શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યા વિના પણ શૈક્ષણિક સંસ્થાઓ થકી શિક્ષણ જ્યોત પ્રજ્વલિત રાખનાર કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગુરુવંદના સ્નેહ મિલન સમારોહ 2025 યોજાયો

સરકારી અધ્યયન મંદિર ધ્રોલ અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર ના પૂર્વ તાલીમાર્થી સ્નેહ મિલન સમારોહ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે યોજાયો જેના માર્ગદર્શક તરીકે પ્રફુલ્લ બા જાડેજા અને કન્વીનર તરીકે ચંદ્રકાંત ખાખરીયા તેમજ આયોજક સમિતિમાં સભ્ય તરીકે પરેશભાઈ અજુડિયા, રાજેશભાઈ ભેંસદડિયા, અમિતભાઈ સોની, વિમલભાઈ નકુમ, ડેનિશભાઈ ઘેટીયા અને ચિરાગ સચાણિયા જોડાયા અને સમગ્ર કાર્યક્રમની સફળતામાં ડાયેટ જામનગરના સ્ટાફે પણ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
સરકારી અધ્યાપન વિદ્યા મંદિર, ધ્રોલ (1960-1995) અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જામનગર (1995-2015)માં પી.ટી.સી. તાલીમ પ્રાપ્ત કરેલા 250થી વધુ પૂર્વ તાલીમાર્થીઓ એકઠા થયા. આ તાલીમાર્થીઓ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સેવા આપી રહ્યા છે. તેઓએ પોતાના તત્કાલીન પ્રાધ્યાપકોને મળીને આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી, ગુરુવંદના કરવાનું સૌભાગ્ય સાંપડ્યું.
આ કાર્યક્રમમાં રાજકોટ ડી.પી.ઇ.ઓ. શ્રી દીક્ષિતભાઈ પટેલ, ડી.પી.ઇ.ઓ. જામનગર શ્રી વિપુલભાઈ મહેતા, ડી.પી.ઇ.ઓ. દેવભૂમિ દ્વારકા શ્રી મધુબહેન ભટ્ટ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્રી ફાલ્ગુનીબહેન પટેલ હાજર

YouTube player

કાર્યક્રમ:

  • તા. 29-03-2025 શનિવારે રાત્રે 9:30 કલાકે લોક ડાયરો માણ્યો જેનું સફળ સંચાલન હરીદેવ ગઢવી સુંદર રીતે કર્યું. આ ડાયરામાં ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ સહ પરિવાર હાજરી આપી અને બધા સાથે ડાયરો માણ્યો. અંતે સૌ પૂર્વ તાલીમાર્થી મિત્રોએ ગરબા રમીને ખૂબ મજા કરી.
  • તા. 30-03-2025 સવારે 10:00 કલાકે ગુરુવંદના અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે અધ્યક્ષ તરીકે હાજરી આપી. તેમણે પોતાના જૂના દિવસોની યાદો તાજી કરી જેમાં પોતાના પી.ટી.સી. ના સંસ્મરણ સંભાર્યા તથા પોતાની જીવનયાત્રા અંગે મુક્ત મને વાતો સૌ મિત્રો સાથે કરી અને પોતાના ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. વિશેષમાં તેઓએ જણાવ્યું કે પી.ટી.સી કર્યા પછી પોતે જાહેર જીવનમાં રાજકારણમાં સફળતાના શિખરો સર કર્યા પરંતુ પોતે શિક્ષક ન બની શક્ય તેનો અફસોસ હંમેશા રહે છે પરંતુ તેઓએ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને તાલીમી સંસ્થાઓ સ્થાપીને પોતાની અંદરના એક શિક્ષકને જીવંત રાખ્યો છે.
  • આ તકે વિશિષ્ટ પ્રતિભા ધરાવતા પૂર્વ તાલીમાર્થીનું સન્માન પણ કરાયું જેમાં સાત વખત ધારાસભ્ય પદ અને પાંચ વખત મંત્રીપદ શોભાવનાર શ્રી રાઘવજીભાઈ પટેલ, રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે વર્ગ-1 ની જવાબદારી સંભાળતા શ્રી દીક્ષિતભાઈ પટેલ, વર્ષ 2024 માં રાજ્યપાલ હસ્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવનાર શ્રી ભારતસિંહ બાદરસિંહ રાઠવા તેમજ વિમલભાઈ પરસોત્તમભાઈ નકુમ કે જેઓએ 2018માં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અને ચિત્રકૂટ એવોર્ડ ઉપરાંત 2017 માં સાંદીપની ગુરુ ગૌરવ એવોર્ડ પણ મેળવ્યો છે તેઓનું સૌએ ખેસ અને મોમેન્ટો આપી સન્માન કર્યું.
  • વર્ષ 1960 થી 2015 સુધીના પૂર્વ પ્રાચાર્ય અને પ્રાધ્યાપકોમાં શ્રી આર. એચ. ચૌહાણ, શ્રી રતિલાલ લિખિયા, ડો. એ. આર. ભરડા, શ્રી એમ. બી. પટેલ, શ્રી જે. ટી ઉપાધ્યાય, શ્રી કે. વી. ચાવડા, શ્રી જાગૃતિબેન ભટ્ટ, શ્રી ખ્યાતિબેન કચ્છી, શ્રી લિનાબેન ઉપાધ્યાય, શ્રી નિરાલીબેન જોષી, શ્રી જી. જી. પરમાર, ડો. પ્રફુલ્લાબા જાડેજા અને શ્રી જી. એન પોંકિયાનું તેઓના પૂર્વ તાલીમાર્થીઓએ વંદના કરી અને શાલ તથા મોમેન્ટો આપી સન્માન કર્યું અને તેઓએ પોતાના ભૂતપૂર્વ તાલીમાર્થીઓ સાથે પોતાના સંસ્મરણો વાગોળ્યા.
  • બપોરે 1:00 કલાકે સૌએ સાથે પ્રીતિભોજન માણ્યું.
  • ત્યારબાદ ડાયેટ, જામનગરના મેદાનમાં એક વટવૃક્ષ વાવવાની વિધિ યોજાઈ, જેમાં એક વડલાનું વૃક્ષ વાવવામાં આવ્યું.
  • અંતે, સૌ પૂર્વ પ્રાધ્યાપકો તરફથી તમામ તાલીમાર્થીઓને એક પ્રતિક યાદગીરી રૂપે ચાંદીનું બીલીપત્ર અર્પણ કરાયું અને સૌ મીઠી યાદોનું સંભારણું અને ખુશી સમેટીને ફરી જલ્દી મળવાના આયોજન સાથે વિદાય લીધી.

