Latest News
મુંબઈ-થાણેમાં વરસાદનું એલર્ટ: ગરમીમાંથી રાહત કે નવી મુશ્કેલીઓ? રાજ્યભરમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી વચ્ચે જનજીવન પર અસરનું વિશ્લેષણ “નારી શક્તિનો નવચેતન જાગરણ — મહુવામાં નિશુલ્ક તલવાર તાલીમ સેમિનાર દ્વારા બહેનોને આત્મરક્ષા અને આત્મવિશ્વાસનો સંદેશ” ઈરાન સંઘર્ષની વૈશ્વિક અસર: એશિયામાં ઊભું થયું ઇંધણ સંકટ, ફિલિપાઇન્સે જાહેર કરી રાષ્ટ્રીય ઉર્જા કટોકટી, પાકિસ્તાનમાં ‘સ્માર્ટ લોકડાઉન’ “આજનું રાશિફળ — ચૈત્ર સુદ તેરસ, મંગળવાર: ગ્રહોની ગતિ સાથે જીવનના માર્ગદર્શક સંકેતો” 🚩 “અહિંસા અને આસ્થાની અજવાસ યાત્રા — જામનગરમાં મહાવીર સ્વામી ભગવાનની 2624મી જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રથયાત્રા” 🚩 “અલવિદા જામનગર” : કલેક્ટર કેતન ઠક્કરને સ્ટાફ દ્વારા ભવ્ય વિદાય, રાષ્ટ્રધ્વજને સલામી આપી લાગણીસભર વિદાય ક્ષણો.

પંચમહાલમાં કમોસમી વરસાદ..

પંચમહાલમાં કમોસમી વરસાદ વરસી રહ્યો

શહેરા માં વૈશાખ મહિનામાં અષાઢી માહોલ

શહેરા માં વૈશાખ મહિનામાં અષાઢી માહોલ
શહેરા માં વૈશાખ મહિનામાં અષાઢી માહોલ

 

બપોરના ત્રણથી ચારમાં બે ઇંચ વરસાદ થતાં અમુક વિસ્તારોમાં પાણી ભરાયા અણીયાદ ચોકડી વિસ્તારમાં આવેલી સાન્તાક્રુઝ સોસાયટી ના રસ્તા ઉપર એક ફુટ કરતા વધુ પાણી ભરાતા ત્યાંના રહીશો ભારે ચિંતિત થઈ ઉઠ્યા. હાલોલ શામળાજી હાઇવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલી મુકાયા સાન્તાક્રુઝ સોસાયટી માં
પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા હોવા છતાં પાલિકા અને તાલુકા વહીવટી તંત્ર હલ કરવામાં નિષ્ફળ નીવડી રહી.. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થતાં ખેતી પાકને નુકસાન જવાની શક્યતા ને લઈને તેમજ ઘાસના પૂળા પલળી જતા ખેડૂતો અને પશુપાલકો ચિંતિત

શહેરા મા શુક્રવારના રોજ વાતાવરણમાં પલટો આવવા સાથે એક કલાકમાં બે ઇંચ જેટલી કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે અણીયાદ ચોકડી વિસ્તારમાં પસાર થતાં હાઇવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ જવા સાથે સંબંધિત તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો હતો.જ્યારે શાંતા કુંજ સોસાયટીના અવર જવરના રસ્તા ઉપર પાણી ભરાઈ જતા ચોમાસા પૂર્વે પાલિકા પોતાની નૈતિક ફરજ બજાવીને સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી માંગ અહીના રહીશો કરી રહ્યા હતા.

શહેરા સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં શુક્રવારના રોજ વાતાવરણમાં પલટો આવતા વૈશાખ મહિનામાં અષાઢી માહોલ જામતા જિલ્લા વાસીઓને ચોમાસાની ઋતુ જેવો અહેસાસ થવા માંડ્યો હતો. મેઘરાજા મન ભરીને વરસતા નગરના અણીયાદ વિસ્તારમાં આવેલી સાન્તાક્રુઝ સોસાયટીના અવર જવરના રસ્તા ઉપર એક ફૂટ જેટલા પાણી ભરાઈ જતા ઘરની અંદર પાણી ભરાઈ જવાની શક્યતા ના પગલે ત્યાંના રહીશો ભારે ચિંતિત થઈ ઉઠ્યા હતા, જ્યારે પસાર થતાં હાલોલ શામળાજી હાઇવે માર્ગ ઉપર એક ફૂટ કરતા વધુ પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને પસાર થવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી હતી. અમુક વાહનો પાણીમાં બંધ થઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ જવા સાથે ગમે તે રીતે પોતાની ગાડી બહાર કાઢતા નજરે પડવા સાથે તંત્ર સામે ભારે આક્રોશ વાહન ચાલકો નો જોવા મળી રહ્યો હતો. હાઈવે માર્ગ ઉપર બે તરફ વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ને પણ અસર થવા પામી હતી,આ હાઇવે ઉપર દર વર્ષે ચોમાસામાં પણ આજ પરિસ્થિતી સર્જાતી હોવા છતા જવાબદાર તંત્ર દ્વારા કોઈ ગંભીરતા લેવામા આવી રહી નથી. ચોમાસા પૂર્વે વૈશાખ મહિનામાં કમોસમી વરસાદ થતા અણીયાદ ચોકડી વિસ્તારમાં આવેલી સાન્તાક્રુઝ સોસાયટી તેમજ હાઇવે ઉપર પાણી ભરાઈ જતા તંત્ર એ પણ પોતાની નૈતિક ફરજ સમજીને આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટેની કાર્યવાહી કરવી જોઈએ પરંતુ કયા કારણથી આ સમસ્યા હલ કરવામાં તાલુકા વહીવટી અને પાલિકા તંત્ર રસ રાખી રહ્યા ન હોવાથી જાગૃત નાગરિક દ્વારા આ ઉપરોક્ત બાબતને લઈને સ્વાગત કાર્યક્રમ તેમજ જિલ્લા કલેકટર થી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી શકે તો નવાઈ નહી. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદને લઈને ખેતી પાકને નુકસાન જવાની શક્યતાના પગલે અને ઘાસના પૂળા પલળી જતા પશુપાલકો અને ખેડૂતો ચિંતિત થઈ ઉઠ્યા હતા. વરસાદના પગલે લોકોને ગરમીમાં આંશિક રાહત મળી હતી.શહેરા માં ત્રણ થી ચાર વાગ્યા સુધીમાં બે ઇંચ કરતા વધુ વરસાદ થયો હોવાનું મામલતદારના ડિઝાસ્ટર શાખામાં નોંધાયો હતો, જ્યારે કામ અર્થે જતા લોકોને પણ રેઇનકોટ અને છત્રીનો સહારો લેવો પડ્યો હતો.બદલાયેલા વાતાવરણના પગલે પાછલા પાંચ દિવસથી સમગ્ર જિલ્લામા વાદળછાયુ વાતાવરણ સર્જાવા સાથે છૂટો છવાયો વરસાદ થતાં ચોમાસાનો અહેસાસ લોકોને વૈશાખ મહિનામાં થયો હતો.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

શુ તમને ચૂંટણીમા રસ છે. ?