મુંબઈ અને દિલ્હીમાં ભવ્ય સફળતા બાદરાજાધિરાજઃ લવ, લાઇફ, લીલા – હવે દુબઈને મંત્રમુગ્ધ કરશે

માર્ચ 10, 2025: મુંબઈ અને દિલ્હીમાં 37 અવિસ્મરણીય હાઉસફૂલ પ્રયોગ બાદ ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિશ્વની પ્રથમ સંગીત મહાનાટિકા, રાજાધિરાજઃ લવ, લાઈફ, લીલા હવે દુબઈમાં 13મીથી 16મી માર્ચ સુધી આઈકોનિક દુબઈ ઓપેરા ખાતે દર્શકોને મંત્રમુગ્ધ કરશે.

શ્રી ધનરાજ નથવાણી દ્વારા સંકલ્પના કરાયેલી અને મૂર્તિમંત સ્વરૂપ અપાયેલી રાજાધિરાજ ભારતની સૌપ્રથમ બ્રોડવે-શૈલીની સંગીત મહાનાટિકા છે, જેણે ભારતીય રંગમંચના સ્વરૂપમાં આમૂલ પરિવર્તન લાવી તેને ભવ્યાતિભવ્ય બનાવ્યું છે. આ ગેમ-ચેન્જિંગ પ્રોડક્શન થકી ભગવાન શ્રી કૃષ્ણની દિવ્યતા અને સોહામણાપણાનું અતુલ્ય શૈલીમાં કલાકારો દ્વારા મંચ પરથી સ્વમુખે ગવાયેલા ગીતો દ્વારા રોમાંચક નાટ્ય નિરૂપણ કરાયું છે.”

આ સંગીત મહાનાટિકાના મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના (એન.એમ.એ.સી.સી.) ગ્રાન્ડ થિએટર તેમજ દિલ્હીના જવાહરલાલ નેહરૂ ઈન્ડોર ઓડિટોરિયમ ખાતેના પ્રયોગોમાં હકડેઠઠ દર્શકો ઉમટી પડ્યા હતા અને ઉપસ્થિત રહેલા સેલિબ્રિટીથી માંડીને સામાન્ય પ્રેક્ષકો તરફથી તેના મોંફાટ વખાણ કરાયા હતા. આના થકી જ તેને એક સાંસ્કૃતિક મહાપ્રસ્તુતિનું બિરૂદ મળ્યું, જેણે આબાલવૃદ્ધ સહુકોઈને મંત્રમુગ્ધ કરીને ભારતના થિએટર ઇતિહાસમાં તેની અમીટ છાપ છોડી હતી. ભારતીય રંગભૂમિના પરિપ્રેક્ષ્યમાં, આજદિન સુધી શ્રી કૃષ્ણના જીવનને આટલા વિશાળ ફલક પર અને ગહન ભાવના દર્શાવી શકે તેવું કોઈ સર્જન થયું જ નથી.

આ સંગીત મહાનાટિકાની ભવ્યતાની અનુભૂતિ માટે દર્શકોને આમંત્રિત કરતા શ્રી ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું કે, “અમારા માટે ‘રાજાધિરાજઃ લવ લાઈફ લીલા’નું સર્જન કરવું એ ભક્તિ અને અંતરતમ લાગણીની સફર રહી છે. મારું તો દૃઢપણે માનવું છે કે, તમામ પેઢીના દર્શકોને એકતાંતણે જોડવા હોય તો સંગીત જ શ્રેષ્ઠ ઉપાય છે અને આ સંગીત મહાનાટિકા દ્વારા અમારો ઉદ્દેશ સાહસ, વિચક્ષણતા અને પ્રેમના વૈશ્વિક મૂલ્યોનો પ્રચાર-પ્રસાર કરવાનો રહ્યો છે. રાજાધિરાજ એક એવી કથા છે જે ભગવાન શ્રી કૃષ્ણના ત્રણ સ્વરૂપોને દર્શાવે છે, જેમાં સૌથી પહેલું છે રમતિયાળ બાળસ્વરૂપ, બીજું છે રાજાધિરાજ દ્વારકાધીશ અને ત્રીજું છે દયાસાગર શ્રીનાથજીનું સ્વરૂપ. અગાઉ કદી જોવા મળ્યું ન હોય તેવા સ્વરૂપમાં આ અનંતકાલીન કથાઓની પ્રસ્તુતિ કરતા હું રોમાંચ અનુભવું છું, કારણ કે તેનાથી પ્રેક્ષકોને એક અવિસ્મરણીય યાત્રાની અનુભૂતિ થાય છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “અમે રાજાધિરાજ- ધ મ્યુઝિકલને દુબઈ લઈ જઈ રહ્યા છીએ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમ અને વિચક્ષણતાના સંદેશને વૈશ્વિક પ્રેક્ષકગણ સમક્ષ રજૂ કરવાનો અમને રોમાંચ છે, જેના થકી આ અતુલ્ય કથાને વૈશ્વિક મંચ પર પ્રસ્તુત કરવાની અમારી યાત્રામાં અમે એક મોટું સીમાચિહ્ન પાર કર્યું છે.”

