ટિકિટ વિના મુસાફરી પર રેલવેની કડક કાર્યવાહી: સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેએ એક વર્ષમાં રૂ. 262 કરોડનો દંડ વસૂલ કર્યો.
ભારતમાં રોજ લાખો લોકો રેલવે દ્વારા મુસાફરી કરે છે. દેશની આ મહત્વપૂર્ણ જાહેર પરિવહન વ્યવસ્થામાં નિયમોનું પાલન થાય તે માટે રેલવે તંત્ર દ્વારા સતત ચકાસણી કરવામાં આવે છે. તેમ છતાં કેટલાક મુસાફરો ટિકિટ વિના મુસાફરી કરવાનો પ્રયાસ કરતા હોય છે. આવા કિસ્સાઓમાં રેલવે દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુંબઈમાં કાર્યરત Central Railway અને…