Latest News
પરંપરાગત મલ કુસ્તી 2025 માં પી.એમ. શ્રી વરવાળા પ્રાથમિક શાળાના બાળ ખેલાડીઓનું ગૌરવશાળી પ્રદર્શન સહકારથી સમૃદ્ધિ તરફ : ક્રિષ્ન ડેરી ચેરમેન હમીરભાઈ ગોજીયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભેચ્છા સાથે આભાર વ્યક્ત શુદ્ધ ભારતના પથ પર મેડિકલ કોલેજનો સંકલ્પ : કલેકટરશ્રી કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓએ સ્વચ્છતા શપથ લીધો જામનગરમાં GST વિભાગની મોટીફાળવણી: MP શાહ ઉદ્યોગનગરની SK Spices મસાલા મિલ પર રિટર્ન ચેકિંગ સુરત ગ્રામ્ય એલસીબીની મોટી કામગીરી: એમ્બ્યુલન્સમાં છુપાવેલો વિદેશી દારૂનો કટોકટી જથ્થો પકડાયો – 15.87 લાખનો મુદ્દામાલ જપ્ત જામનગરની સરકારી શાળા નં. 55 ની વિદ્યાર્થીનીઓએ “સ્વચ્છોત્સવ–2025” અંતર્ગત શપથ ગ્રહણ કરી કલેકટર કચેરીની કાર્યપ્રણાલી જાણી: શિક્ષણ, સ્વચ્છતા અને સંસ્કાર તરફ પ્રેરણાદાયક પગલું

 ધંધુકા તાલુકામાં ભારે વરસાદના કારણે અસ્તવ્યસ્ત સ્થિતિ: નદીઓમાં ઘોડાપુર, રસ્તા બંધ, જીવહાની અને ખેતીને નુકસાન

ધંધુકા તાલુકામાં ચાલુ વરસાદ અને ઉપરવાસના ભારે વરસાદને કારણે પરિસ્થિતિ સતત વણસતી જઈ રહી છે. ભડલા ડેમના દરવાજા ખોલવાની જાહેરાત થયા પછી તંત્રે નદી કાંઠાના ગામોને એલર્ટ પર મુક્યા છે. ભાદર નદીના પાણીના પ્રવાહમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે અનેક વિસ્તારોમાં લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે.

નદીકાંઠાના ગામોને એલર્ટ વાગડ, મોરસિયા, ગુંજાર, કોટડા, રંગપુર અને અડવાળ જેવા ગામોમાં રહેવાસીઓને નદીના કાંઠાથી દૂર રહેવા તંત્રે સૂચના આપી છે. કેટલાક વિસ્તારોમાં નદીના પાણી ઝૂંપડાઓમાં ઘૂસતાં લોકો રસ્તા પર આવી ગયા છે. લીમડી ત્રણ રસ્તા અને અમદાવાદ હાઈવે પર પણ પાણી ફરી વળતાં ટ્રાફિક ખોરવાયો છે.

શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યાં નદીના પાણી ધંધુકા શહેરના સ્મશાન, પ્લોટ વિસ્તાર, ગુલીસ્થાન સોસાયટી જેવી નીચાણવાળી જગ્યા પર પણ નદીના પાણી ઘૂસી ગયાં છે. આમ, શહેર અને ગ્રામ્ય વિસ્તાર બંને પર કુદરતી આપત્તિ જેવી સ્થિતિ ઊભી થઈ છે.

તાત્કાલિક તંત્ર સક્રિય થયું જાણ મળતાં જ આર એન્ડ બી વિભાગના અધિકારીઓ, મામલતદાર વિજયસિંહ ડાભી, પોલીસ સ્ટાફ અને અન્ય તાત્કાલિક સેવા દળ પર પહોંચી કામગીરીમાં લાગી ગયાં છે. લોકોને સલામત સ્થળે ખસેડવા માટે મદદ કરવામાં આવી રહી છે.

અડવાળ ગામમાં કરુણ ઘટના – વૃદ્ધાનું મોત અડવાળ ગામમાં 95 વર્ષની પાર્વતીબેન પનારાનું કાચા ઢાળિયાની છત તૂટી પડવાથી કરૂણ મૃત્યુ થયું છે. આ ઘટના મધ્યરાત્રીના સમયે બની હતી. ધંધુકા પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે .વિશ્વમાર્ગો બંધ અને ખેતીને નુકસાન ત્રાડીયા-બાજરડા માર્ગ પર વરસાદી પાણી ફરી વળતાં ગામનો મુખ્ય માર્ગ ધંધુકા સાથે બંધ થઈ ગયો છે. ખેતરોમાં પાણી ઘૂસી જતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. તાત્કાલિક વળતર અને સહાય માટે ખેડૂતો સરકારી તંત્ર સામે માંગણી ઉઠાવી રહ્યા છે.

ધંધુકામાં કુદરતનો કહાર હાલ પણ યથાવત છે. તંત્ર સતર્ક છે પણ લોકોને પણ સતર્ક રહેવાની કડક જરૂર છે.

INSTAGRAM: https://www.instagram.com/samay__sandesh/

FACEBOOK: https://www.facebook.com/SamaySandeshoffice

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?