આ સંગીત મહાનાટિકાનું નિર્માણ ભવ્યાતિભવ્ય સ્તરે કરાયું છે, જેમાં 20 મૌલિક ગીતો, 180થી વધુ કલાકારો અને 60થી વધુ નર્તકો સામેલ છે. આ પ્રસ્તુતિમાં ઉડીને આંખે વળગે તેવી પ્રોડક્શન ડિઝાઈન, મંત્રમુગ્ધ કરી દેનારી કોરિયોગ્રાફી, અને 1,800 ખાસ તૈયાર કરાયેલી ઉચ્ચકોટિની વેશભૂષા સહિતની દરેક વિશેષતાઓ રસતરબોળ કરી દેનારી અનુભૂતિનું સર્જન કરે છે.

રાજાધિરાજ શ્રેષ્ઠતમ કથા પ્રસ્તુતિ, સંગીત અને નાટ્યનો સંગમ છે. પદ્મશ્રી પ્રસૂન જોશી દ્વારા લિખિત, આ સંગીત મહાનાટિકાનું દિગ્દર્શન શ્રુતિ શર્માએ કર્યું છે અને તેમાં સંગીતની સુરાવલીઓ સચિન-જીગરની બેલડીએ રેલાવી છે. આ સંગીત મહાનાટિકાની કોરિયોગ્રાફી બર્ટવિન ડિ’સોઝા અને શમ્પા ગોપીક્રિશ્નાએ કરી છે. જ્યારે ઓમંગ કુમારની શ્વાસ થંભાવી દેનારી સેટ ડિઝાઈને પ્રોડક્શનના સ્તરને ઉન્નત કર્યું છે અને પાર્થિવ ગોહિલ તથા વિરલ રાચ્છે ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે કામગીરી અદા કરી છે. આ ટીમને રામ મોરીના સચોટ કથા સંશોધન તેમજ નીતા લુલ્લાની ભવ્ય કોસ્ચ્યુમ ડિઝાઈન દ્વારા પ્રેરકબળ પ્રાપ્ત થયું છે. અદ્દભુત કથાવર્ણન, ચકાચૌંધ કરી દેનારાં દૃશ્યો અને આત્માના તારને ઝણઝણાવી દેતા જીવંત સંગીત થકી એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ભૂમિ નથવાણી એક અવિસ્મરણીય રંગભૂમિની અનુભૂતિ કરાવે છે.

ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય સ્વરૂપની પ્રસ્તુતિ કરતી આ સંગીત મહાનાટિકા, રાજાધિરાજઃ લવ, લાઈફ, લીલા દ્વારા દર્શકગણને છેક સુધી જકડી રાખશે તે નિશ્ચિત છે. શો માટેની ટિકિટ્સ dubaiopera.com અને Platinumlist પર હવે ઉપલબ્ધ છે.

અસત્ય ઉપર સત્યની જીતને ઉજાગર કરતો પ્રસંગ એટલે હોલિકા દહનજામનગરનો ભોઈસમાજ બનાવે છે વિશ્વની સૌથી ઉંચી હોલિકાનું પૂતળું

જામનગર ખાતે આવનાર તારીખ 13-3-2025 ને ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવાશે વિશ્વનો સૌથી મોટો હોલિકા મહોત્સવ.

