આજે 18 મે, આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ ઈતિહાસ, વારસો અને સંસ્કૃતિની જાળવણી કરતા અભૂતપૂર્વ મ્યૂઝિયમ

ગુજરાતમાં છેલ્લા અઢી દાયકામાં નિર્મિત કરવામાં આવ્યા રાજ્યના ઇતિહાસ, વારસો અને સંસ્કૃતિની જાળવણી કરતા 

 

ગાંધીનગર,  મ્યુઝિયમ એટલે એવું સ્થળ કે જ્યાં સંબંધિત દેશ કે રાજ્યની ઐતિહાસિક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક અને કલાત્મક મહત્વ ધરાવતી વિવિધ ચીજવસ્તુઓને એકત્રિત કરીને લોકો સમક્ષ પ્રદર્શિત કરવામાં આવે છે, જે લોકો માટે શૈક્ષણિક અને જ્ઞાનવર્ધક સ્થળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યુઝિયમની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું છે કે, “મ્યુઝિયમ હકીકતો અને પુરાવાઓ આધારિત વાસ્તવિકતા રજૂ કરે છે. તે આપણને ભૂતકાળમાંથી પ્રેરણા પૂરી પાડે છે, અને ભવિષ્ય પ્રત્યેની આપણી ફરજો પ્રત્યે આપણને સભાન કરે છે.” તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રવર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 2 દાયકામાં ગુજરાતમાં વિવિધ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે રાજ્યના ઇતિહાસ અને સંસ્કૃતિને વિશ્વના લોકો સમક્ષ ઉજાગર કરે છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતના વડનગર ખાતે ભારતના સૌપ્રથમ આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે પ્રાચીનતમ વડનગર શહેરનો ભવ્ય ઇતિહાસ પ્રદર્શિત કરે છે.

ઉલ્લેખનીય છે કે, 18 મે નો દિવસ ‘ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે’ તરીકે ઊજવવામાં આવે છે, જેની વર્ષ 2025 માટેની થીમ છે ‘ધ ફ્યુચર ઑફ મ્યુઝિયમ્સ ઇન રેપિડલી ચેન્જિંગ કોમ્યુનિટીઝ’ એટલે કે, ઝડપથી બદલાઈ રહેલા સમુદાયોમાં મ્યુઝિયમનું ભવિષ્ય. આ થીમ એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે, મ્યુઝિયમ કેવી રીતે સામાજિક, તકનીકી અને પર્યાવરણીય બદલાવોમાંથી પસાર થઈ રહેલા વિશ્વમાં અનુકૂલન સાધી શકે છે, નવીનીકરણ કરી શકે છે અને યોગદાન આપી શકે છે. ગુજરાતમાં છેલ્લા 2 દાયકામાં નિર્મિત કરવામાં આવેલા કેટલાંક વિશિષ્ટ અને પ્રખ્યાત મ્યુઝિયમ વિશે માહિતી મેળવીએ.

વડનગર ખાતે ભારતનું પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ

વડનગર ખાતે નવનિર્મિત આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ ભારતનું આ પ્રકારનું પ્રથમ મ્યુઝિયમ છે, જેનો ઉદ્દેશ અહીં ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલા પુરાતત્વીય પદાર્થો મારફતે વડનગરના બહુસ્તરીય સાંસ્કૃતિક ઇતિહાસને ઉજાગર કરવાનો અને 2500 વર્ષોથી પણ વધુ સમયથી આ શહેરમાં થતી રહેલી માનવ ઉત્ક્રાંતિને પ્રદર્શિત કરવાનો છે. આ મ્યુઝિયમ 13,525 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે, જે પુરાતત્વીય ખોદકામ દરમિયાન મળેલી અંદાજિત 7000થી વધુ કલાકૃતિઓને પ્રદર્શિત કરે છે. મ્યુઝિયમમાં વિવિધ સમયગાળાની, કલાઓ, શિલ્પો અને આ વિસ્તારની ભાષાને પ્રદર્શિત કરતી 9 થીમેટિક ગેલેરીઓ બનાવવામાં આવી છે.

આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ

વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમોની યાદીમાં સામેલ ભુજનું સ્મૃતિવન ભૂકંપ સ્મારક

ગુજરાતમાં 2001માં આવેલા ભૂકંપ દરમિયાન કચ્છમાં જીવ ગુમાવનારા નાગરિકોની સ્મૃતિમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સ્મૃતિવન ભૂકંપ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે. 470 એકર વિસ્તારમાં ફેલાયેલા સ્મૃતિવનમાં વિશાળ મિયાવાકી જંગલ આવેલું છે. અહીંયા 50 ચેકડેમ છે, અને શ્રદ્ધાંજલિ તરીકે કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી ચેકડેમની દીવાલો પર મૂકવામાં આવી છે. અહીં 2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી ભૂકંપની પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવે છે. યુનેસ્કો દ્વારા સ્મૃતિવનને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે

ભુજનું સ્મૃતિવન ભૂકંપ સ્મારક

દાંડી કુટિર, ગાંધીનગર

ગાંધીનગરમાં સ્થિત દાંડી કુટિર એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન પર આધારિત ભારતનું પ્રથમ હાઇટેક અને અત્યાધુનિક મ્યુઝિયમ છે. દાંડી કુટિર એ 41 મીટરનો શંકુ આકારનો સફેદ ગુંબજ છે, જે મીઠાના ઢગલાનું પ્રતીક છે. આ ગુંબજ બ્રિટિશ શાસન દ્વારા લાદવામાં આવેલા મીઠાના કરની સામે વિરોધ પ્રદર્શિત કરવા ગાંધીજીએ 1930માં જે દાંડીકૂચ કરી હતી, તેના પ્રતીકરૂપે ઊભો છે. દાંડી કુટિરમાં ગાંધીજીના જન્મથી મૃત્યુ સુધીના દરેક વૃત્તાંતોને તકનીકી માધ્યમથી દર્શાવવામાં આવ્યા છે. અહીંયા મુલાકાતીઓ 3D મેપિંગ, હોલોગ્રાફી, 360 ડિગ્રી પ્રોજેક્શન અને પારદર્શક LED સ્ક્રીન જેવી ટેકનોલોજી થકી ગાંધીજીનું જીવનચરિત્ર નિહાળી શકે છે.

દાંડી કુટિર

શ્યામજીકૃષ્ણ વર્મા મેમોરિયલ

કચ્છના માંડવીમાં જન્મેલા ભારતના મહાન ક્રાંતિકારી શ્યામજીકૃષ્ણ વર્માના અસ્થિકળશ જિનિવાથી સ્વદેશ લાવ્યા બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ માંડવી ખાતે વર્ષ 2010માં શ્યામજીકૃષ્ણ વર્મા મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ક્રાંતિતીર્થમાં આઝાદીની લડતના 1857થી 1947 સુધીના 90 વર્ષની ઐતિહાસિક પ્રમુખ ઘટનાઓની તવારીખ અને ક્રાંતિકારી દેશભકતોના સચિત્ર સમર્પણની ગાથા પ્રસ્તુત કરવામાં આવી છે. શ્યામજીકૃષ્ણ વર્માએ સશસ્ત્ર ક્રાંતિથી આઝાદી મેળવવાના સંકલ્પ તરીકે લંડનમાં જે ઇન્ડિયા હાઉસ ઊભું કર્યું હતું, તેની પ્રતિકૃતિ પણ અહીં સ્મારક તરીકે મૂકવામાં આવી છે.

શ્યામજીકૃષ્ણ વર્મા મેમોરિયલ

સ્ટેચ્યૂ ઑફ યુનિટી મ્યુઝિયમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’નું લોકાર્પણ કર્યું હતું. સ્ટેચ્યૂ ઑફ યુનિટી પ્રોજેક્ટના ભાગરૂપે 2018માં સ્ટેચ્યુ ઑફ યુનિટી મ્યુઝિયમનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમ અને એક્ઝિબિશન હોલ સરદાર સાહેબની વિશાળ પ્રતિમાના નીચેના ભાગમાં સ્થિત છે, જ્યાં ઑડિઓ-વિઝ્યુઅલ પ્રદર્શનો, હોલોગ્રામ અને ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો છે. આ ઉપરાંત, આ મ્યુઝિયમમાં આદિવાસી સંસ્કૃતિ અને પ્રાદેશિક વારસા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

શ્રીસ્થળ સંગ્રહાલય, સિદ્ધપુર

શ્રીસ્થળ સંગ્રહાલય, સિદ્ધપુર

શ્રીસ્થળ સંગ્રહાલય પાટણના સિદ્ધપુરમાં બિંદુ સરોવર સંકુલની નજીક આવેલું છે અને તે સામાન્ય લોકો માટે સિદ્ધપુર મ્યુઝિયમ અથવા બિંદુ સરોવર મ્યુઝિયમ તરીકે જાણીતું છે. વર્ષ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રાજ્યના તત્કાલીન પ્રવાસન મંત્રીશ્રીએ આ સંગ્રહાલયના નિર્માણની દરખાસ્ત કરી હતી અને 2017માં આ મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમ સિદ્ધપુરના વૈભવી ઇતિહાસને પ્રદર્શિત કરે છે. આ મ્યુઝિયમમાં ત્રણ ગેલેરીઓ છે, જેમાં તીર્થ ગેલેરી, ઇતિહાસ ગેલેરી અને સમાજ ગેલેરીનો સમાવેશ થાય છે.

 

આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ

નિર્માણાધીન લોથલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિરાસત ભી, વિકાસ ભી’ના વિઝનને સાકાર કરવા માટે લોથલ ખાતે ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’નું નિર્માણ થઈ રહ્યું છે. પાંચ હજાર વર્ષ પહેલાં ભારત કેવી સભ્યતા ધરાવતું રાષ્ટ્ર હતું, કેવી રીતે વૈશ્વિક વ્યાપાર કરાતો હતો, તેનું જીવંત નિદર્શન આ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં કરવામાં આવશે. મ્યુઝિયમમાં હડપ્પન આર્કિટેક્ચર અને જીવનશૈલીને ફરીથી ઉજાગર કરવા માટે લોથલ મિની રિક્રિએશન ઉપરાંત ‘મેમોરિયલ થીમ પાર્ક’, ‘મેરિટાઇમ અને નેવી થીમ પાર્ક’, ‘ક્લાઇમેટ થીમ પાર્ક’ ‘તેમજ એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ થીમ પાર્ક’ જેવા ચાર થીમ પાર્કનું નિર્માણ કરવામાં આવશે. હડપ્પીય સમયથી આજ સુધીના ભારતના સમુદ્રી વારસા પર પ્રકાશ પાડતી 14 ગેલેરીઓ તેમજ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ સમુદ્રી વારસાને પ્રદર્શિત કરતું કોસ્ટલ સ્ટેટ્સ પેવેલિયન પણ અહીં રાખવામાં આવશે.

