રાધનપુર: સરકારી રેફરલ હોસ્પિટલની મનમાની આવી સામે….

રાધનપુરના સાંથલી ગામના રહેવાશી ભાવાભાઇ ઠાકોર આવ્યા હતાં સારવાર અર્થે સરકારી હોસ્પિટલ…

હોસ્પિટલમાં હાજર સ્ટાફની ગેરવર્તણુક..

પેશન્ટનને પેટની તકલીફ હોય સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ આવ્યા હતાં…

સરકારી હોસ્પિટલમા આવેલ દર્દીની દવા નહિ કરતા સતત 2 કલાક સુધી પેસન્ટ હોસ્પિટલમા બેસી રહેવા મજબુર બની આખરે પ્રાઇવેટ હોસ્પિટલ પહોંચતા દવા શરુ કરાઈ હતી…

રેફરલ હોસ્પિટલમાં હાજર નર્સની ગેરવર્તણુક આવી સામે..

રેફરલ હોસ્પિટલમા હાજર સ્ટાફ અને નર્સએ સાંજના 4 વાગ્યાં સુધી દવા નહિ થાય તેવું કહેતા પેસન્ટની સાથે આવેલ સગાએ દુખાવાની દવા કે રાહત પૂરતું ઈન્જેકશન આપવા કહેલ જે બાદ પણ કોઈવાત સાંભળવામાં નહિ આવતા આખરે મજબુર બની પેસન્ટને સગાએ અન્ય પ્રાઇવેટ હોસ્પિટલ મા લઇ જવા મજબુર બનવું પડ્યું હતું …

રાધનપુર રેફરલ હોસ્પીટલ ની ઘોર બેદરકારી કહી શકાય કે કદાચ કોઈ આ સમયમાં ઇમર્જન્સી પેશન્ટ આવે તો હોસ્પિટલ ની તાનાશાહી જોતા પેશન્ટ ની શુ હાલત બને જે સવાલો ઉભા થઈ રહ્યા છે…!!

સરકારી હોસ્પિટલ માં હાજર સટાફ કહે છે કે ચાર વાગ્યાં સુધી તો પેશન્ટની દવા નહિ થાય.. અને જવાબ આપે છે કે તમારા થી થાય એ કરી નાખો બાકી હાલ દવા નહિ થાય.. ત્યારે આ સાંભળીને લાગી રહ્યું છે કે રાધનપુરની સરકારી હોસ્પિટલમા ચોક્કસ અહીં તાનાશાહી જોવા મળી રહી છે.

આ વાતને લઈને ગામના સરપંચ રેફરલ હોસ્પિટલ પહોંચી હોસ્પિટલ ના સ્ટાફ સહીત નર્સ જોડે વાત કરતા સરપંચને પણ નર્ષ દ્વારા અયોગ્ય જવાબ મળ્યો હતો.


ગીરમાં ઉતરાયણના દિવસે આપનેતા પ્રવીણ રામે જાહેર કરેલા પ્રોગ્રામ અંતર્ગત ઠેર ઠેર…

ગીરમાં ઉતરાયણના દિવસે આપનેતા પ્રવીણ રામે જાહેર કરેલા પ્રોગ્રામ અંતર્ગત ઠેર ઠેર અલગ રીતે વિરોધ સાથે ઉતરાયણનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે

ઉતરાયણના દિવસે ગીરના તમામ ગામડાઓમાં ઇકોઝોન હટાવો ના નારા સાથેના પતંગો ચગાવી ઉત્તરાયણની અલગ રીતે ઉજવણી કરવા પ્રવીણ રામ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું

ત્યારે આ આહવાનને ધ્યાને લઇ તાલાલા, મેંદરડા અને વિસાવદરમાં વહેલી સવારથી યુવાનો અને નાના નાના ભૂલકાઓ ઉતસાહ સાથે ઇકોઝોન હટાવો ના નારા સાથે પતંગો ચગાવતા નજરે પડી રહ્યા છે

આ વિરોધમાં નાના ભૂલકાઓ પણ બાકાત રહ્યા નથી, નાના ભૂલકાઓ ઇકોઝોન નબુદના બેનરો સાથે ડાન્સ કરી રહ્યા છે અને રાજવીર રામ નામનો નાનો બાળક ભાજપ સરકારને ઇકોઝોન નાબૂદ કરવા માટે અપીલ કરતો જોવા મળે છે

પ્રવીણ રામના આ આહવાન બાદ વહેલી સવારથી રાજુભાઇ બોરખતરીયા,હરેશભાઈ સાવલિયા,દિનેશભાઈ પટેલ ,વિજય હીરપરા તેમજ અન્ય આગેવાનો આ આયોજનને સફળ બનાવવા કામે લાગી ગયા છે

આ પ્રોગ્રામ બાબતની પ્રતિક્રિયા આપતા પ્રવીણ રામે જણાવ્યું કે આ પ્રોગ્રામથી અમે સરકારને ઇકોઝોન સદંતર નાબૂદ કરવા સપષ્ટ સંદેશ આપીએ છે