દ્વારકાની ધરા પર ધર્મ–સંસ્કૃતિનો મહાસંગમ: પબુભા માણેક પરિવારની ભાગવત કથા અને મહાચંડી યજ્ઞને રાજ્યની “મુખ્યમોહર”
29મીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારકાધીશના દરબારમાં મસ્તક નમાવશે દેવભૂમિ દ્વારકા… જ્યાં કણ–કણમાં કૃષ્ણતત્વ વ્યાપ્ત છે, જ્યાં ધર્મ, આસ્થા અને સંસ્કૃતિ એકબીજામાં ગૂંથાઈને જીવનના દરેક પાસાંને પવિત્ર બનાવે છે. આવી પાવન ધરા પર ફરી એકવાર ભક્તિ, યજ્ઞ અને આધ્યાત્મિક ઉર્જાનો મહાસંગમ સર્જાવા જઈ રહ્યો છે. દ્વારકાના જાણીતા અને આસ્થા–સંસ્કૃતિ સાથે ગાઢ રીતે જોડાયેલા પબુભા માણેક પરિવાર…