શ્રી ભોઈજ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા પ્રતીવર્ષની જેમ આવર્ષ પણ વિશ્વ વિખ્યાત હોલિકા મોહત્સવ 2025 નું ભવ્ય અને દિવ્ય આયોજન થવા જઈ રહીયું છે,જેના કન્વિનર તરીકે ભાર્ગવ અરવિંદભાઈ મહેતા, તેમજ સહ કન્વિનર તેમના મોટા ભાઈ અક્ષય અરવિંદભાઈ મહેતા તેમજ માર્ગે દર્શક પ્રિતેશ પ્રભુલાલ મહેતા ના સમગ્ર ગ્રુપ ને જવાબદારી સોંપવામાં આવી છે.

સનાતન હિન્દુ ધર્મગ્રંથમાં દર્શાવેલ વાર્તા ભક્ત પ્રહલાદ અને હોલિકા ફઈબાની કથા આધારિત પ્રતિકૃતિ સ્વરૂપે શ્રી ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગરના વડીલો દ્વારા આજ થી 69 વર્ષે પહેલાં હોલિકાનું વિશાળ પૂતળું બનાવી સમાજ અને દુનિયાને હિન્દુ ધર્મની શકિતનો પરિચય કરાવ્યો હતો.

એક તરફ ભગવન વિષ્ણુના પરમ ભક્ત પ્રહલાદ જ્યારે બીજી તરફ રાક્ષસી માનસિકતા ધરાવતા ભક્ત પ્રહલાદ ના પિતા હિરણ્ય કશ્યપ અને પ્રહલાદના ફઈબા એટલે કે હોલિકા ફઈબા ભક્ત પ્રહલાદ ને ભગવાન વિષ્ણુની ભક્તિ છોડાવવા અનેક પ્રકારના તર્ક વિતર્ક કરવામાં આવ્યા છે. જેમાંનો એક તર્ક એટલે કે હોલિકા ફઈબા નું દહન અને પ્રહલાદનો આબાદ બચાવ સાથે જ અસત્ય ઉપર સત્યની જીતનો એક યાદગાર પ્રસંગ.

ભોઈસમાજના લોકો હોલિકા ઉત્સવને ઉજવાવ એક મહિના પહેલા થી ત્યારીઓ માં લાગી જાય છે,અને પ્રકૃતિને અનુરૂપ સામગ્રી જેમાં ઘાસ,લાકડું,કોથરા,કાગળ,કલર,આભૂષણ માટે અલગ અલગ પ્રકારના ઓર્નામેટ, કપડાં વગેરે ચીજ વસ્તુનો ઉપયોગ કરી એક વિશાળ હોલિકાનું પૂતળું બનાવે છે જેનું વજન અંદાજીત 3/4 ટન જેટલું હોય છે જ્યારે ઉંચાઈ લગભગ 25 ફુટ જેટલી હોય છે આ વિશાળ પુતળાને લઈ વાજતે ગાજતે ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગરની વાડી થી શુભાષ માર્કેટ નજીક આવેલ હોલિકાચોક ખાતે લોકો ને દર્શન માટે મુકવામાં આવે છે.

હોલિકા બનાવવા ભરતભાઈ ગોંડલીયા માર્ગદર્શન પૂરુંપાડે છે જ્યારે હોલિકાના આભૂષણો બનાવવા શનિભાઈ કુંભારાણા અને તેમની ટીમ જહેમત ઉઠાવે છે.
તેમજ પી.ઓ.પી આર્ટિસ્ટ તરીકે રમેશભાઈ જેઠવા સેવા આપે છે,અને સમગ્ર ભોઈ સમાજના વડીલો અને યુવાનો સાથે મળી આ હોલિકાનું પૂતળું ત્યાર કરે છે.
સાંજના સમયે આમંત્રિત મહેમાનો ના વરદહસ્તે.હોલિકા નું દહન કરવામાં આવે છે.
તારીખ 13-3-2025 ને ગુરુવાર ના રોજ સાંજ ના સમયે હોલિકા નું દહન કરવાં માં આવનારા છે જેને હજારોની સંખ્યામાં લોકો હોલિકા માતા દહન ને નિહાળવા પોહચે છે.અને અસત્ય ઉપર સત્યની જીત ના લોકો સાક્ષી બને છે.
આમ સમગ્ર વિશ્વને સનાતન ધર્મનો સાક્ષાતકાર કરાવતો હોલિકા મહોત્સવ ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા ઉજવવામાં આવે છે

