જન્મ–મરણના દાખલામાં સુધારાની નવી મુક્તિ : ગુજરાત સરકારનો ક્રાંતિકારી નિર્ણય હવે લાખો નાગરિકોની મુશ્કેલી કરશે દૂર
ગુજરાત સરકારે 26 નવેમ્બર, 2025ના રોજ જાહેર કરેલી એડવાઈઝરીના આધારે રાજ્યભરના લાખો નાગરિકોને વહીવટી રીતે એક એવી ઐતિહાસિક સુવિધા મળવા જઈ રહી છે, જેની માંગ છેલ્લા અનેક વર્ષોથી કરવામાં આવી રહી હતી. અત્યાર સુધી જન્મ-મરણના દાખલામાં એક વખતથી વધુ સુધારો ન થતો, જેના કારણે નાગરિકોને ઓળખદસ્તાવેજોમાં વિસંગતતા, સરકારી યોજનાઓમાં અરજી કરતી વખતે મુશ્કેલીઓ, પાસપોર્ટ–સ્કૂલ–કૉલેજના દાખલાઓમાં…