જામનગરની ખાનગી શાળાને ફી રેગ્યુલેટરી કમિટીના હુકમોનું ઉલ્લંઘન કરીને

વધુ ફી ઉઘરાવવા માટે રૂ. ૨.૫૦ લાખનો દંડ કરાયો: શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર

ખાનગી શાળાઓમાં વસુલવામાં આવતી ફી અંગે વિધાનસભા ગૃહમાં માહિતી આપતા શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં ખાનગી શાળાઓ દ્વારા ફી રેગ્યુલેટરી કમિટીના હુકમોનું ઉલ્લંઘન કરીને વધુ ફી ઉઘરાવવામાં આવતી હોવાની જામનગર જિલ્લામાં કુલ ૦૧ ફરિયાદ અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં એકપણ ફરિયાદ મળેલ નથી. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા જામનગર જિલ્લાની શાળાને ગુજરાત સ્વનિર્ભર શાળા ફી અધિનિયમ-૨૦૧૭ની કલમ-૧૪(૧) મુજબ રૂ. ૨.૫૦ લાખનો દંડ કરવામાં આવ્યો છે.

શિક્ષણ મંત્રીશ્રીએ કહ્યું કે છેલ્લા બે વર્ષમાં રાજ્યની કુલ ૨૬,૧૧૦ સ્વનિર્ભર શાળાઓ પૈકી ૧૨ ટકા એટલે કે ૩,૧૭૫ શાળાઓએ ફી નિયમન સમિતિઓમાં ફી વધારા માટે અરજી કરી હતી, જ્યારે બાકીની ૨૨,૯૩૫ એટલે કે ૮૮ ટકા જેટલી શાળાઓએ ફી ન વધારી એફીડેવીટ કરી છે.

વધુ વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત સ્વનિર્ભર શાળા અધિનિયમ-૨૦૧૭માં કાયદાના ભંગ અંગે કલમ-૧૪માં કરેલી જોગવાઈ મુજબ સ્વનિર્ભર શાળાને પ્રથમવાર કાયદાના ભંગ માટે રૂપિયા પાંચ લાખ સુધીનો દંડ, બીજીવાર પાંચ થી દસ લાખ રૂપિયા અને ત્રીજીવાર કાયદાના ભંગ માટે શાળાને અપાયેલ માન્યતા રદ કરવા-એન.ઓ.સી. પરત ખેંચવાની કાર્યવાહી કરવામાં આવે છે.

આ દંડની રકમ વસુલ કરવા ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી લીધેલી વધારાની ફીની બમણી રકમ પણ શાળાએ પરત કરવાની રહે છે. આ ઉપરાંત રકમની ચુકવણી તે અંગેનો હુકમ મળ્યાની તારીખથી પંદર દિવસમાં કરવાની રહે છે. ત્યારબાદ વસુલાત કરવાની કુલ રકમના એક ટકા પ્રતિદિન લેખે ભરપાઈ કર્યાની તારીખ સુધી દંડ વસુલ કરવામાં આવશે. જો આ રકમ ત્રણ મહિનાની મુદત સુધીમાં ભરપાઈ કરવામાં નહી આવે તો તે રકમ જમીન મહેસુલની બાકી લેણાની બાકી રકમ તરીકે ગણીને વસુલ કરવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં

રાજ્ય સરકાર સાથે નયારા એનર્જીના બે MOU સંપન્ન થયા

  • જામનગરના ખિજડીયા પક્ષી અભ્યારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ માટે વન વિભાગ સાથે નયારા એનર્જી સહયોગ કરશે.
  • ત્રણ વર્ષ માટે કુલ રૂ.૧૨ કરોડનો પ્રોજેક્ટ હાથ ધરાશે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી શાળાઓ-આંગણવાડીઓમાં જોય ફુલ લર્નિંગ સહિત વાંચન સંસ્કૃતિના વિકાસમાં નયારા એનર્જીનો સહયોગ મળશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના વન પર્યાવરણ વિભાગ અને શિક્ષણ વિભાગ હસ્તકના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે નયારા એનર્જીએ ગાંધીનગરમાં બે MOU સાઇન કર્યા હતા.

નયારા એનર્જીએ વન વિભાગ સાથે જે MOU કર્યો છે તે અનુસાર જામનગર જિલ્લાના ખિજડીયા પક્ષી અભયારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ માટે નયારા એનર્જી નાણાંકીય સહયોગ આપશે.

