માવઠાની આગાહીએ ખેડૂતોમાં ચિંતા વધારી: જેતપુર વિસ્તારમાં તૈયાર પાક પર વરસાદનો ખતરો, માર્કેટિંગ યાર્ડે ત્રણ દિવસ આવક બંધ કરતા ખેડૂતો મુશ્કેલીમાં.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતા અને અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને જેતપુર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. હાલમાં રવિ સીઝનના પાકો ખેતરમાં તૈયાર હાલતમાં છે, ઘણા ખેડૂતો દ્વારા પાકની કાપણી પણ કરી દેવામાં આવી છે,…