અરવલ્લી ગિરિમાળાને બચાવવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય હવે કોઈ નવી માઈનિંગ લીઝ નહીં, વધુ વિસ્તારોને સંરક્ષિત જાહેર કરાશે ગેરકાયદે ખનન સામે કડક કાર્યવાહી અને પર્યાવરણ નિયમોનું કડક પાલન ફરજિયાત
છેલ્લાં ઘણા દિવસોથી અરવલ્લી ગિરિમાળા વિસ્તારમાં ગેરકાયદે અને અણિયંત્રિત માઈનિંગ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ અને દુરગામી નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે તમામ સંબંધિત રાજ્યોને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે અરવલ્લી ક્ષેત્રમાં હવે કોઈપણ નવી માઈનિંગ લીઝ આપવામાં આવશે નહીં. આ સાથે સાથે અરવલ્લીના વધુ વિસ્તારોને સંરક્ષિત (Protected Area) જાહેર કરી…