ચૈત્રી નવરાત્રી હિન્દુ સંસ્કૃતિનું મહત્વ અને વિશેષ અનુષ્ઠાન કરતા લીમધ્રાના રામદાસ બાપુ

વિસાવદર, લીમધ્રા – હિન્દુ સંસ્કૃતિમાં ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ છે આ પવિત્ર અવસરે ભક્તિ,સાધના અને આધ્યાત્મિક શાંતિ માટે દેશભરમાં અનેક પૂજા-પાઠ અને યજ્ઞોનું આયોજન કરવામાં આવે છે. નવગ્રહોની અનુકૂળતા માટે ખાસ પ્રાર્થનાઓ અને હવન કરવામાં આવે છે જે ભક્તો માટે આધ્યાત્મિક ઉન્નતિ અને કલ્યાણકારક માનવામાં આવે છે.

વિસાવદર તાલુકાના લીમધ્રા ગામે પરમ પૂજ્ય રામદાસ બાપુના માર્ગદર્શન હેઠળ વિશેષ અનુષ્ઠાન શરૂ કરાયું છે.આ અનુષ્ઠાન અંતર્ગત નવ દિવસીય હવન, નવચંડી યજ્ઞ અને દિવ્ય સંકીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે.સ્થાનિક ભક્તો તેમજ આસપાસના ગામોના શ્રદ્ધાળુઓ આ કાર્યક્રમમાં ઉમંગભેર જોડાઈ રહ્યા છે.આ પ્રસંગે ધાર્મિક ઉપદેશ અને સંસ્કૃત શ્લોકોના પાઠ દ્વારા શાંતિ અને સંમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

સનાતન ધર્મમાં ગાય માતાનું પણ આગવું મહત્વ છે.ગાય માતા માત્ર આધ્યાત્મિક દ્રષ્ટિએ જ નહીં,પરંતુ પર્યાવરણ અને આરોગ્ય માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ અનુષ્ઠાનમાં ગાય માતાની રક્ષા માટે પણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.વિશેષ કરીને,યજ્ઞમાં ગાયના છાણ અને ઘીનો ઉપયોગ કરવામાં આવે છે, જે અત્યંત પવિત્ર અને શુદ્ધ માનવામાં આવે છે.ગૌયજ્ઞના માધ્યમથી આધ્યાત્મિક તેમજ પર્યાવરણને અનુકૂળ પ્રભાવ પ્રાપ્ત થાય છે.

હોમાત્મક વિધિમાં તલ અને જવનો પણ ઉપયોગ કરવામાં આવે છે,જે હવન દરમિયાન હવાની શુદ્ધતા અને પર્યાવરણમાં સકારાત્મક ઉર્જા ફેલાવવા માટે મહત્વપૂર્ણ છે.આ પ્રક્રિયા પર્યાવરણને શુદ્ધ રાખવા અને પ્રાણવાયુમાં પવિત્રતા લાવવા માટે જાણીતી છે.

મહત્વનું છે કે ચૈત્રી નવરાત્રી દરમિયાન લીમધ્રા ગામે રાત્રિના સમયે નવદુર્ગા સ્વરૂપ નાની નાની બાળાઓ કે જેને આપણે કુવારકા દીકરીઓ કહીએ છીએ તેમના માટે ખાસ રાસગરબાનું પણ આયોજન કરવામાં આવે છે. આ રાસગરબા માત્ર માતાજીની આરાધના અને ભક્તિ માટે રાખવામાં આવે છે, જ્યાં દીકરીઓ ભક્તિભાવથી જોડાઈને માતાજીની આરાધના કરે છે. આ પરંપરા મહિલા શક્તિ અને આધ્યાત્મિક જોડાણનું પ્રતીક છે, જે નવરાત્રીને વધુ પવિત્ર અને ભવ્ય બનાવે છે.

આવી ધાર્મિક પ્રવૃત્તિઓ સનાતન હિન્દુ ધર્મ અને સંસ્કૃતિની પવિત્રતા અને મહત્તાને ઉજાગર કરે છે.જે ભક્તો આ અનુષ્ઠાનમાં જોડાવા ઈચ્છે તેઓ લીમધ્રા ગામે આવી આ પવિત્ર પ્રસંગનો લાભ લઈ પુણ્યનું ભાથુ બાંધી શકે છે.

ઉદય પંડ્યા દ્વારા

વિધાનસભા ખાતે આયોજિત રાજ્ય યુવા સંસદમાં પ્રતિનિધિત્વ કરતો અક્ષય ગરૈયા

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, નહેરુ યુવા કેન્દ્ર સંગઠન તેમજ રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા તારીખ 29/03/2025 ના રોજ ગાંધીનગરમાં વિધાનસભા ખાતે વિકસિત ભારત રાજ્ય યુવા સંસદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વિવિધ

જિલ્લાઓમાંથી આવેલ યુવાઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલ અક્ષય ગરૈયા એ પણ આ કાર્યક્રમમાં સહભાગીતા કરી હતી. જે અંતર્ગત તેઓએ ગુજરાતના યુવાઓ સમક્ષ પોતાના વિચારો રજૂ કરવાની સાથો સાથ વિધાનસભાના માનનીય સ્પીકર શ્રી શંકરભાઈ ચૌધરી સાથે સંવાદ કર્યો હતો. અક્ષયે અગાઉ પણ યુવા સંસદ, યુવા ઉત્સવ તેમજ યુવા સંગમ જેવા કાર્યક્રમોમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું છે.

ધંધુકા-રાયકા હાઈવે પર કાર અકસ્માત : બ્રેઝા અને અલ્ટો કાર વચ્ચે ટક્કર, બેના મૃત્યુ, બે ઈજાગ્રસ્ત

ધંધુકા-રાયકા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બ્રેઝા અને અલ્ટો કાર વચ્ચે થયેલી ટક્કરમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા તો બે વ્યકિતઓ ને ઈજા પહોચતા તેમને સારવાર અર્થે ધંધુકા ની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

બનાવની પ્રાપ્ત માહીતી અનુસાર મહારાસ્ટ્ર ના સતારા જીલ્લા ના વડુથ ગામના ના ગોડકે પરીવારને ધંધુકા ના રાયકા ગામ પાસે ગોજારો એકસ્માત નડ્યો હતો. મહારાષ્ટ્રના સતારા થી આયુર્વેદીક દવા બનાવવા માટે મળતા કાસ્ય નો ઘોડો લેવા માટે ઉતમ ગોડકે, તેમની પત્નિ મેધા ગોડકે અને માનેલા ભાઈ સંજય ગોડસે નીકળ્યા હતા તેઓએ રસ્તામાંથી મહારાષ્ટ્ર ના નીરા ગામથી મુળ રોહીસાળા ના વતની સવીતાબેન ને સાથે લઈ પોતાની અલ્ટો કાર MH12CD7138 લઈને ગુજરાત માં રોહીશાળા આવવા માટે નીકળ્યા હતા. જેઓ ધંધુકા પાસે રાયકા ફાટક ની નજીક જઈ રહ્યા હતા તેવામાં સામેથી આવતી બ્રેજા કાર GJ38B4387 સાથે અઠડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો

અકસ્માતની જાણ થતાં તરત જ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ધંધુકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક ઈજાગ્રસ્તની સ્થિતિ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે ભાવનગર રેફર કરવામાં આવ્યા હતા. આ અક્સમાતમાં અલ્ટો કાર ના ચાલક ઉત્તમ નિવૃતિ બોડકે ઉ.વ 53 રહે.વડુથ, સતારા અને બાજુમા બેઠેલા સંજય નંદકુમાર ગોડસે ઉ.વ. 43 રહે. કાર્વાદોસી તા.તાવલી- સતારા નું કરુણ મૃત્યુ નિપજ્યુ હતું તો પાછળ બેઠેલા સવીતાબેન બચુભાઈ સાથળીયા ને પગના ભાગે ગંભીર ઈજા પહોચતા તેમને ભાવનગર ની સર ટી હોસ્પીટલ ખાતે ખસેડવમાં આવ્યા હતા. મેઘા ગોડકે ને સામાન્ય ઈજા પહોચતા તેમની ધંધુકા સરકારી દવાખાના ખાતે પ્રાથમીક સારવાર આપવામાં આવી હતી.

બનાવ ની જાણ થતા ધંધુકા પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. પોલીસે અકસ્માત અંગે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માતના ચોક્કસ કારણો અને સંજોગો અંગે પોલીસ તપાસ કરી રહી છે.

રિપોર્ટર – કૃણાલ સોમાણી , ધંધુકા