મુંબઈમાં રખડતા શ્વાનોની વધતી સંખ્યાએ ચિંતા વધારી – નગરસેવકો દ્વારા વંધીકરણ અને રેબિઝ રસીકરણ અભિયાન મજબૂત કરવાની માંગ.
મુંબઈ શહેરમાં રખડતા શ્વાનોની વધતી સંખ્યાનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. નાગરિકોની સુરક્ષા અને જાહેર આરોગ્ય માટે આ મુદ્દો ગંભીર બનતો જાય છે. નવા ચૂંટાયેલા નગરસેવકોનું માનવું છે કે શહેરમાં રખડતા શ્વાનોની સંખ્યા ઘટાડવા માટે પાલિકા દ્વારા કરવામાં આવતા પ્રયત્નો પૂરતા નથી અને વધુ અસરકારક પગલાં લેવા જરૂરી છે. આ મુદ્દે ખાસ કરીને…