જામનગરમાં મધરાતે ચકચાર: કાલાવડ નાકા બહાર રંગમતી નદીના પુલ પરથી અજાણ્યા વ્યક્તિએ મોતનો કુદકો માર્યાની આશંકા, કલાકો સુધી શોધખોળ છતાં કોઈ પત્તો નહીં
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલા રંગમતી નદીના પુલ પર ગત રાત્રે એક ગંભીર અને ચકચારજનક ઘટના સામે આવી હતી. મધરાત બાદ એક અજાણ્યા વ્યક્તિએ પુલ પરથી નદીમાં કુદકો માર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી ફેલાઈ ગઈ હતી, મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને…