ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા માર્ચ મહિનાના રજાકાલેન્ડરમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. શાળાઓ માટે જાહેર કરાયેલા નવા સમયપત્રક મુજબ ધૂળેટીની રજા હવે 3 માર્ચના બદલે 4 માર્ચે રાખવામાં આવી છે.
બોર્ડ દ્વારા જાહેર કરાયેલા સુધારેલા પરિપત્ર અનુસાર –
• ધૂળેટી: 3 માર્ચના બદલે હવે 4 માર્ચે રજા રહેશે
• રમઝાન ઈદ: 20 માર્ચના બદલે હવે 21 માર્ચે રજા રહેશે
• રામનવમી: 27 માર્ચના બદલે હવે 26 માર્ચે રજા જાહેર કરવામાં આવી છે
આ ફેરફારો ચંદ્રના દર્શન અને ધાર્મિક તહેવારોની વાસ્તવિક તારીખોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા હોવાનું બોર્ડના સૂત્રોએ જણાવ્યું છે. જેથી શાળાઓમાં રજાઓ યોગ્ય દિવસે મળી શકે.
રાજ્યભરના તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓને નવા હોલિડે કેલેન્ડરનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. શાળાઓને વિદ્યાર્થીઓ અને વાલીઓને સુધારેલા સમયપત્રક અંગે જાણ કરવા પણ કહેવામાં આવ્યું છે.
બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે તહેવારોની તારીખોમાં થતી ફેરફારોને કારણે દર વર્ષે હોલિડે કેલેન્ડરમાં સુધારા કરવાની જરૂર પડે છે. આથી ગેરસમજ ટાળવા માટે સમયસર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તહેવારોની વાસ્તવિક તારીખે રજા મળશે અને શૈક્ષણિક કાર્યક્રમોમાં કોઈ ગેરસમજ નહીં રહે.
આ રીતે GSHSEB દ્વારા જાહેર કરાયેલા નવા હોલિડે કેલેન્ડર મુજબ શાળાઓમાં માર્ચ મહિનાની રજાઓમાં ફેરફાર અમલમાં આવશે.
42