સમગ્રતયા ત્રણ વર્ષ માટે કુલ ૧૨ કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરાનારા આ પ્રોજેક્ટ અંતર્ગત વેટલેન્ડની (ભીનાશ વાળી જમીન) પર્યાવરણીય પરિસ્થિતિઓમાં સુધારો, સ્થાનિક જૈવવિવિધતામાં સુધારો અને વેટલેન્ડસ અને તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓના સંચાલનમાં સ્થાનિક હિસ્સેદારોની ભાગીદારીને પ્રોત્સાહન અપાશે.

એટલું જ નહીં, અભ્યારણ્યના કાર્યક્ષેત્ર એરિયામાં સ્થાનિક સમુદાયોને લાભદાયક એવા જળભૂમિના ઇકોલોજીકલ અને હાઇડ્રોલોજીકલ સ્વાસ્થ્યને સુધારવામાં અને દબાણયુક્ત જૈવવિવિધતા ઘટાડવામાં મદદ મળશે.

આ પ્રોજેક્ટમાં મુખ્યત્વે ઇકો ટુરીઝમને પ્રોત્સાહન, વેટલેન્ડ પુનઃસ્થાપન અને સંરક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ અને કેપેસિટી બિલ્ડીંગને પણ આવરી લેવામાં આવ્યા છે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, ખિજડિયા પક્ષી અભયારણ્ય (KRS) અને તેની આસપાસના ભૌગોલિક વિસ્તારોની વૈવિધ્યતાની કારણે આ રામસર (આંતરરાષ્ટ્રીય મહત્વના જળપ્લાવિત વિસ્તાર) સ્થળ પર વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. ૧૮૫ પ્રકાર ના છોડ, ૨૩ પ્રકારના પતંગિયા, ૨૧ પ્રકાર ડ્રેગનફલાય પ્રકારના સરિસૃપ, ૯ પ્રકારની માાછલીઓ અને જીંગાની પ્રજાતિઓ, ૩૨૧ જાતના પક્ષીઓ (જેમાં ૧૨૫ પાણીના અને ૯ સ્તનધારી પ્રજાતિઓનો સમાવેશ થાય છે). ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેયરની જોખમી પ્રજાતિઓની યાદી રેડ લિસ્ટ મુજબના ૨૯ ઉલ્લેખનીય મહત્ત્વ ધરાવતી પ્રજાતિઓનો પણ સમાવેશ થાય છે.

ખિજડિયાનું સ્થાનિક જળવિજ્ઞાનના નિયમનમાં ખિજડીયાની ભૂમિકા તેમજ સ્થાનિક અર્થતંત્ર અને સાંસ્કૃતિક મૂલ્યોને જાળવવામાં મોટું યોગદાન રહેલું છે. વરસાદી અને વહેતા પાણીથી ભૂગર્ભજળને રિચાર્જ કરવામાં આવે છે આનાથી જમીનમાં ખારાશ પ્રવેશ અટકે છે.

આ ખિજડિયા પક્ષી અભયારણ્ય પાંચ ગામો (ઇકો સેન્સિટિવ ઝોન) થી ઘેરાયેલું છે, જેમાં, ખીજડિયા, ધુવાવ, જાંબુડા, સચાણા અને વિભાપર ૧ થી ૩ કિલોમીટરના અંતરે આવેલા ગમોનો સમાવેશ થાય છે.

ખિજડીયા પક્ષી અભયારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપનના આ પ્રોજેક્ટમાં વન વિભાગ અમલીકરણ એજન્સી તથા નયારા એનર્જી નાણાંકીય અને અન્ય સંસાધન સહયોગી એજન્સી તરીકે કાર્ય કરશે તેમ પણ MOUમાં જણાવવામાં આવ્યું છે.

રાધનપુરમા શ્રી રાપરીયા હનુમાનજી શિખર પ્રતિષ્ઠા તથા મંદિરોની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, 5 કરોડના ખર્ચે બનેલા ભવ્ય મંદિરની પ્રતિષ્ઠા..

સમગ્ર ગુજરાતભરના રામાનંદી સાધુ સમાજ સહીત ભાવિ ભક્તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમા જોડાશે..

