હીરાસર એરપોર્ટ પર ભવ્ય સ્વાગત બાદ PM મોદી સોમનાથ જવા રવાના, ગુજરાત પ્રવાસે રાજકીય-ધાર્મિક મહત્ત્વ
રાજકોટ, ગુજરાત – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસના પ્રથમ તબક્કામાં રાજકોટના નવનિર્મિત હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમના આગમન સાથે જ સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને ઉત્સવમય બની ગયું હતું. રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ પ્રધાનમંત્રીનું આત્મીય સ્વાગત કર્યું હતું. સુરક્ષા વ્યવસ્થાની કડક ગોઠવણ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓ…