વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે જામનગરમાં તંત્ર દોડતું થયું સર્કિટ હાઉસ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓનું સઘન નિરીક્ષણ, પોલીસ બંદોબસ્ત વધુ કડક.
જામનગર શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત આગમનને લઈને સમગ્ર વહીવટી અને પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સઘન તૈયારી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને સર્કિટ હાઉસ અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા, સ્થળ નિરીક્ષણ અને જરૂરી આયોજનની પ્રક્રિયા તેજ…