Latest News
જામનગર પોલીસદળનું ગૌરવ વધારનાર બહાદુર અધિકારી: એ.એસ.આઈ. બસીરભાઈ મલેકને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરાયા અયોધ્યા માટે નવી ટ્રેનને ભાવનગરથી લીલીછમથી રવાના: શ્રી રામભક્તો માટે ભક્તિભર્યું અવસર, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મનસુખ માંડવીયાનું ઉષ્માભર્યું સ્વાગત “દિલ્હીમાં લેવાયેલા એક નિર્ણયે ગુજરાતના એક જીવનને બચાવ્યું” – ડૉ. મનસુખ માંડવીયાના તત્પર પગલાંએ દર્દીને જીવદાન આપ્યું આહીર સમાજના ગૌરવ દેવાયત બોદરજીની પ્રતિમા સ્થાપન માટે મહત્વપૂર્ણ નિર્ણય: સરકારી ગેસ્ટ હાઉસ પાસે પ્રાથમિક પસંદગી, વેરાવળ રોડ વિકલ્પ તરીકે વિચારણા હેઠળ ગુજરાત પોલીસના ૧૧૮ શૂરવીર અધિકારી-કર્મચારીઓને પોલીસ ચંદ્રકથી સન્માનિત કરાયા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગૌરવપૂર્ણ સમારોહ જામનગરમાં પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં સંયુક્ત બેઠક: “ટીમ જામનગર”ના સંકલિત પ્રયત્નો વડે લોક પ્રશ્નોના ઝડપી નિવારણની દિશામાં કાર્યરત તંત્ર

 ધંધુકા તાલુકામાં ભારે વરસાદના કારણે અસ્તવ્યસ્ત સ્થિતિ: નદીઓમાં ઘોડાપુર, રસ્તા બંધ, જીવહાની અને ખેતીને નુકસાન

ધંધુકા તાલુકામાં ચાલુ વરસાદ અને ઉપરવાસના ભારે વરસાદને કારણે પરિસ્થિતિ સતત વણસતી જઈ રહી છે. ભડલા ડેમના દરવાજા ખોલવાની જાહેરાત થયા પછી તંત્રે નદી કાંઠાના ગામોને એલર્ટ પર મુક્યા છે. ભાદર નદીના પાણીના પ્રવાહમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે અનેક વિસ્તારોમાં લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે.

નદીકાંઠાના ગામોને એલર્ટ વાગડ, મોરસિયા, ગુંજાર, કોટડા, રંગપુર અને અડવાળ જેવા ગામોમાં રહેવાસીઓને નદીના કાંઠાથી દૂર રહેવા તંત્રે સૂચના આપી છે. કેટલાક વિસ્તારોમાં નદીના પાણી ઝૂંપડાઓમાં ઘૂસતાં લોકો રસ્તા પર આવી ગયા છે. લીમડી ત્રણ રસ્તા અને અમદાવાદ હાઈવે પર પણ પાણી ફરી વળતાં ટ્રાફિક ખોરવાયો છે.

શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યાં નદીના પાણી ધંધુકા શહેરના સ્મશાન, પ્લોટ વિસ્તાર, ગુલીસ્થાન સોસાયટી જેવી નીચાણવાળી જગ્યા પર પણ નદીના પાણી ઘૂસી ગયાં છે. આમ, શહેર અને ગ્રામ્ય વિસ્તાર બંને પર કુદરતી આપત્તિ જેવી સ્થિતિ ઊભી થઈ છે.

તાત્કાલિક તંત્ર સક્રિય થયું જાણ મળતાં જ આર એન્ડ બી વિભાગના અધિકારીઓ, મામલતદાર વિજયસિંહ ડાભી, પોલીસ સ્ટાફ અને અન્ય તાત્કાલિક સેવા દળ પર પહોંચી કામગીરીમાં લાગી ગયાં છે. લોકોને સલામત સ્થળે ખસેડવા માટે મદદ કરવામાં આવી રહી છે.

અડવાળ ગામમાં કરુણ ઘટના – વૃદ્ધાનું મોત અડવાળ ગામમાં 95 વર્ષની પાર્વતીબેન પનારાનું કાચા ઢાળિયાની છત તૂટી પડવાથી કરૂણ મૃત્યુ થયું છે. આ ઘટના મધ્યરાત્રીના સમયે બની હતી. ધંધુકા પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે .વિશ્વમાર્ગો બંધ અને ખેતીને નુકસાન ત્રાડીયા-બાજરડા માર્ગ પર વરસાદી પાણી ફરી વળતાં ગામનો મુખ્ય માર્ગ ધંધુકા સાથે બંધ થઈ ગયો છે. ખેતરોમાં પાણી ઘૂસી જતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. તાત્કાલિક વળતર અને સહાય માટે ખેડૂતો સરકારી તંત્ર સામે માંગણી ઉઠાવી રહ્યા છે.

ધંધુકામાં કુદરતનો કહાર હાલ પણ યથાવત છે. તંત્ર સતર્ક છે પણ લોકોને પણ સતર્ક રહેવાની કડક જરૂર છે.

INSTAGRAM: https://www.instagram.com/samay__sandesh/

FACEBOOK: https://www.facebook.com/SamaySandeshoffice

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?
error: Content is protected !!