Latest News
સ્વ. વિજય રૂપાણીની અંતિમયાત્રા પર વિવાદ: પરિવાર પાસેથી ખર્ચ વસૂલ્યો હોવાના દાવા સામે રાજકીય ભૂકંપ મુંબઈમાં ઐતિહાસિક જૈન રથયાત્રા : વિશ્વશાંતિ, શ્રદ્ધા અને એકતાનો અનોખો મહોત્સવ ✨ નાગપુરમાં વિકાસનો નવો માઇલસ્ટોન: રૂ. 191 કરોડના ખર્ચે જ્ઞાનયોગી ડૉ. શ્રીકાંત જીચકર ફ્લાયઓવરનું લોકાર્પણ, ટ્રાફિક જામ અને અકસ્માતોથી રાહત શ્રીરામકથા મહોત્સવમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરી: મોરારીબાપુની વાણીમાં સંયમ, બલિદાન અને તપસ્યાનો સંદેશ અનન્યા પાંડેનો ગ્લૅમરસ અવતાર: ડિઝાઇનર ગાઉનમાં છવાઈ ગયેલી યુવા સ્ટાર યવતમાળમાં ‘આદિ કર્મયોગી અભિયાન’ અને વિકાસ કાર્યોનો ભવ્ય ઉદ્ઘાટન: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં લોકકલ્યાણનો મંગલપ્રયાસ

જેતપુર ઉદ્યોગનું દુષિત પાણી દરિયામાં છોડવાના પ્રોજેક્ટનો હવે ધોરાજીના ખેડૂતો પણ કર્યો વિરોધ

જેતપુર ઉદ્યોગનું દુષિત પાણી દરિયામાં છોડવાના સરકારના પ્રોજેક્ટનો પોરબંદરના માછીમારો અને નગરજનો ભારે વિરોધ કરી રહ્યા છે, હવે આ વિરોધ ધોરાજી પંથકમાં પણ શરૂ થયો છે.ખેડૂતો પાઇપ લાઇન મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

જેતપુર ઉદ્યોગનું દુષિત પાણી પાઈપલાઈન મારફતે દરિયામાં છોડવાના સરકારના પ્રોજેક્ટના પોરબંદર બાદ ધોરાજી તાલુકાના તોરણીયા ગામમાં પસાર કરવાની પેરવી ચાલી રહી છે એ વચ્ચે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો આ પ્રોજેક્ટથી જેતપુર ઉદ્યોગનું દુષિત પાણી આ દરિયામાં છોડવામાં આવશે.

તોરણીયા ગામની હદ વિસ્તારમાં આવેલ ખેડૂતોની જમીનમાં પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવતા. ખેડૂતો તેમજ મહિલાઓ ઉગ્રે વિરોધ નોંધાવ્યો હતો સાથે જણાવ્યું હતું કે. અહીંથી પસાર થતી પાઇપ લાઇન જેમને મંજૂરી પણ નથી આપી. તેમ છતાં પાઇપ લાઇન પાથરવામાં આવી રહી છે, તેમજ ઘટના સ્થળે જેસીબી સહિતના સાધનો પહોંચતા મહિલાઓએ જેસીબીના મશીનમાં બેસી ગયા હતા અને સાથે વિરોધ. નોંધાવ્યો હતો ખેડૂતોના જણાવ્યા મુજબ અહીંથી પસાર થતી પાઇપલાઇન ના કારણે ઉભા પાક જો નષ્ટ થઈ જ રહ્યા છે સાથે પાઇપલાઇન ફીટ કરવામાં આવશે તો તે પણ નુકસાની અમારે જ ભોગવવાની રહેશે. આથી ખેડૂતોએ વિરોધ નોંધાવી તો સાથે મીડિયાને કવરેજ કરવા માટે જેતપુર ઉદ્યોગના મળતી આવો પણ પહોંચ્યા હતા.

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?