ભારતી આશ્રમના પ.પૂ.મહામંડલેશ્વર 1008 શ્રી મહાદેવભારતી બાપુનું અદકેરૂ સન્માન કરતું જુનાગઢનું ગિરનારી ગ્રુપ.

પ્રયાગરાજ કુંભમેળામાં મુની અમાવસ્યાના અમૃત સ્નાનના દિવસે જે ભક્તગણો ભાગદોડમાં મૃત્યુ પામેલા હતા. એ તમામ મૃતાત્માઓની શાંતિ અર્થે જુનાગઢ ભારતી આશ્રમ ખાતે ગિરનારી ગ્રુપ દ્વારા અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી.


જુનાગઢ ગિરનારી ગ્રુપના સમીરભાઈ દત્તાણી તથા સંજયભાઈ બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, જૂનાગઢના ભવનાથ ખાતે આવેલ ભારતી આશ્રમમાં બ્રહ્મલીન મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 સ્વામીશ્રી વિશ્વંભર ભારતીબાપુની સમાધિ ખાતે ૦૪/૦૨/૨૫ ને મંગળવારના રોજ મહંત શ્રી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 સ્વામી શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજના શિષ્ય શ્રી ભારતી આશ્રમના લઘુમંંત શ્રી મહાદેવ ભારતી બાપુને પ્રયાગરાજ મહાકુંભ ખાતે શ્રી પંચ દશનામ જૂના અખાડામાં મહામંડલેશ્વરના પદની નિયુક્તિ કરવામાં આવેલ હતી. જે બદલ જૂનાગઢનું ગિરનારી ગ્રુપ ખૂબ જ હર્ષ અને ગૌરવની લાગણી સાથે પ.પૂ.મહામંડલેશ્વર 1008 શ્રી મહાદેવભારતી બાપુને સાલ ઓઢાડીને ફુલહાર પહેરાવીને સન્માનિત કરવામાં આવેલ હતા.


આ પ્રસંગે પ.પૂ.મહામંડલેશ્વર 1008 શ્રી મહાદેવ ભારતી બાપુએ પ્રયાગરાજ મહાકુંભના મેળાની પ્રતિકૃતિઓ અંગેનુ વર્ણન કરીને જણાવેલ હતું કે,આ મહાકુંભ મેળામાં ચારેયપીઠના શંકરાચાર્ય, મહારાજશ્રીઓ, જગતગુરુશ્રીઓ,તેરેય અખાડાના આચાર્ય મંડલેશ્વર, મહામંડલેશ્વરો,નાગા સન્યાસીઓ,સનાતન ધર્મના તમામ સંપ્રદાયના સંતો મહંતો સહિત કરોડો ધર્મ પ્રેમી લોકોએ સ્વયંભૂ પધારીને આ કુંભમેળામાં યજ્ઞ,અનુષ્ઠાનો, કથાઓ સહિત ધાર્મિક કાર્યક્રમોનો લાભ લઈને ત્રિવેણી સંગમ સમા ગંગા નદીમાં શાહી સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધેલ હતું.જ્યારે આ મહાકુંભ મેળામાં પધારતા ભક્તગણો માટે ભારતી આશ્રમ દ્વારા સેક્ટર નંબર 16, હર્ષવર્ધન રોડ, મંડલેશ્વરનગર ખાતે ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં રોજના અંદાજિત 1000 થી 1200 જેટલા ભક્તગણો ભોજન પ્રસાદનો લાભ લેતા હતા. જ્યારે કરોડોની જન મેદની વચ્ચે પણ પ્રશાસન દ્વારા ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થાઓ કરવામાં આવી તેમને બિરદાવવામાં આવેલ હતી.


મુની અમાવસ્યાના અમૃત સ્નાનના દિવસે મહાકુંભ મેળામાં અનિવાર્ય સંજોગોનુસાર લોકોમાં જે ભાગદોડ મચી એમાં ઘણા ભક્તગણો મૃત્યુને ભેટ્યા હતા. એ વાતનું ખુબ જ દુઃખ વ્યક્ત કરીને એ તમામ મૃતાત્માઓને ભારતી આશ્રમ ખાતે બે મિનિટનું મૌન પાડીને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી.આ પ્રસંગે ભારતીય આશ્રમના ૧૪૦ વિદ્યાર્થીઓ તથા શ્રી અલ્પેશભાઈ મહેતા,કેતનભાઇ રૂપાપરા,ચેતનભાઇ જાદવ સહિત ગિરનારી ગ્રુપના સભ્યશ્રીઓ શ્રી સમીરભાઈ દવે, કિર્તીભાઈ પોપટ,દિલીપભાઈ દેવાણી, સમીરભાઈ ઉનડકટ,સુધીરભાઈ રાજા, ચિરાગભાઈ કોરડે,જીતુભાઈ સોલેરા, સુધીરભાઈ અઢિયા,વત્સલભાઈ કારીયા, વેદભાઈ બારૈયા,સંદીપભાઈ ધોરડા, કશ્યપભાઈ દવે સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમ યાદીના અંતે જણાવેલ હતું.

મોરબી મહાનગરપાલિકા દ્વારા ડે.એન.યુ.એલ.એમ. ટીમ સાથે આશ્રય ગૃહ માટે નાઈટ ડ્રાઇવ યોજવામાં આવી

 મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ, રેલવે સ્ટેશન રોડ, મોરબી શહેર ખાતે ઘર વિહોણા અને નિરાધાર લોકોને નિ:શુલ્ક રહેવા, જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓનું મોરબી મહાનગરપાલિકા દ્વારા સંચાલન કરવામાં આવે છે. જેમાં રાજ્ય સરકારશ્રી તરફથી મળતી મદદ અને વિવિધ દાતાશ્રીઓના સહયોગથી મોરબી મહાનગરપાલિકા દ્વારા નિમણુંક થયેલ શ્રી સિધ્ધિ ખાદી ગ્રામોદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલન કરવામાં આવે છે.

          ગત તારીખ ૦૫/૦૨/૨૦૨૫ ના રોજ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરશ્રી સ્વપ્નિલ ખરે તથા નાયબ કમિશનરશ્રી કુલદીપસિંહ વાળાની આગેવાની હેઠળ કોર્પોરેશન ટીમના સિનિયર પ્રતિનિધિઓ સાથે સંચાલક સંસ્થાના પ્રતિનિધિઓ સહિત સ્થાનિક વિસ્તારોના ઘર-વિહોણા લોકોની સ્થળ પર મુલાકાત કરીને તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તેમજ તેમને આશ્રય ગૃહનો લાભ લેવા પ્રેરિત કરવાની ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

          મોરબી શહેરના જુદા-જુદા જાહેર માર્ગો અને ફૂટપાથ પર રાત્રિ દરમ્યાન આશ્રય લઈ રહેલા લોકોને તાત્કાલિક સમજાવટ દ્વારા સંસ્થાના વાહન મારફતે આશ્રયગૃહ ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા અને હવે પછી જાહેરમાં રસ્તા પર સુવાને બદલે આશ્રયગૃહનો લાભ લેવા અંગે તેઓને સહમત કર્યા હતા. ઉપરોક્ત ડ્રાઇવ દ્વારા ૩૯ ઘર વિહોણા લોકોને પોતાના પરિવાર સાથે આશ્રય ગૃહ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા.

