વીરતા, ત્યાગ અને બલિદાનના પરમ પ્રતીક, જૂનાગઢના ‘જૂના’ ગઢમાં સ્થાપિત થશે !!

ઉપરકોટ ખાતે ત્યાગ, બલિદાન તથા સાહસના આદર્શ પ્રતીક યદુકુળ શિરોમણી વીર દેવાયત આપા બોદર તથા ‘રા’ નવઘણના ઇતિહાસને દર્શાવતા મેમોરિયલના વિકાસ કાર્યનું આનંદભેર ખાતમુહૂર્ત કર્યું.

આશરે 1 હજાર વર્ષ પૂર્વે આડિદર-બોડિદરના પાદરમાં આહીર સમાજના આશરા ધર્મને અમરત્વ આપનાર વીર શિરોમણી દેવાયત આપા બોદરની પ્રતિમા તથા તે સમયના ઇતિહાસનું દર્શન કરાવતું આ મેમોરિયલ ઉપરકોટની ગરિમામાં નોંધપાત્ર વધારો કરશે.

યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના માર્ગદર્શન તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી ના નેતૃત્વમાં ‘વિકાસ ભી – વિરાસત ભી’ ના મૂળમંત્ર સાથે સદી જૂના સમૃદ્ધ ઇતિહાસને જીવંત રૂપ આપવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે!

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
સૌથી મોટો સર્વે વિસાવદર વિધાનસભા કોણ જીતશે ?