“જામનગરમાં પઠાણી ઉઘરાણીનો કહેર: 4 લાખના ધંધાકીય લોનથી શરૂ થયેલો કિસ્સો 3.35 લાખની ગેરકાયદે વ્યાજ ઉઘરાણી સુધી પહોંચ્યો.”
જામનગર શહેરમાં ગેરકાયદે નાણાંની ધીરધાર અને પઠાણી ઉઘરાણીના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આવી જ એક ગંભીર અને ચિંતાજનક ઘટના શહેરના સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવી છે, જેમાં એક યુવાન અને તેના પરિવારને ગેરકાયદે વ્યાજખોરી, ધમકી, ચેક રિટર્નના ખોટા કેસ અને માનસિક સતામણીનો ભોગ બનવું પડ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ…