જામનગર–લાખાબાવલ ડબલ ટ્રેક કામને કારણે રેલવે બ્લોક 21થી 26 ફેબ્રુઆરી દરમિયાન 11 ટ્રેનો પર અસર, મુસાફરોને આગોતરા આયોજન કરવાની અપીલ.
રાજકોટ રેલ્વે ડિવિઝન હેઠળ આવેલ જામનગર–લાખાબાવલ રેલ્વે સેક્શનમાં ડબલ ટ્રેકની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવતા 21થી 26 ફેબ્રુઆરી, 2026 દરમિયાન રેલવે ટ્રાફિક પર નોંધપાત્ર અસર જોવા મળશે. આ અવધિ દરમિયાન કુલ 11 જેટલી મહત્વપૂર્ણ ટ્રેનો આંશિક રદ, શોર્ટ ટર્મિનેટ, શોર્ટ ઓરિજિનેટ, રિશેડ્યુલ અથવા માર્ગમાં મોડી દોડશે. રેલવે તંત્રએ મુસાફરોને મુસાફરી પહેલાં સમયપત્રક ચકાસવા અને આગોતરા…