિ પણ ખૂબ જ નાજુક છે.ડોક્ટરે કહેલ કે બાળક બચે તેવી સ્થિતિમાં નથી તેવું ડોક્ટરે જણાવેલ ત્યારબાદ ત્યાં હોસ્પિટલ મા મહિલા ને દાખલ કરી દવા ચાલુ કરાવેલ અને આખરે બાળક મૃતક હાલત મા કાઢી મહિલાનો બચાવ કરતા બાળક મૃતક જાહેર કરતા બાળક નો જીવ આસ્થા હોસ્પિટલના તબીબ ની બેદરકારી થી થયું હોવાના પડીજવારજનો એ આક્ષેપ કર્યા છૅ અને ન્યાય ની માંગ કરી રહ્યા છે ત્યારે આ બાબતે વાત કરવા ગયેલ પરિવારજનો સાથે આસ્થા હોસ્પિટલ ના સ્ટાફ દ્વારા પરિવાર સાથે ગેરવર્તણુક અને ધક્કા મુક્કી કરી ધમકી આપી હોવાના લેખિત મા ઉલ્લેખ કર્યા છે.ત્યારે બાળ મોત થી લઈને મહિલા ની સ્થિત નાજુક બની હોય જીવના જોખમે મહિલા હોય સારવાર કરાવી રહ્યા પરિજનઓએ પોલીસ મથકે ફરિયાદ આપવા જતા અને fir નોંધવા માટે લેખિત આપી ન્યાય ની માંગ કરી છે તેમજ જવાબદાર તબીબ સામે કડક અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