આવક પ્રમાણપત્ર પ્રક્રિયામાં મોટો ફેરફાર હવે સોગંદનામું ફરજિયાત – ખોટી માહિતી આપનાર સામે કડક કાર્યવાહી; ઓનલાઈન સિસ્ટમથી નાગરિકોને મળશે મોટી રાહત.
રાજ્ય સરકારે આવક પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ અને વ્યાપક ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી આવક પ્રમાણપત્ર મેળવવા માટે નાગરિકોને અનેક દસ્તાવેજો સાથે સરકારી કચેરીઓના ચક્કર કાપવા પડતા હતા, પરંતુ હવે નવી વ્યવસ્થામાં પ્રક્રિયા વધુ પારદર્શક, સરળ અને સમય બચત કરતી બનશે. આ નવા નિયમ મુજબ અરજદારે પોતાની આવક અંગે સોગંદનામું (અફિડેવિટ) આપવું ફરજિયાત…