સમસ્ત વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું ભવ્ય આયોજન,પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે ભવ્ય ડાયરો સંતવાણી યોજાશે તેમજ ગૌવંશ માટે ત્રિ-દિવસીય સેવા કાર્ય કરાશે..

પાટણ જીલ્લાના રાધનપુર ખાતે રાધનપુરથી મહેસાણા હાઇવે પર આવેલા શ્રી રાપરીયા હનુમાનજી મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. રાધનપુર મહેસાણા હાઈવે પાસે આવેલ સમગ્ર વઢિયાર રામાનંદી સાધુ સમસ્ત પરિવારના શ્રી રાપરીયા હનુમાનજી દાદાના મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છૅ. ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો લોકોના પ્રશ્નો હોય કે હનુમાનજીને અહીંયા રાપરીયા હનુમાનજી તરીકે કેમ ઓળખવામાં આવે છે. જેનો જવાબ આપતાં તમને જણાવી દઈએ કે સમસ્ત વઢિયાર રામાનંદી સાધુ સમાજ ના ઇષ્ટદેવ હનુમાનજી હોય તમામ પ્રસંગે જેવાકે બાબરી, માનતા હોય કે પછી કોઈ શુભ કાર્ય કરવાનું હોય ત્યારે વઢિયાર સાધુ સમાજના પરિવારને હનુમાનજી મઁદિર રાપર મુકામે આવેલ હોય ત્યાં જવું પડતું હતું.ત્યારે આ વાતને લઈને વઢિયાર સાધુ સમાજના આગેવાનો વડીલો દ્વારા એક પહેલ કરી વિચારણા સાથે હનુમાનજી દાદાનું રાધનપુર મુકામે મંદિર બનાવી અહીંયા જ ધાર્મિક કાર્યો કરવાનો ઉત્તમ વિચાર આવ્યો જેને લઈને સમાજબંધુઓને વાત કરતા વાત સ્વીકારતા દાદાની અખંડ જ્યોત રાપર મુકામે થી રાધનપુર લાવવામાં આવી હતી. અને રાપર થી જ્યોત લાવ્યા બાદ રાધનપુરમા બિરાજમાન કરતા નામ આપવામાં આવ્યું શ્રી રાપરીયા હનુમાનજી ત્યારથી રાધનપુરમા શ્રી રાપરીયા હનુમાન દાદા તરીકે આ મંદિર ઓળખાય છૅ દાદાના અનેક પરચા છૅ.અને હાલ લોકોનું આસ્થાનું કેન્દ્ર હોય મોટી સંખ્યામા ભાવિ ભક્તો નું ઘોડાપુર ઉમટી પડે છે.

રાધનપુરમા શ્રી રાપરીયા હનુમાનજી મંદિર 5કરોડના ખર્ચે બનીને તૈયાર,ભવ્ય મંદિરનું ટૂંક સમયમાં શિખર,પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ :-

રાધનપુર ખાતે મહેસાણા હાઇવે પર નવ નિર્મિત વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા ભવ્ય નવીન મંદિર બનીને તૈયાર થયું છે. મુકામે મુખ્ય હનુમાનજી મંદિરના પરિસરમાં બિલકુમ દાદાની સામે ભાગે 20 જેટલા દેવી દેવતાના મંદિર બનાવવામાં આવ્યા છૅ.જે મઁદિરોની પ્રાણ પ્રતિષ્ઠા અને હનુમાનજી દાદા શિખર પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય યોજાવા જઈ રહ્યો છૅ.

રાધનપુર શ્રી રાપરીયા હનુમાનજી દાદાના ધામમાં દર શનિવારે ભાવિ ભક્તજનો ની ભારે ભીડ જોવા મળે છૅ હજારો ની સંખ્યામાં દાદાના દર્શનાર્થે લોકો આવે છૅ. દર શનિવારે મીની ધાર્મિક મેળો જોવા મળે છૅ.

