Latest News
ગીર સોમનાથમાં અવિરત વરસાદ: હિરણ નદીમાં પાણીનું સ્તર ઊંચું, કાજલી માર્કેટિંગ યાર્ડ પુલ પરથી વાહન વ્યવહાર બંધ કાલાવડમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ, શહેર જળબંબોળ – જીવન વ્યવહાર ઠપ, પ્રજામાં ભારે ત્રાસ શહેરા તાલુકામાં સ્માર્ટ મીટર સ્થાપનાની કામગીરી જોરશોરથી શરૂ : અત્યાર સુધીમાં 8,074 મીટર બદલાયા સંસદ ભવનમાં ઐતિહાસિક ક્ષણ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની ઉપસ્થિતિમાં સી.પી. રાધાકૃષ્ણનજીએ ઉપરાષ્ટ્રપતિ પદ માટે નામાંકન દાખલ કર્યું મુંબઈમાં મૉનસૂનનો તાંડવ: 50 ફ્લાઇટ્સ રદ, મુસાફરોને સમયસર અપડેટ તપાસવાની અપીલ વરસાદ પછી પણ મુંબઈ ધમધમતું રહે તેની ખાતરી કરે છે BMC, મુંબઈકર્સને અફવાઓ પર વિશ્વાસ ન કરવા વિનંતી

ગીર સોમનાથ જિલ્લામાં ધીમીધારે વરસાદ વચ્ચે ગાય વીજ શોર્ટ લાગતા મૃત્યુ પામતાં હલચલ: PGVCLના તંત્ર સામે પ્રશ્નો ઉઠ્યાં

ગીર સોમનાથ જિલ્લામાં ધીમીધારે વરસાદ વચ્ચે ગાય વીજ શોર્ટ લાગતા મૃત્યુ પામતાં હલચલ: PGVCLના તંત્ર સામે પ્રશ્નો ઉઠ્યાં

ગીર સોમનાથ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા ધીમીધારે વરસી રહ્યાં છે. ક્યારે ઝાપટાં રૂપે અને ક્યારે ધીમીધારે થતો વરસાદ ખેતી માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં આ વરસાદે મુશ્કેલીઓ પણ ઉભી કરી છે.

આજે સવારે તાલાલા નગરના ગલીયાવડ રોડ પર ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં PGVCLના સપ્ટેશન નજીક ખૂટીયો વીજતાર પસાર થતો હતો, જેમાં કોઈ કારણોસર વીજ શોર્ટ સર્જાયો અને એક નિર્દોષ ગાય તેનું ભોગ બનતી મૃત્યુ પામી.

વીજ શોર્ટ લાગતા સ્થળ પર જ ગાયનું કમકમાટીભર્યું મોત

પ્રાપ્ત વિગતો મુજબ, PGVCLના સબ સ્ટેશનની પાસે વીજ લાઈન નીચે લટકતી અને જમીનને સ્પર્શ કરતી હાલતમાં હતી. વરસાદી વાતાવરણમાં ગાય ત્યાંથી પસાર થઈ રહી હતી તે દરમ્યાન તત્કાલ વીજ કરંટ લાગતાં ગાય થરથરાટ સાથે નીચે પડી ગઈ અને તેનું તાત્કાલિક મોત થયું.

સ્થાનિકોએ તુરંત વીજતંત્રને જાણ કરી

ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યાં અને PGVCL તંત્રને તાત્કાલિક જાણ કરવામાં આવી. કેટલાક લોકોએ તંત્રના ઢીલાશાહી વલણને લીધે આવી દૂર્ઘટના બનતી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. લોકોના કહેવા પ્રમાણે, “જમીન નજીક લટકતા તાર અને વરસાદ દરમિયાન વીજ શોર્ટની શક્યતા હોવા છતાં યોગ્ય સાદગી કે તકેદારી ન લેવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે.

પ્રશ્નો ઉઠ્યા – જવાબદારો કોણ?

તાલાલાના નગરજનો અને પશુપાલકોમાં આ ઘટનાને લઈ ભારે રોષ જોવા મળ્યો. લોકોના કહેવા મુજબ, “અવારનવાર વીજતાર તૂટી જવું, લટકતા રહેવું, ટ્રાન્સફોર્મર પાસેથી શોર્ટ થવો જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે, અને PGVCL તંત્ર દ્વારા સમયસર પગલા લેવામાં નથી આવતા.

પશુપાલકોની માંગ – નુકસાન માટે વળતર આપો

મૃત ગાય પશુપાલકની મુખ્ય આવકનો સ્ત્રોત હતી. સ્થાનિક લોકોએ તંત્ર સામે વળતરની માંગ કરી છે. તેમજ ભવિષ્યમાં આવી દૂર્ઘટના ન બને તે માટે તાત્કાલિક:

  • લટકતા તાર દૂર કરવા

  • જમીન સપાટીથી વીજ લાઈનો ઉંચી કરવા

  • ટ્રાન્સફોર્મર આસપાસ સુરક્ષા વધારવી

  • વરસાદ પહેલાં તાત્કાલિક વોલ્ટેજ ચેક અને ઓવરહેડ વાયર નિરીક્ષણ

જેમવા પગલાં લેવા માગ કરી છે.

PGVCL તંત્રની નિષ્ક્રીયતા સામે વિરોધની તાગ

તાલાલામાં અવારનવાર વીજ પ્રશ્નો સર્જાતા સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકરો હવે તંત્ર સામે ખુલ્લો વિરોધ દાખવવાની તૈયારીમાં છે. જો તંત્ર સતર્ક ન બને તો આ ઘટનાને લઈ વધુ આંદોલન સર્જાઈ શકે છે.

અંતે પ્રશ્ન એ જ છે…

શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજના યૂગમાં પણ વીજ સુરક્ષા સુવિધાઓ એટલી તણાઈ પડી છે કે વરસાદ પડે એટલે જીવ જોખમમાં પડે?
કોઈ માનવ કે પશુનું જીવ જવું એ માત્ર સંજોગોનું પરિણામ છે કે તંત્રની બેદરકારીનું?

તાત્કાલિક કાર્યવાહી થાય અને નુકસાન પામેલા પશુપાલકને ન્યાય મળે તેવી લોકોની અપેક્ષા છે.

રિપોર્ટર જગદીશ આહીર

INSTAGRAM: https://www.instagram.com/samay__sandesh/

FACEBOOK: https://www.facebook.com/SamaySandeshoffice

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?