            ઉલ્લેખનીય છે કે, સંસ્થાના સંચાલકશ્રી દ્વારા નિયમિત રીતે આ પ્રકારની નાઈટ ડ્રાઇવ દ્વારા લાભાર્થીઓને સમજાવીને સંસ્થાના વાહન મારફતે આશ્રયગૃહ ખાતે પહોંચાડવામાં આવે છે. મોરબી મહાનગરપાલિકા તંત્ર દ્વારા આશ્રયગૃહમાં મહતમ ઘર વિહોણા વ્યક્તિઓ લાભાન્વિત બને, સમાજમાં તેમના પ્રત્યે લાગણી વધે, તેમના પ્રત્યે હકારાત્મક વલણ બને અને તેમને જરૂરી સહારો મળે તે માટે તમામ મોરબી નગરવાસીઓના પ્રયાસ આવકાર્ય છે. તેમ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી સ્વપ્નિલ ખરે, મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જીલ્લા કલેકટર અરવિંદ વિજયનની રાજ્ય કક્ષાએ બેસ્ટ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પસંદગી

રાષ્ટ્રીય મતદાતા મહોત્સવ- ૨૦૨૫ અંતર્ગત રાજ્યપાલના હસ્તે ૨૫ મી જાન્યુઆરીએ સન્માનિત કરવામાં આવશે

પાટણ જિલ્લા કલેકટરશના સન્માનથી જિલ્લા વહીવટીતંત્ર “ટીમ પાટણ” માં આનંદ છવાયો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આગામી ૨૫ મી જાન્યુઆરીના રોજ સવારે ૧૧ કલાકે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, અટાલિકા એવન્યુ, નોલેજ કોરીડોર, કોબા, પી.ડી.પી.યુ. રોડ, ગાંધીનગર ખાતે ૧૫મો રાષ્ટ્રીય મતદાતા મહોત્સવ- ૨૦૨૫ યોજાનાર છે. જેમાં રાજ્ય કક્ષાએ બેસ્ટ જિલ્લા ચૂંટણી અધિકારીની તરીકે પાટણ જિલ્લા કલેકટર અરવિંદ વિજયન પસંદગી પામ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે આ એવોર્ડ કલેકટર અરવિંદ વિજયનને અર્પણ કરવામાં આવશે. રાજ્ય કક્ષાએ પાટણ જિલ્લા કલેકટરના સન્માનથી જિલ્લા વહીવટીતંત્ર “ટીમ પાટણ” માં આનંદ નો માહોલ છવાઇ જવા પામ્યો છે.

રાષ્ટ્રીય મતદાતા મહોત્સવ- ૨૦૨૫ અંતર્ગત બેસ્ટ ઈલેક્ટોરલ પ્રેક્ટીસીસ એવોર્ડ – ૨૦૨૪ અન્વયે જુદી-જુદી કેટેગરીઓમાં રાજ્યના તમામ જિલ્લા તરફથી નોમિનેશન મોકલવામાં આવ્યાં હતાં. રાજ્યકક્ષાની એવોર્ડ સિલેક્શન કમિટી દ્વારા સર્વે જિલ્લાઓ તરફથી મળેલ નોમિનેશન પૈકી રાજ્ય કક્ષાએ બેસ્ટ જિલ્લા ચૂંટણી અધિકારીની કેટેગરીમાં પાટણ જિલ્લા કલેકટર અરવિંદ વિજયન ની પસંદગી કરવામાં આવેલ છે.

જિલ્લા કલેકટર અરવિંદ વિજયને આ બદલ એવોર્ડ સંદર્ભે ખુશી સાથે જણાવતાં આ એવોર્ડ જિલ્લા વહીવટી તંત્રની સમગ્ર “ટીમ પાટણ” ને અર્પણ કર્યો હતો. ૨૫ જાન્યુઆરી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. જે અંતર્ગત દેશભરમાં મતદાન જાગૃતિ અંગેના વિશેષ કાર્યક્રમો યોજવામાં આવે છે.

