તળાજા ડબલ મર્ડર કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો: પુત્ર-પુત્રવધૂએ પૈસા માટે માતા-પિતાનું કાવતરાપૂર્વક હત્યાકાંડ રચ્યું, રાજકોટ-વિસાવદર સુધી ફેલાયેલા ગુન્હામાં ચાર આરોપીઓ ઝડપાયા.
ભાવનગર જિલ્લાના તળાજામાં બનેલા ચકચારી ડબલ મર્ડર કેસે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. પોતાના જ ઘરે સળગાવેલી હાલતમાં મળેલી દંપતીની લાશો, શરૂઆતમાં રહસ્યમય મૃત્યુ તરીકે સામે આવેલા બનાવ, ફોરેન્સિક તપાસમાં ખુલેલા ચોંકાવનારા તારણો અને ત્યારબાદ પોતાના જ પુત્ર-પુત્રવધૂ દ્વારા રચાયેલા કાવતરાની હકીકતે સમાજને સ્તબ્ધ કરી દીધો છે. ગણતરીના કલાકોમાં તળાજા પોલીસ અને ભાવનગર લોકલ ક્રાઇમ…