જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવમાં ભારે ઉછાળો, ૩૫ હજાર ગુણી આવકથી યાર્ડ બન્યું ચહલપહલથી છલકાતું
જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાંથી ખુશીના સમાચાર જામનગર જિલ્લાના જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાંથી ખેડૂતો માટે રાહત અને ખુશી લાવતી મોટી ખબર સામે આવી છે. ઘણા સમય પછી મગફળીના ભાવ ૨૦૨૦ના વર્ષ જેવી સપાટીએ પહોંચતા ખેડૂતોના ચહેરા પર ફરીથી આશાનો પ્રકાશ દેખાયો છે. ગઈકાલે મગફળીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવતાં આજે વહેલી સવારથી જ જામજોધપુર યાર્ડમાં લગભગ ૩૫,૦૦૦ ગુણી જેટલી…