છેલ્લા 1 વર્ષથી વધુના સમયથી મંદિરનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે હવે 2025મા શ્રી રાપરીયા હનુમાનજી દાદાનું ભવ્ય મંદિર તૈયાર થઈ ચૂક્યુંછે. ત્યારે સમસ્ત વાઢિયાર રામાનંદી સાધુ સમાજ અને સમાજના પ્રમુખ ચંદુલાલ સાધુની અથાગ મહેનતથી રાધનપુરમા ભવ્ય મંદિરનું નિર્માણ થયું છૅ ત્યારે આગામી તા. 22/03/2025 તા.23/03/2025 તા.24/03/2025 નારોજ ત્રિ દિવસીય અલગ અલગ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ધાર્મિક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યા છૅ. સમસ્ત વઢિયાર રામાનંદી સાધુ સમાજના દ્વારા શ્રી રાપરીયા દાદાના સ્થાનકે ધાર્મિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

રાધનપુરમા ગુજરાતના પ્રતિષ્ઠિત કલાકારો ગોપાલ સાધુ,બિંદુ રામાનુજ, નવીન ભાટીના સ્વરે ભવ્ય સંતવાણી કાર્યક્રમ:-

રાધનપુર મુકામે શ્રી રાપરીયા હનુમાનજી દાદાના મંદિર ખાતે ફાગણ વદ 9 નોમ અને તા. 23/03/25ના રવિવારના રોજ 9:00 કલાકે સંતવાણી નો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. અને 3 દિવસ દાદાના ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે. જયારે 23.3.2025ના રાત્રીના 9.કલાકે ભવ્ય ડાયરો સંતવાણી નો પ્રોગામ રાખવામાં આવ્યો છે જેમાં ગુજરાતના પ્રતિષ્ઠિત કલાકારોમાંના ગોપાલ સાધુ બિંદુ રામાનુજ અને નવીન ભાટીના સ્વરે ભવ્ય લોક ડાયરો સંતવાણી કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે લોક ગીતોના સહારે ભજન અને સંતવાણી અને લોકગીતોની રમઝટ બોલાવશે.અત્રે ઉલ્લેખનીય છે કે સમસ્ત રામાનંદી સાધુ સમાજ દ્વારા વઢીયાર વિભાગ અને રાધનપુરની પ્રજાજનોને રામાનંદી સાધુ સમાજ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છૅ.


અત્રે ઉલ્લેખનીય છે કે પાટણ જીલ્લાના રાધનપુર મુકામે શ્રી વઢિયાર રાપરીયા ચેરિટેબલ ટ્રસ્ટ તથા સમસ્ત વઢીયાર રામાનંદી સાધુ સમાજ અને કારોબારી મંડળ દ્વારા મંદિર નિમાર્ણનું કાર્ય હાલમાં પુર્ણતાના આરે હોય ભવ્ય મંદિર જે 5કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને ટ્રસ્ટ ધ્વારા હાલમાં ભોજનાલય તથા ઉતારા સહિતની વ્યવસ્થા અને વાહન પાર્કિંગ થી લઈને તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. ત્યારે સમસ્ત વઢિયાર રામાનંદી સાધુ સમાજ પરીવારજનોએ આ ધાર્મિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમા ઉપસ્થિત રહેવા માટે ટ્રસ્ટના પ્રમુખ ચંદુભાઇ બી સાધુ , ઉપ પ્રમુખ માખણદાસ એસ સાધુ અને મંત્રી નરસિંહભાઈ એ સાધુ દ્વારા અને શ્રી રાપરીયા રામાનંદી સાધુ યુવા મંડળ દ્વારા વધુમાં વધુ લોકો આ ધાર્મિક કાર્યક્રર્મોમાં હાજરી આપે તેવી અપીલ કરવામાં આવી છે તેવુ યાદીમાં જણાવ્યું છે.

જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા ૫૨ મોબાઈલ ફોન શોધીને તેના મૂળ માલિકને પોલીસે પરત સોંપ્યા

એસ.પી. ની આગેવાનીમાં ‘તેરા તુજકો અર્પણ’ સમારોહ યોજીને તમામ મોબાઈલ ધારકોને તેઓના મોબાઇલ ફોન પરત અપાયા

જામનગર તા ૧૮, ‘પોલીસ એ પ્રજાનો મિત્ર છે’ એ સૂત્ર જામનગર જિલ્લાના પોલીસ તંત્રએ સાર્થક કરીને બતાવ્યું છે, અને જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી જુદા જુદા નાગરિકોના ગુમ થયેલા ૫૨ જેટલા મોબાઈલ ફોન પોલીસે બે મહિનાની કવાયત હાથ ધરીને શોધી કાઢી તેના મૂળ માલિકને પરત અપાયા છે. જિલ્લા પોલીસવડા ની આગેવાનીમાં ગઈકાલે એસ.પી. કચેરીમાં ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉચ્ચ પોલિક અધિકારીઓની હાજરીમાં તમામ મોબાઇલના મૂળ માલિકોને બોલાવીને મોબાઇલ ફોન સુપ્રત કરી દેવાયા હતા.


જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ની આગેવાની હેઠળ શહેર જિલ્લાના નાગરિકોના ગુમ થયેલા મોબાઈલ ફોન શોધવા માટેની પોલીસ દ્વારા વિશેષથી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી છેલ્લા બે થી અઢી મહિનાના સમયગાળા દરમિયાન આશરે ૫૨ જેટલા વ્યક્તિઓના અલગ અલગ વિસ્તારમાંથી મોબાઇલ ફોન ખોવાઈ ગયા અથવા ગુમ થયા હોવા ની જાણકારી પોલીસ તંત્રને મળી હતી.


જે તમામ મોબાઈલ ફોન તેના મૂળ માલિકને પરત મળી જાય, તે માટે એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવા માટે અલગ અલગ ટુકડીને કાર્યરત કરવામાં આવી હતી.


જેના અનુસંધાને જામનગરના શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટી એ. ડિવિઝનના નિકુંજસિંહ ચાવડા અને તેઓની અલગ અલગ પોલીસ ટીમ દ્વારા સમગ્ર કવાયત હાથ ધરવામાં આવી હતી, અને ગુજરાત સરકારના વિશેષ પ્રકારના સોફ્ટવેર ની મદદ લઈને સમગ્ર મોબાઇલ ફોનની કોલ ડિટેઇલ કઢાવવામાં આવી હતી, અને તેની ઝીણવટભરી તપાસ કર્યા બાદ આખરે આવા કુલ ૫૨ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા.


અંદાજે ૬ લાખથી લઈને ૮ લાખ સુધીની કિંમતના કુલ ૫૨ નંગ મોબાઈલ ફોન કે જે જામનગર શહેર અથવા તો અન્ય વિસ્તારમાં કોઈ પણ સંજોગોમાં પહોંચી ગયા હોય, તે તમામ મોબાઇલ ફોન ને જામનગર પરત મંગાવી લેવામાં આવ્યા હતા.


જેની સંપૂર્ણ યાદી તૈયાર કરી આજે જામનગરના જિલ્લા પોલીસ વડા ની કચેરીમાં ‘તેરા તુજકો અર્પણ’ શીર્ષક હેઠળનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય સરકારના પોલીસ વિભાગ દ્વારા ચલાવતા આ કાર્યક્રમ હેઠળ પોલીસ દ્વારા પ્રજાજનો ને તેનો મુદામાલ પરત મળી જાય તે માટેની વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવે છે, તેના ભાગરૂપે જામનગરના એસ.પી. પ્રેમસુ:ખ ડેલુ, શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા, ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર.બી. દેવધા, લાલપુરના એએસપી શ્રી પ્રતિભા, તેમજ સીટી એ. ડિવિઝનના પી.આઇ. એન. એ. ચાવડા વગેરેની આગેવાનીમાં એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.


જે કાર્યક્રમમાં જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર સહિતના કુલ ૫૩ વ્યક્તિઓ, કે જેઓના મોબાઇલ ફોન ગુમ થયા હતા, તે તમામને બોલાવાયા હતા, અને પ્રત્યેક મોબાઈલ ધારકોને ખરાઈ કરીને તેઓનો ગુમ થયેલો મોબાઈલફોન પર ત સોંપી દઈ ‘પોલીસ એ પ્રજાનો મિત્ર છે’ તે સૂત્રને સાર્થક કર્યું હતું.


આ સમગ્ર કાર્યવાહીને લઈને તમામ લાભાર્થીઓએ પણ આનંદ સાથે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમજ જામનગર પોલીસ વિભાગ નો વિશેષ રૂપે આભાર વ્યક્ત કર્યો હતો.

જામનગરની સજૂબા સ્કૂલ પાસે કચરામાં આગ ભભૂકી ઉઠી

અગનજવાળાઓ ટ્રાન્સફોર્મર સુધી પહોંચી: સદ્નસીબે જાનહાનિ ટળી

જામનગરની એક માત્ર સરકારી સજુબા ક્ધયા શાળા પાસે મંગળવારે સવારે કચરાના ઢગલામાં આગ લાગી હતી. જો કે, મોટી દુઘર્ટના સહેજમાં ટળી હતી. કારણ કે, આગની જ્વાળાઓ વીજતંત્રના ટ્રાન્સફોર્મર સુધી પહોંચી હતી. કચરો ઉપડાવામાં ઘોર બેદરકારીના કારણે કોઇએ કચરામાં દિવાસળી ચાંપી સળગાવતા આગ લાગી હતી.
જામનગરની સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ નજીક ઘણાં સમયથી કચરાનો ઢગલો પડ્યો છે. આ સ્થળેથી કચરો ઉપાડવામાં ન આવતો હોવાથી અમુક વેપારીઓએ ત્યાંથી પસાર થતી કચરાની ગાડીવાળાને કચરો ઉપાડવા માટે કહ્યું હતું. પરંતુ આ પોઈન્ટ અમારામાં આવતો નથી તેવો જવાબ આપવામાં આવ્યો હતો. સફાઈ કરતા કામદારો પણ કચરો ઉપાડતા ન હતાં. આથી કોઈ વ્યક્તિએ રોષે ભરાઈને તે કચરો સળગાવ્યો હતો. આથી તેમાંથી નીકળતી જ્વાળાઓ નજીકમાં આવેલા વીજ કંપનીના ટ્રાન્સફોર્મર સુધી પહોંચી હતી. જો કે, તે પહેલા આગ ઓલવવામાં આવતા મોટી દુઘર્ટના ટળી હતી. ક્ધયા શાળા પાસે શા માટે કચરો નાખવામાં આવે છે તે સળગતો સવાલ ઉભો થયો છે.

ધંધુકાના પચ્છમ ખાતે એક સગીર બાળકને અન્ય 5 સગીરો દ્વારા દુસ્કર્મ આચરતા ચકચાર મચી.

ધંધુકાના પચ્છમ ગામે રાતના દોઢ વાગ્યે ઊંઘમાંથી જગાડી બે સગીરો દ્વારા પકડી રાખી એક સગીરએ કપડાં કાઢી ભોગ બનનારને ગુપ્ત માર્ગે કાંચની બોટલ નાખવાનો પ્રયાસ કરી દુસ્કર્મ આચાર્યું.

અન્ય બે સગીરોએ એ સેક્સની માંગ કરી નીલગીરીની સોટી વડે બરડા અને હાથ ઉપર ઇજા પહોંચાડી હતી.

ભોગ બનનાર સ્નાન કરી રૂમમાં આવતો હતો તેં વખતે એક સગીરે બિભત્સ માંગણી કરી, ત્યારબાદ બે સગીરો દ્વારા ભોગ બનનારના કપડાં કાધી ગુડામાં ઘોદા માર્યા હતા તેમજ થપ્પડ મારી હતી.

એક સગીરે પોતાના મોબાઈલમાં વિડિઓ ઉતારી ભોગ બનનારની પ્રતિષ્ઠાને હાની પહોંચાડી ઇજા કરી હતી સાથે જ જો કોઈને આ બાબતે જાણ કરશે તો મોબાઈલમાં ઉતારેલ વીડિયો વાયરલ કરવાની ધમકી પણ અપાઈ હતી.

ધંધુકા પોલીસ દ્વારા સમગ્ર ઘટનાના અનુરૂપ પોલીસ ફરિયાદ નોંધી, તાત્કાલિક ધોરણે Dysp મેડમ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી.

શહેરા થી નાડા ગામ તરફનો રસ્તો અઢી વર્ષથી બિસ્માર બનતા વાહન ચાલકો ભારે હેરાન પરેશાન

રસ્તાની કામગીરી એક વર્ષ અગાઉ શરૂ કરવામાં આવ્યા બાદ થોડી ગણી કામગીરી કર્યા બાદ કોઈ કારણસર નવીન રસ્તાની કામગીરી બંધ થઈ જતા વાહન ચાલકો થયા પરેશાન.

40 ગામને જોડતો રસ્તો તૂટી ગયેલ હોવા છતાં મરામત કરવામાં પણ તંત્રનો કોઈ રસ નથી.

કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવ્યા બાદ કયા કારણથી બંધ કરી દેવામાં આવી તેની તપાસ કરવામાં આવે તે જરૂરી…

શહેરા થી નાડા ગામ તરફનો રસ્તો અઢી વર્ષથી બિસ્માર બનતા વાહન ચાલકો ભારે હેરાન પરેશાન થતા સંબંધિત તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો.આ રસ્તો 40 કરતા વધુ ગામોને જોડતો હોવા સાથે ઉબડખાબડ બની જતા વાહન ચાલકો માટે કમ્મરતોડ પુરવાર થઈ રહયો હોવાથી તાત્કાલિક રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી હતી.

   શહેરા થી નાડા ગામ તરફનો 40 ગામને જોડતો ડામર રસ્તો અઢી વર્ષથી અનેક જગ્યાએથી તૂટી જવા સાથે વાહન લઈને નીકળવું પણ મુશ્કેલ બની રહયો છે,આ રસ્તાની કામગીરી એક વર્ષ અગાઉ શરૂ કરવામાં આવ્યા બાદ થોડી ગણી કામગીરી કર્યા બાદ કોઈ કારણસર નવીન રસ્તાની કામગીરી બંધ થઈ જતા પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.  

       રસ્તો 40 કરતા વધુ ગામોને જોડતો હોવા સાથે રસ્તો અતિ બિસ્માર હોવાથી અહી થી પસાર થતા વાહન ચાલકોનો સમય વધારે જવા સાથે વાહનો નું મેન્ટેનિસ પણ વધી જતું હોય તો નવાઈ નહિ, દિવસ અને રાત્રિ દરમિયાન નાના મોટા વાહનો ની અવર જવર રહેતી હોવા સાથે બાઈક જેવા નાના વાહન ચાલકો ને અહી થી પસાર થતી વેળાએ ગણી તકલીફ પડી રહી હતી,રસ્તા પરના મસ મોટા ખાડા ઓ ના કારણે વાહનો ને પણ નુકશાન જતુ હોવાથી વાહન ચાલકો નો આક્રોશ તંત્ર સામે જોવા મળી રહ્યો હોવા છતાં સબંધિત તંત્ર દ્વારા આ રસ્તાની મરામત કરવામાં પણ વિચાર્યું નથી.જ્યારે અનેક ગામોને જોડતો આ રસ્તો બિસ્માર હોવા છતાં ક્યા કારણ થી સબંધિત તંત્ર દ્વારા રસ્તાની કામગીરી શરૂ કરાઈ નથી એવા અનેક સવાલો હાલ વાહન ચાલકો સાથે જાગ્રુત નાગરીકો માંથી ઉઠી રહયા હતા. 

   જ્યારે આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલક રમેશભાઈને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે રસ્તો બહુ જ ખરાબ થઈ ગયો છે અને વાહન લઈને નીકળવું પણ તકલીફ પડે છે, રાજ્યના મુખ્યમંત્રી કે ગૃહ મંત્રી અમિત શાહ સાહેબ આવવાના હોત તો આ રસ્તો તાત્કાલિક તંત્ર દ્વારા નવો બનાવી દેવામાં આવતો પણ અત્યારે આ રસ્તાના કારણે ઘણા બધા ગામના ગ્રામજનોને તકલીફ પડે છે તે કોઈને દેખાતું નથી, જોકે સંબંધિત તંત્ર દ્વારા શહેરા થી નાડા ગામ તરફનો ઉબડખાબડ બનેલ રસ્તાની મરામત કરવામાં કે નવીન બનાવવા માટે શુભ મુહૂર્તની રાહ દેખી રહ્યા હોવાનું લાગી રહયુ છે. આ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવ્યા બાદ કયા કારણથી કોન્ટ્રાક્ટર દ્વારા બંધ કરી દેવામાં આવી તેની તપાસ પણ સંબંધિત તંત્ર ના ઉચ્ચ અધિકારી દ્વારા કરવામાં આવે તે પણ જરૂરી લાગી રહ્યું છે.

મહત્વનું છેકે ખરાબ રસ્તાના કારણે અમુક સમયે અકસ્માતો પણ થતા હોવા સાથે નવીન રસ્તાની કામગીરી શરૂ કરવામાં ન આવતા આગામી દિવસોમાં આ વિસ્તારના જાગૃત ગ્રામજનો ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરનાર છે.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