Latest News
બજારમાં સાવચેતીનો માહોલ: સેન્સેક્સ ૩૦૦ પોઈન્ટ તૂટી ૮૨,૦૦૦ નીચે, નિફ્ટી ૨૫,૪૦૦ નજીક; મેટલ-ઓટોમાં વેચવાલી, આઈટીમાં આશાની કિરણ. અધર્મ ઉપર ધર્મની જીતનો વિશ્વવિખ્યાત ઉત્સવ: જામનગરમાં ભોઈ સમાજ બનાવશે ૨૫ ફૂટથી ઊંચું હોલિકાનું ભવ્ય પૂતળું. માનવતાનો મિસાલ: જામનગર–લાલપુર બસમાં પડેલો મોબાઇલ ટીસી અને કંડકટરની સતર્કતાથી મુસાફરને પરત. ગોપ ગામે એલ.સી.બી.નો દરોડો: ૨.૭૨ લાખના ઇંગ્લિશ દારૂ સાથે કલ્પેશ ઉર્ફે કલો કારેણા ઝડપાયો. જામનગરમાં અંબાણી મુકામે તેંડુલકર પરિવારનો પ્રિ-વેડિંગ જશ્ન: અર્જુન–સાનિયા લગ્ન પહેલાં ભાવુક ક્ષણો, દેશભરના દિગ્ગજોની નજર. લોકફળાની શક્તિથી ઉભો થયો પ્રાર્થના ખંડ: સદેવરીયા ગામે સરકારી સહાય વિના અનોખી પહેલ, લોકાર્પણ સમારોહમાં અધિકારીઓની હાજરી.

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં જામનગરમાં હિન્દુ સેનાનું પ્રદર્શન સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન

જામનગર:
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં જામનગર શહેરમાં મોડી રાત્રે હિન્દુ સેના દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન હિન્દુ સેના જામનગર શહેરના યુવા ઉપપ્રમુખ સાગર ચૌહાણની આગેવાનીમાં યોજાયું હતું, જ્યારે હિન્દુ સેના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પ્રતિકભાઈ ભટ્ટની ઉપસ્થિતિ પણ નોંધપાત્ર રહી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, આશરે ૪૦ જેટલા હિન્દુ સેના કાર્યકરો જામનગર શહેરના વિક્ટોરિયા પુલ પાસે આવેલી નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા નજીક એકત્રિત થયા હતા. કાર્યકરો દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા કહેવાતા અત્યાચાર સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ રસ્તા પર બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજની આકૃતિ બનાવી તેના પર પગ મૂકીને સૂત્રોચાર કર્યા હતા. આ દરમિયાન “હિન્દુઓ પર અત્યાચાર બંધ કરો”, “બાંગ્લાદેશ સરકાર વિરોધી નારા” સહિતના સૂત્રોચારો કરવામાં આવ્યા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે તણાવનું વાતાવરણ સર્જાયું હતું.

વિરોધ પ્રદર્શનની જાણ થતા સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પગલાં લીધા હતા. જાહેર વ્યવસ્થા જાળવવા માટે પોલીસે પ્રદર્શન કરી રહેલા તમામ કાર્યકરોને ગુલાબનગર પોલીસ ચોકી ખાતે લઈ જઈ અટકાયત કરી હતી. પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી છે.
હિન્દુ સેના ના નેતાઓએ આ દરમિયાન જણાવ્યું હતું કે, “બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે ભારત સરકાર અને આંતરરાષ્ટ્રીય સમુદાયે કડક પગલાં લેવા જોઈએ.” તેમણે ચેતવણી આપી હતી કે જો આ મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં વધુ આંદોલન કરવામાં આવશે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાની નોંધ લેવામાં આવી છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

શુ તમને ચૂંટણીમા રસ છે. ?