આગામી સમયમાં ગુજરાતમાં નિર્માણ થનાર સૂચિત સંગ્રહાલયો

આગામી સમયમાં કેટલાક વિશિષ્ટ મ્યુઝિયમોનું ગુજરાતમાં નિર્માણ થશે. આ સૂચિત મ્યુઝિયમો નીચે મુજબ છે.

• મ્યુઝિયમ ઑફ રોયલ કિંગડમ્સ ઑફ ઇન્ડિયા, એકતાનગર
• ગુજરાત વંદના મ્યુઝિયમ, એકતાનગર • નેશનલ ટ્રાયબલ મ્યુઝિયમ, એકતાનગર • વીર બાળક ઉદ્યાન, એકતાનગર • તાના રીરી મ્યુઝિક મ્યુઝિયમ, વડનગર • દ્વારકા સંગ્રહાલય, દ્વારકા • શ્રી ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમ, ચોટીલા

https://www.instagram.com/samay__sandesh/

આ ઉપરાંત, રાજ્ય સરકાર જૂના મ્યુઝિયમોને અપડેટ કરીને તેમને આંતરરાષ્ટ્રીય સ્તરના મ્યુઝિયમોમાં પરિવર્તિત કરવા માટે પણ કામ કરી રહી છે. સાપુતારા ખાતે ટ્રાયબલ મ્યુઝિયમ તેમજ પાટણમાં સ્થિત મ્યુઝિયમ કે જેને રાજમાતા નાયિકાદેવી સંગ્રહાલય નામ આપવામાં આવ્યું છે, તેને અપડેટ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જ્યારે બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી, રાજકીય સંગ્રહાલય, જૂનાગઢ, તેમજ વોટસન મ્યુઝિયમ, રાજકોટને આંતરરાષ્ટ્રીય સ્તરના મ્યુઝિયમો બનાવવા માટેની કામગીરી પ્રગતિ હેઠળ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત પોતાના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાનું જતન કરવા તેમજ તેને વિશ્વના લોકો સમક્ષ ઉજાગર કરવા માટે પ્રતિબદ્ધ છે.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

જામનગર જીલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

જામનગર તા.૧૭ મે, જામનગર જીલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ધારાસભ્યોશ્રી મેઘજીભાઈ ચાવડા તથા હેમંતભાઈ ખવા દ્વારા રજૂ કરવામાં આવેલ લોક પ્રશ્નો અને રજૂઆતો ધ્યાને લઇ આયોજનબદ્ધ કામગીરી કરવા કલેકટરશ્રીએ લગત અધિકારીશ્રીઓને સુચના આપી હતી.

જામનગર જીલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

આ બેઠકમાં અગાઉના પડતર પશ્નો અંગે ચર્ચા કરી બેઠકમાં રજુ થયેલા વિવિધ વિભાગોને લગત પ્રશ્નો જેમાં જમીન માપણી અંગેના પ્રશ્નો, વીજ વાડી વિસ્તારમાં વીજ કનેક્શન આપવા અંગે, રોડ રસ્તાઓ તથા બ્રીજ બનાવવાના કામો અને તેનું હાલનું સ્ટેટ્સ, સિંચાઈ વિભાગ,બી.એસ.એન.એલ., જી.એસ.આર.ટી.સી., જમીન શાખા, જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીની કચેરીને લગત પ્રશ્ન, જમીન શાખા, ફોજદારી શાખા, જીલ્લા પંચાયતને લગત પ્રશ્નો, વન વિભાગ, ખાણ ખનીજ વિભાગ, કોર્પોરેશન વગેરેને લગત પ્રશ્નો અને લોકોની રજુઆતો અંગે જન પ્રતિનિધિશ્રીઓએ ચર્ચા કરી હતી.

https://www.instagram.com/samay__sandesh/

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ સંકલન સમિતિના સભ્યોને સૂચન કરતા જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિશ્રીઓ તથા લોકો તરફથી આવેલી રજુઆતો ધ્યાને લઇ કામોને અગ્રતા આપી તેનો સકારાત્મક દિશામાં ઉકેલ લાવવામાં આવે. તેમજ પડતર કામોનો ઝડપથી નિકાલ લાવવા જણાવ્યુ હતું. આ બેઠકમાં રાશનકાર્ડ ઈ-કેવાયસી, પ્રિ-મોન્સુન કામગીરી અંગે લગત વિભાગોએ એક્શન પ્લાન તૈયાર કરવા વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, જીલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલું, નાયબ વન સંરક્ષકશ્રી ડૉ.સુનીલ કુમાર બેરવાલ, નિવાસી અધિક કલેકટરશ્રી બી.એન.ખેર સહિત સંકલન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

કચ્છીજનોની ખુમારી અને ભૂકંપ બાદ વડાપ્રધાનના વિઝનથી કચ્છના સર્વાંગી વિકાસને બિરદાવતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ

કચ્છીજનોની ખુમારી અને ભૂકંપ બાદ વડાપ્રધાનના વિઝનથી કચ્છના સર્વાંગી વિકાસને બિરદાવતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ

ભુજ: કચ્છની મુલાકાતે પધારેલા દેશના સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથ સિંહે ભુજના સ્મૃતિવન મ્યૂઝિયમ એન્ડ મેમોરિયલની મુલાકાત લઈને ભૂકંપના દિવંતગોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અને ભૂકંપના દિવંગતોની યાદમાં નિર્મિત સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત દરમિયાન ભારતના સંરક્ષણ મંત્રીએ જીવસૃષ્ટિની ઉત્પતિ, માનવજીવનો ક્રમિક વિકાસ, દુનિયાની ઉત્પત્તિથી માંડીને કુદરતી આપદાઓ, આફતો સામેની ભવિષ્યની તૈયારીઓ વિશેની વિગતો મેળવી હતી. આ ઉપરાંત ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતીના વિવિધ ચાર્ટ, મોડેલ નિહાળીને સંરક્ષણ મંત્રી પ્રભાવિત થયા હતા.

સ્મૃતિવનની મુલાકાત બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આકાર પામેલું સ્મૃતિવન મ્યૂઝિયમ ભૂકંપના દિવંગતોને આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે. સ્મૃતિવન મ્યૂઝિયમ આજે માત્ર દેશ જ નહીં પણ દુનિયા માટે ગૌરવ બન્યું છે. વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિથી નિર્માણ પામેલા સ્મૃતિવન મ્યૂઝિયમની મુલાકાત જરૂરથી લેવા દરેક દેશવાસીઓને આગ્રહ કરતાં સંરક્ષણ મંત્રીએ ઉમેર્યું હતું કે, કચ્છ અને ગુજરાતના લોકોની પ્રબળ ઈચ્છા શક્તિના દર્શન સ્મૃતિવન મ્યૂઝિયમના માધ્યમથી થાય છે. સંરક્ષણ મંત્રીએ દેશના તમામ નાગરિકોને ગૌરવ સમાન સ્મૃતિવન મ્યૂઝિયમની મુલાકાત લેવા જાહેર અપીલ કરી હતી.

સ્મૃતિવન મ્યૂઝિયમમાં વિશેષ સિમ્યુલેટરની મદદથી ભૂકંપ આવે ત્યારે નિર્માણ થતી પરિસ્થિતિનો વાસ્તવિક ખ્યાલ સંરક્ષણ મંત્રીએ મેળવ્યો હતો. કચ્છના લોકોની ખુમારી અને ભૂકંપ બાદ વડાપ્રધાનના વિઝનથી કચ્છના સર્વાંગી વિકાસને સંરક્ષણ મંત્રીએ બિરદાવ્યો હતો. ધીરજ, અવિરત હિંમતની માનવકથાઓ તેમજ ભૂકંપની આપદામાં બચી ગયેલા લોકોના સંસ્મરણોની ગાથાઓ વિશે જાણીને કચ્છીજનોના ધૈર્ય અને હિંમતની સંરક્ષણ મંત્રીએ પ્રસંશા કરી હતી.

https://www.instagram.com/samay__sandesh/

આ મુલાકાત દરમિયાન ભારતની વાયુસેનાના એર ચીફ માર્શલ અમર પ્રિત સિંહ, સંરક્ષણ મંત્રીના અંગત સચિવ અમિત કિશોરે, કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય સર્વે કેશુભાઈ પટેલ, ત્રિકમભાઈ છાંગા, શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, અનિરુદ્ધભાઈ દવે, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી દેવજીભાઈ વરચંદ, કચ્છ કલેક્ટર આનંદ પટેલ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ, ભુજ ગ્રામ્ય મામલતદાર એ.એન.શર્મા, ભુજ શહેર મામલતદાર ડી.કે.રાજપાલ, સ્મૃતિવન મ્યૂઝિયમના ડીરેક્ટર મનોજ પાંડે સહિત જિલ્લા વહીવટીતંત્ર, સંરક્ષણ દળની વિવિધ પાંખોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

રાધનપુરની આસ્થા હોસ્પિટલ બેદરકારીનો મામલો: સમગ્ર કેસ બાબતે પાટણ SPને રજુઆત…

પરિવારે પાટણ SP ને લેખિત રજુઆત કરી ન્યાયની કરી માંગ …ન્યાય નહીં મળે તો પરિવાર સમાજના આગેવાનો સાથે એસપી કચેરીએ ભૂખ હડતાર પર ઉતરવાની તૈયારી બતાવી

પાટણ : રાધનપુરની આસ્થા હોસ્પિટલમાં તબીબની ગંભીર બેદરકારી આવી સામે

મરી જઈસુ પણ ન્યાય લઈ જમ્પીશુ, પરીવાર ની ચીમકી..!!!

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આસ્થા હોસ્પિટલ નો વિવાદ ચરમ સીમાએ જોવા મળી રહ્યો છે. રાધનપુરનાં કલ્યાણપુરા ગામના મહિલા દર્દીના પરિજનો હવે પાટણ સુધી પહોંચી ન્યાય મેળવવા તંત્ર પાસે રજુઆત કરતા જોવા મળી રહ્યા છે.રાધનપુરની આસ્થા હોસ્પિટલ બેદરકારીનો મામલો હાલ સમગ્ર પંથકમાં ગરમાયો છે ત્યારે પરિવાર પણ ન્યાય માટે પોલીસ બેડામા FIR નોંધાવવાની તજવીજ ને લઈને દોડતો રહ્યો છે અને આખરે સમગ્ર કેસ બાબતે હવે પરિવારજનો પણ ન્યાયને લઈને પાટણ SPને રજુઆત કરવા પહોંચ્યા હતા.

મહત્વનું છે કે રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામની પ્રસુતા ઠાકોર પાર્વતીબેનની સારવાર ચાલુ હતી. પ્રસુતા ને વારંવાર પેટમાં દુખાવાની ફરિયાદ રહેતી હોવા છતાં ડોક્ટરે સામાન્ય સારવાર કરી સંતોશ માન્યો હતો.જોકે પ્રસુતાને અન્ય હોસ્પિટલ મા લઇ જતા પેટમાં ગાંઠ થઈ હોવાનું ખુલ્યું હતું.અને પ્રસુતાના ગર્ભમાં રહેલા બાળકનું પણ મૃત્યુ થયું હતું.જેને પગલે ડોકટર ની બેદરકારી ને કારણે ગર્ભમા રહેલા બાળકનું મોત થયું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.એટલું જ નહીં પરંતુ આ ઘટનામાં તબીબ રાજકીય વગ ધરાવતા હોવાથી પોલીસ પણ ફરિયાદ લેતી ન હોવાના પરિવારે આરોપ લગાવ્યા હતા.જોકે પરિવારે પોલીસ વડાને લેખિત અરજી કરતા તપાસ શરુ કરાઈ છે

રાઘનપુર ની આસ્થા હોસ્પિટલ પર બેદરકારી ના આક્ષેપ મહિલા દર્દીના પરિજનો દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે હાલ સમગ્ર મામલે પીડિતા નાં પરિવારે SP ને રજુઆત કરી રાધનપુર સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ FIR નોંધાવવા અને બેદરકારી દાખવતા તબીબ સામે કાયદેસરની કાર્યવાહી ની માંગ કરી હતી.મહત્વનું છે કે રાધનપુર ની આસ્થા હોસ્પિટલના ડોક્ટર દેવજી પટેલ પર બેદરકારી ના ગંભીર આરોપ લાગ્યા છે. ત્યારે ડોક્ટર ની બેદરકારી ને લઈ ડોક્ટર પર ફરિયાદ ની પરિવારજનો માગ કરી રહ્યા છે.

https://www.instagram.com/samay__sandesh/

રાઘનપુર ના કલ્યાણપુરા ગામની પ્રસુતા પાર્વતીબેન ઠાકોરે બાળકનો જીવ ખોયો છે.ત્યારે મહિલા દર્દી નાં પિતા દેવાભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ન્યાય ની લડાઈ ચાલુ રહેશે અને જરૂર જણાશે તો સમગ્ર પરિવાર ઠાકોર સમાજના આગેવાનો સાથે પાટણ એસપી કચેરીએ ભૂખ હડતાળ પર ઉતરશે તેવી પરિવારે ચીમકી આપી છે તેમજ વધુમા દેવાભાઈ એ જણાવતા કહ્યું હતું કે મરી જઈસુ પણ ન્યાય લઈ જમ્પી શુ ત્યારે સમગ્ર મામલે હાલ પરિવારજનો પણ ન્યાય માટે અડગ જોવા મળી રહ્યા છે અને સતત આ તબીબ સામે FIR નોંધી ફરિયાદનાં આધારે કાયદેસર ની કાર્યવાહી કરી ન્યાય અપાવવાની માંગ કરી રહ્યા છે.

રાધનપુર નાં કલ્યાણપુર ગામની મહિલા દર્દી સાથેના બનાવને લઈને પરિવારે ન્યાયની માગ સાથે પાટણ એસપી કચેરીએ પહોંચી રજુઆત કરી હતી.ત્યારે પાટણ પોલીસ દ્વારા પરિવાર ને હૈયા ઘારણા આપતા જણાવ્યું હતું કે જો આસ્થા હોસ્પિટલની બેદરકારી હશે તો મેડિકલ એડવાઈજરી બોર્ડ ને રજુઆત કરાશે તેમજ મેડિકલ એડવાજરી બોર્ડ ના રિપોર્ટ બાદ દોષિત સામે ફરિયાદ કરવામાં આવશે તેવું જણાવ્યું હોવાની વિગત જાણવા મળી રહી છે.તેમજ હાલ રાઘનપુર પોલીસે દીકરીના પિતાની લેખિત મા અરજી સ્વીકારી તપાસ હાથ ઘરી છે.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

જામનગર જીલ્લામાં ખેતી તેમજ અન્ય ફેક્ટરી યુનીટમાં કાર્યરત વ્યક્તિઓ તથા પરપ્રાંતીયને મકાન ભાડે આપ્યાની વિગતો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા અંગેનું જાહેરનામું

જામનગર જીલ્લામાં ખેતી તેમજ અન્ય ફેક્ટરી યુનીટમાં કાર્યરત વ્યક્તિઓ તથા પરપ્રાંતીયને મકાન ભાડે આપ્યાની વિગતો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા અંગેનું જાહેરનામુ

 

જામનગર તા.૧૬ મે, જામનગર જિલ્લામાં ભૂતકાળમાં બનેલ લૂંટ, ધાડ, ખુન તથા અપહરણ જેવા બનાવોના આરોપીઓની વિગતો જોતા ઘણા કિસ્સાઓમાં કારખાના, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગમાં, ફેક્ટરીઓમાં તેમજ ખેતિ અને વેપાર ધંધામાં મજુર તરીકે કામ કરતા કારીગરો આવા ગુન્હોમાં સામેલ હોવાનું જોવા મળ્યુ છે. જેઓ આવા ગુન્હાઓ આચર્યા બાદ જિલ્લામાંથી કે રાજ્યમાંથી નાસી જતા હોય છે. તેમજ ઘણા કિસ્સામાં અન્ય જિલ્લા કે રાજ્યમાં ગંભિર ગુન્હાઓ આચરી જામનગર જિલ્લામાં છુપાઇને રહેતા હોવાથી ઘણા ગુન્હાઓની તપાસ અધૂરી રહે છે. માટે જામનગર જિલ્લાના વિસ્તારની સલામતી અને શાંતિ જાળવવા સારુ આવા નાગરિકો/વ્યક્તિઓની માહિતિ એકઠી કરવી ખુબ જ જરૂરી છે. જેને લઈને અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામાં મુજબ જામનગર મહાનગરપાલિકા વિસ્તાર સહિત સમગ્ર જામનગર જિલ્લાના તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બીલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, ખેતી તેમજ અન્ય ફેક્ટરી ઉદ્યોગ, વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઇવેટ સેક્ટરના માલિકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનીટમાં કર્મચારીઓ, કારીગરો, શ્રમિકો કે ભાગીયાઓ હાલમાં કાર્યરત છે તેવા કાયમી, હંગામી કે કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ/કારીગરો/શ્રમિકોની વિગતો જેમાં પેઢીના/માલીક/ખે ડૂતનું નામ તથા સરનામું તથા ધંધાની વિગત, માલીકના મોબાઇલ નં. તથા ધંધાના સ્થળના ટેલીફોન નંબર, કામે રાખેલ કર્મચારી/કારીગર /મજૂર/ભાગીયા નું પુરૂ નામ, ઓળખ ચીન્હ, હાલનું સરનામું તથા મોબાઇલ નંબર, મુળ વતનનું પુરુ સરનામું તથા વતનના ટેલિફોન નંબર, પૂર્વ ઇતિહાસ, નાગરિકતા અને ઓળખ નક્કી થઇ શકે તેવા તમામ આધારા પુરાવા (ચૂંટણીકાર્ડ, પાસપોર્ટ, આધારકાર્ડ, રેશનકાર્ડ) વિગેરે, કર્મચારી / કારીગર /મજૂર/ભાગીયાને નોકરીમાં રાખ્યાની તારીખ, અગાઉ જે સ્થળે કામ કરતા હોય તે માલકીનું પુરૂ નામ, સરનામું તથા મોબાઇલ નંબર, કોના રેફરન્સ/પરીચયથી નોકરીએ રાખેલ છે, તે સ્થાનિક રહીશનું પુરૂ નામ, સરનામું, ટેલિફોન અને મોબાઇલ નંબર, બે થી ત્રણ સગા સબંધીના પુરા નામ તથા સરનામા (તેમના વતન સહીતના) તથા ટલિફોન અને મોબાઇલ નંબર, ફોટો હથિયાર ધરાવતા હોય તો તેની વિગતો અંગેની માહિતી તથા ગુજરાત રાજ્યના કે અન્ય રાજ્યો/દેશમાંથી આવેલા વ્યક્તિને મકાન ભાડા પેટે આપવામાં આવે ત્યારે મકાન ભાડે અપાવનાર દલાલ અને મકાન માલિકે મકાન ભાડે આપ્યા અંગેની માહીતી જેમાં મકાન માલિકનુ નામ તથા રહેઠાણનું સરનામું, જે મકાન ભાડે આપેલ હોય તે મકાનનું નામ તથા સરનામું, મકાન ભાડે આપ્યાની તારીખ, મકાન ભાડે રાખનાર વ્યક્તિનું નામ/સરનામું/ઓળખકાર્ડ/ચૂંટણીકાર્ડ / ડ્રા ઇવીંગ લાઇસન્સનો પુરાવો, મકાન ભાડે રાખનાર મુળ ક્યાના રહેવાસી છે તે વતનના પુરા સરનામા તથા વતનની બે વ્યક્તિના નામ, સરનામા તથા ફોન નંબર, મકાન માલિક અને ભાડુઆત તરીકે સંપર્ક કરાવનાર એજન્ટ/દલાલનું નામ સરનામું/ફોન નંબર તૈયાર કરી સબંધિત પોલીસ સ્ટેશનને ૧૫દિવસમાં આપવાની રહેશે.

https://www.instagram.com/samay__sandesh/

આ જાહેરનામાંના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક યોજાઈ

સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક યોજાઈ

સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક યોજાઈ

જામનગર,  જીલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેકટર કેતન ઠક્કર તથા ઉપસ્થિત તમામ વિભાગના અધિકારીઓ સાથે સાંસદએ કેન્દ્ર સરકાર દ્વારા અમલમા મુકવામા આવેલ વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી. ઉપરાંત જામનગર જીલ્લામાં વિવિધ વિભાગો દ્વારા થઇ રહેલ યોજનાકીય કામગીરી અને તેમના અમલીકરણની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. તથા પદાધીકારીઓ દ્વારા લોક માંગણીઓને ધ્યાનમાં લઈને કરવામાં આવેલી રજુઆતો અંગે સકારાત્મક દિશામાં કામગીરી કરવા લગત અધિકારીઓને જણાવ્યું હતું.

આ બેઠકમાં જામનગર મહાનગરપાલિકા હસ્તકના વિભાગોની યોજનાઓની સમીક્ષા અને કામગીરી જેમાં દિન-દયાળ અંત્યોદય યોજના- નેશનલ અર્બન લાઈવલીહુડ મિશન, શહેરી ફેરીયાઓને સહાય માટે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન,ભૂગર્ભ ગટર શાખા, અમૃત ૨.૦ ગ્રીન સ્પેસ એન્ડ પાર્ક પ્રોજેક્ટ, વોટર વર્કસ શાખા, આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓ જેમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, નમોશ્રી યોજના, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ ગુણોત્સ્વ ગ્રેડ, સ્માર્ટ સ્કુલ પ્રોજેક્ટ હેઠળ શાળા બિલ્ડીંગ નવીનીકરણ, પી.એમ. પોષણ યોજના, મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના, આઈસીડીએસ વિભાગની સેવાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તથા લગત વિભાગના અધિકારીઓએ આ યોજનાઓ અંતર્ગત થઇ રહેલી કામગીરી અંગે સાંસદને માહિતગાર કર્યા હતા.

આ ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા, રેલ્વે વિભાગ દ્વારા થઇ રહેલ કામગીરી, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના, નેશનલ હેલ્થ મિશન, ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સ્કીમ, સમગ્ર શિક્ષા, પ્રધાનમંત્રી ઉજવલ્લા યોજના, પી.એમ.પોષણ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન, પ્રધાનમંત્રી ખનીજક્ષેત્ર કલ્યાણ યોજના, સ્વરછ ભારત મિશન(ગ્રામિણ), નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન, જીલ્લા વિદ્યુત કમિટી દ્વારા થઇ રહેલ કામગીરી, પ્રધાનમંત્રી ગ્રામિણ આવાસ યોજના, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેંટી એકટ, ઈન્ટીગ્રેટેડ વોટરસેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ વગેરે યોજનાઓની સમીક્ષા કરી જામનગર જીલ્લા વહીવટીતંત્ર દ્વારા થઇ રહેલ કામગીરી અંગે સાંસદએ માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં સાંસદ પુનમબેન માડમે જણાવ્યું હતું કે, હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી હોવાથી જીલ્લામાં નિયમિત પાણી વિતરણ કરવા, જરૂર હોય તે જગ્યાઓ પર પાણી વિતરણનો જથ્થો વધારવા તથા પ્રિ-મોન્સુન કામગીરી અને સ્વચ્છતા પર વિશેષ ભાર મુકવા જણાવ્યું હતું. સાંસદશ્રીએ જણાવ્યું હતું કે જન પ્રતિનિધિઓ દ્વારા લોકોની વિવિધ માંગણીઓને લઈને જે રજુઆતો કરવામાં આવે છે તેનું યોગ્ય રીતે નિરાકરણ લાવી લોકોની સવલતોમાં વધારો થાય તે પ્રકારે આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવે જેથી કરીને જીલ્લામાં વિકાસના કાર્યોને વેગ મળે.

આ બેઠકમાં કલેકટર કેતન ઠક્કરે સાંસદ દ્વારા આપવામાં આવેલા સૂચનો ધ્યાને લઇ પડતર કામો ઝડપથી પૂર્ણ કરવા તથા લોકોની રજુઆતોને ધ્યાને લઇ અગત્યના કામોને પ્રાથમિકતા આપી સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને જણાવ્યું હતું.

https://www.instagram.com/samay__sandesh/

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર,જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેન અને સભ્યો , ડી.આર.ડી.એ. નિયામક શારદા કાથડ, રેલ્વે વિભાગના ડી.આર.એમ. ભાવનગર અને ડી.આર.એમ.રાજકોટ, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યઓ, સરપંચઓ, ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીના સભ્યઓ, આગેવાનઓ તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

ચોમાસાને લઈને ટ્રાફિક સમસ્યા વિકટ નહીં બને તે માટે પ્રી મોનસુન કામગીરી શરૂ કરતી સુરત ટ્રાફિક પોલીસ

ચોમાસાને લઈને ટ્રાફિક સમસ્યા વિકટ નહીં બને તે માટે પ્રી મોનસુન કામગીરી શરૂ કરતી સુરત ટ્રાફિક પોલીસ

ચોમાસાને લઈને ટ્રાફિક સમસ્યા વિકટ નહીં બને તે માટે પ્રી મોનસુન કામગીરી શરૂ કરતી સુરત ટ્રાફિક પોલીસ

સુરત, સંજીવ રાજપૂત: હાલમાં સુરતના અલગ અલગ વિસ્તારોના રસ્તાઓ પર વિકાસલક્ષી કાર્યને લઈને રસ્તાઓ સાંકડા અને અમુક જગ્યા પર ડાયવર્ઝન આપવામાં આવ્યો છે તેમજ મોટા ખાડાઓ ખોદાયેલા હોય છે જેના કારણે ચોમાસામાં અમુક વિસ્તારમાં વાહન ફસાઈ જાય એવી સંભાવના લઈને ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સંકલન કરી શહેરની રોડ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ભાગરૂપે સર્વે શરૂ કર્યો

આગામી ચોમાસુ શરૂ થતા ટ્રાફિક વ્યવહાર વધુ વિકટ નહિ બને તે માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને મહાનગરપાલિકાના કમિશનર અગ્રવાલ સાથે સંકલન કરીને ચોમાસા પહેલા રસ્તાઓ ક્લિયર કરવાના નિર્દેશ આપવામાં આવ્યો

સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વિકાસલક્ષી કાર્યને લઈને અલગ અલગ વિસ્તારમાં રસ્તા ઉપર કામગીરી શરૂ કરવામાં આવી છે જેને લઈને આગામી ચોમાસુ શરૂ થતા પહેલા જ વાહન ચાલકને ચોમાસામાં કોઈપણ પ્રકારની વિકટ પરિસ્થિતિ ઊભી નહીં થઈ તે માટેની તૈયારી શહેર ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારી સાથે અલગ અલગ ઝોનમાં રોડ ટ્રાન્સપોર્ટ માટે સર્વે સાથે શરૂ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં રસ્તાઓ પર ખોદકામને લઈને ચોમાસામાં રસ્તા બેસી જવાના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઈ એવા વિસ્તારોને તાત્કાલિક અસરથી પુરાણ કરવાની સાથે અમુક વિસ્તારમાં વિકાસલક્ષી કાર્યમાં બેરીકેટ મૂકવામાં આવ્યા છે એને હટાવવાની જરૂરી સુચના સૂચન પોલીસ કમિશનર અને મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે

વિશ્વનો સૌથી વિકાસ પામતું શહેર તરીકે ઓળખાતું સુરત શહેર છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ વિકાસલક્ષી પ્રોજેક્ટ શહેરમાં શરૂ કરવામાં આવ્યા છે જેમાં સૌથી વધારે મેટ્રો તેમજ ઓવર બ્રિજ અને અમુક વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીની પાઇપલાઇન નખાતી હોવાના કારણે રસ્તાઓ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે રોડ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા માં વાહન ચાલકને ઘણી તકલીફો અને પરેશાની નો સામનો કરવો પડે છે ત્યારે શહેરમાં મેટ્રો પ્રોજેક્ટને લઈને રીંગરોડ કે આઉટર રીંગ રોડ પર કાર્ય શરૂ હોવાને લઈને કેટલાક વિસ્તારમાં બેરીકેટ લગાવવામાં આવ્યા હતા.

રસ્તા ઉપર વાહન ચાલકોને ઘણી સમસ્યા ઊભી થતી હતી અને આગામી ચોમાસા શરૂ થાય એ પહેલાં જ સુરત શહેરના અલગ અલગ રોડ ટ્રાન્સપોર્ટ ના ભાગરૂપે રસ્તાઓની ફિટનેસ ચકાસણી ટ્રાફિક પોલીસ અધિકારી અને મહાનગરપાલિકાના અધિકારી દ્વારા અલગ અલગ ઝોનમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવ્યું છે જેની પાછળ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત શહેરીજનોને રોડ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થામાં ટ્રાફિક સમસ્યામાં વધુ ચોમાસામાં જટિલ સમસ્યા નહીં સર્જાય તે માટે મહાનગરપાલિકાના કમિશનર અગ્રવાલ સાથે સંકલન મીટીંગો કરીને જરૂરી રસ્તાઓ ઉપર પાણીનો ભરાવું નહીં થઈ સાથે અમુક જગ્યા ઉપર ખોદકામને લઈને રસ્તો બેસીને જાય તે માટેની સર્વે સાથે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે જ્યારે કેટલાક રસ્તાઓ પર બંધ કરવાને લઈને પણ ટ્રાફિક સમસ્યા વધુ જટિલ બની રહી છે.

https://www.instagram.com/samay__sandesh/

ખાસ કરીને ટેક્સટાઇલ માર્કેટ વિસ્તાર અને હાલમાં સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં કામગીરી શરૂ થતા શહેર કોડ વિસ્તારમાં આવતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે એક તરફ મેટ્રોની કામગીરી અને બીજી તરફ ઓવર બ્રિજની કામગીરીને લઈને બધી જ જગ્યા પર ટ્રાફિક જામ થઈ રહ્યો છે તેની સમીક્ષા કરવા માટે ગુરુવારે બપોરે ટ્રાફિક ડીસીપી અને તેમના એસીપી અને મહાનગરપાલિકાના અધિકારી સાથે અલગ અલગ જગ્યા પર સર્વે કરવામાં આવ્યો હતો પ્રી મોન્સૂન કામગીરી અત્યાર સુધી આપણે મહાનગરપાલિકાની જોવા મળતી હતી પરંતુ આ વખતે પહેલીવાર શહેર પોલીસે પણ પ્રી મોનસુન કામગીરી ને લઈને કામગીરી કરવામાં આવતા શહેરીજનોને ચોમાસામાં ટ્રાફિક વ્યવસ્થામાં સમસ્યા નહીં નડે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે

જેના માટે ખુદ શહેર ડીસીપી ટ્રાફિક પોતાના અધિકારી સાથે ભર તડકામાં ફરી રહ્યા છે ખૂદ અલગ અલગ રસ્તાઓ પર વધતો જતો ટ્રાફિકનો સર્વે સાથે જરૂરી માર્ગદર્શન અધિકારીને આપી રહ્યા છે જેથી કરીને શહેરીજનો ટ્રાફિક જામમાં વધારે સમય ઊભા નહીં રહી તે માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેને લઇને જરૂરી નિર્દેશ શહેર પોલીસ કમિશનર અને મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.