મહુવામાં છત્રપતિ શિવાજી મહારાજ જન્મજયંતિની ભવ્ય ઉજવણી ફ્રી નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ અને આરતી સાથે શિવાજી ગ્રુપ દ્વારા સમાજસેવાનો અનોખો સંકલ્પ.
મહુવા શહેરમાં હિંદવી સ્વરાજ્યના સ્થાપક અને શૂરવીરતાના પ્રતિક છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શિવાજી ગ્રુપ દ્વારા ભવ્ય અને સેવાભાવી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવસભર ચાલેલા આ કાર્યક્રમમાં આરોગ્ય સેવા, રક્તદાન અને સાંસ્કૃતિક-ધાર્મિક વિધિઓનું સંયોજન જોવા મળ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, મહિલાઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો….