જામનગર જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટર પી.બી. પંડ્યાનો પ્રજાલક્ષી અભિગમ: 26માંથી 24 ફરિયાદોનો સ્થળ પર જ ઉકેલ, ગ્રામ્ય સુવિધાઓથી લઈ સ્માર્ટ મીટર સુધીના પ્રશ્નો પર ત્વરિત કાર્યવાહી.
જામનગર જિલ્લામાં પ્રજાના પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર વધુ જવાબદાર અને સંવેદનશીલ બનતું જાય છે તેવો સ્પષ્ટ સંદેશ જિલ્લા કલેક્ટર શ્રી પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાયેલા ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’માંથી સામે આવ્યો છે. જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલા આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં કુલ 26 રજૂઆતોમાંથી 24 ફરિયાદોનો સ્થળ પર…