Latest News
જામનગર ચાંદી બજાર વાઘેશ્વરી માતાજી મંદિર ખાતે ‘એવ્રત જીવ્રત વ્રત’ ની ભાવભીની પૂજા: શ્રદ્ધાળુઓની ભક્તિથી ભરેલી પ્રસંગસ્થીતી જામનગર એસ.ઓ.જી.ની નોંધપાત્ર કાર્યવાહી: ડીગ્રી વગર હોસ્પિટલ ચલાવતા સંજયકુમાર ટીલાવત ઝડપાયા, ગામમાં ભયનો માહોલ જામનગર એસ.ઓ.જી.ની સફળ કાર્યવાહી: મોટી ખાવડી ગામેથી ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ માત્ર એક મહિના પહેલા બનેલો દ્વારકા નાગેશ્વર ધોરીમાર્ગ થયો ખસ્તાહાલ: વિકાસની લહેર કે ભ્રષ્ટાચારનો રસ્તો? જામનગરની દીકરી દેવાંશી પાગડા લાયન્સ ક્લબ ઇસ્ટના ઇન્સ્ટોલેશન કાર્યક્રમમાં “પ્રતિભા સન્માન એવોર્ડ”થી સન્માનિત પાટણમાં ધો. ૧૧ સાયન્સની વિદ્યાર્થિનીનો આપઘાત: યુવકના ત્રાસથી જીવ ટૂંકાવવાનો નિર્ણય લેનારી દિકરીનાં મોતે શોકની લાગણી

ધંધુકા પોલીસે નશીલા પદાર્થો વિરુદ્ધ મોટી કાર્યવાહી: 3.95 કિલોગ્રામ ગાંજા સાથે બે આરોપીની ધરપકડ

ગાંજા સાથે 2 ની અટકાયત કરતી ધંધુકા પોલીસ

      ધંધુકા પોલીસ દળે ચોક્કસ બાતમીના આધારે દક્ષિણ ગુજરાતના હડાળા-પાણશીણા રોડ ઉપરથી બે શખ્સોની ધરપકડ કરી છે. તેમની પાસેથી 3.952 કિલોગ્રામ નશીલો ગાંજો, એક મોટરસાયકલ, મોબાઇલ ફોન અને રોકડ મળીને કુલ રૂ. 65,760 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કામગીરી નશીલા પદાર્થોના વેચાણ સામે મોટું પગલું માનવામાં આવી રહી છે.

     પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ધંધુકા પોલીસ નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે એ.એસ.આઇ. અજયકુમાર શંકરભાઇને ખાનગી માધ્યમથી બાતમી મળી હતી કે હડાળા-પાણશીણા રોડ પરથી બે ઈસમો નશાકારક પદાર્થ લઈને પસાર થવાના છે. બાતમી આધારે પોલીસએ તાત્કાલિક છટકું ગોઠવી સઘન ચેકિંગ શરૂ કર્યું હતું.

     ચેકિંગ દરમિયાન એક મોટરસાયકલ પર સવાર બે શખ્સો પોલીસને શંકાસ્પદ લાગતા તેમની પૂછપરછ અને તલાશી હાથ ધરવામાં આવી. તપાસ દરમ્યાન તેમની પાસેથી 3.952 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો, જેની બજાર કિંમત અંદાજે રૂ. 39,520 જેટલી છે. આ ઉપરાંત તેમની પાસેથી એક મોટરસાયકલ, એક મોબાઇલ ફોન અને રોકડ રકમ પણ મળીને રૂ. 65,760 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ગાંજા સાથે 2 ની અટકાયત કરતી ધંધુકા પોલીસ

     આ બંને આરોપીઓની ઓળખ અશ્વિનભાઈ પ્રભાતભાઈ ડાભી અને મહેન્દ્રસિંહ વિરસિંગભાઈ સોલંકી તરીકે થઈ છે. બંને શખ્સો ધંધુકા તાલુકાના હડાળાના રહેવાસી છે. પોલીસે બંને શખ્સો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલી રહી છે કે તેઓ કોની સાથે જોડાયેલા હતા અને નશીલા પદાર્થોની વિતરણ ચેઇન કેટલી વિસ્તૃત છે.

     આ કામગીરી ધંધુકા પોલીસ ઇન્સ્પેક્ટર યુ.બી. જોગરાણાના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ઓપરેશન IGP વિધી ચૌધરી, SP ઓમપ્રકાશ જાટ અને ASP વાગીષા જોશીના માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું.

     પોલીસનું કહેવું છે કે આવા નશીલા પદાર્થોના ગુનાઓ સામે હજુ પણ કાર્યવાહી ચાલુ રહેશે અને જે કોઇ પણ નશાકારક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલું જણાશે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરાશે.

     જિલ્લાની શાંતિ-સુરક્ષા જાળવી રાખવા અને યુવા પેઢીને નશાની પકડમાં જતાં અટકાવવા માટે પોલીસનું આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ સાથે, પોલીસે સ્થાનિક નાગરિકોને અપીલ કરી છે કે જો તેમને આવા શંકાસ્પદ નશાકારક પ્રવૃત્તિઓ અંગે માહિતી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સહકાર આપવા વિનંતી કરવામાં આવે છે.

INSTAGRAM: https://www.instagram.com/samay__sandesh/

FACEBOOK: https://www.facebook.com/SamaySandeshoffice

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો

રિપોર્ટર – કૃણાલ સોમાણી ધંધુકા

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?