દરેડ જી.આઇ.ડી.સી ફેસ-૦૨ મા ’’હિન્દુસ્તાન બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ’’

દરેડ જી.આઇ.ડી.સી ફેસ-૦૨ મા ’’હિન્દુસ્તાન બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ’’ કારખાનામા થયેલ બ્રાસ ચોરીનો ભેદ ઉકેલતી -જામનગર-એલ.સી.બી. ગત તા.૨૨/૦૧/૨૦૨૫ રાત્રીના સમયે ફરીયાદીશ્રી નિતિનભાઇ દામજીભાઇ રાબડીયા રહે. જામનગર પાર્ક શેરી-૭ વાળા ના દરેડ જી.આઇ.ડી.સી ફેસ-૦૨ મા આવેલ ’’હિન્દુસ્તાન બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ’’ ના કારખાના તથા ઓફિસમા શટ્ટરના તાળા તોડી અંદરથી પિતળનો (બ્રાસ) આશરે ૬૦૦ કિલો,રોકડ રૂપીયા તથા સી.સી.ટી.વી.નુ ડી.વી.આર. મળી કુલ રૂપીયા ૩,૫૫,૫૦૦/ ની ચોરીનો બનાવ વણશોધાયેલ હતો, શ્રી પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ, શ્રી અશોકકુમાર સાહેબ (IPS) નાઓએ જામનગર જીલ્લાના વણ શોધાયેલ ગુન્હા શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અઘિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ (IPS) નાઓએ વણશોધાયેલ ગુન્હા શોધી કાઢવા સુચના કરેલ હોય, જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. શ્રી.વી.એમ. લગારીયા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા પો.સ.ઇ.શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો દરેડ જી.આઇ.ડી.સી વિસ્તારમાં વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.દરમ્યાન એલ.સી.બી.ના દિલીપભાઈ તલાવડીયા, અરજણભાઇ કોડીયાતર, હિતેન્દ્રસિંહ જાડેજા, તથા રૂષિરાજસિંહ વાળા ને સંયુકત બાતમી રાહે હકિકત મળેલ કે, સદરહુ બ્રાસ ચોરીમા કેવીનભાઇ વિજયભાઇ સંધાણી, જીવણભાઇ હિરાભાઇ ભરવાડ તથા પુનાભાઇ સેજાભાઇ ભરવાડ રહે.ત્રણેય હડમતીયા તા.જી.જામનગર વાળા ઓની સંડોવાયેલ હોવાની બાતમી મળેલ હોય જે બાતમી આધારે મજકુર ત્રણેયને દરેડ જુના આશાપુરા મંદિર પાસે નીલગીરી વિસ્તાર પાસેની અવાવરૂ જગ્યામા રાખેલ બ્રાસનો માલ સગેવગે કરવાની એકઠા થયેલ હોવાની બાતમી આઘારે મજકુર ત્રણેયને પકડી પાડી મજકુર ઇસમના કબ્જા માથી ચોરીનો નીચે મુજબનો મુદામલ કબ્જે કરી,મજકુર વિરૂધ્ધ પો.સબ ઇન્સ શ્રી સી.એમ.કાંટેલીયા નાઓ એ કાયદેસર ની કાર્યવાહી કરી પંચ બી ડીવી પોલીસ સ્ટેશનમા સોપી આપેલ છે પકડાયેલ આરોપીઃ- ૧) કેવીનભાઇ વિજયભાઇ સંધાણી ઉવ.૨૯ રહે. હડમતીયા (મતવા) તા.જી.જામનગર ર) જીવણભાઇ હિરાભાઇ ઘાવતર ઉ.વ.૨૩ રહે. હડમતીયા (મતવા) તા.જી.જામનગર ૩) પુનાભાઇ સેજાભાઇ ઘાવતર ઉ.વ.૨૨ રહે.હડમતીયા (મતવા) તા.જી.જામનગરડીટેકટ થયેલ ગુન્હો જામનગર પંચ બી ડીવી પો.સ્ટે. ગુરનં-૧૧૨૦૨૦૪૬૨૫૦૦૮૦/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૩૧(૩),૩૩૧(૪),૩૦૫(એ) કબ્જે કરેલ મુદામાલઃ- ૧) બ્રાસનો તૈયાર માલ તથા બ્રાસનો છોલ કિલો- ૫૦૯ કિ.રૂ ૨,૭૦,૫૭૫/-ર) રોકડ રૂપીયા ૨૨,૦૦૦/- ૩) મો.સા- ૩૦,૦૦૦/- ૪) ગ્રાઇન્ડર મશીન-૧ કિ.રૂ ૨,૦૦૦/- કુલ મુદામાલ કિ.રૂ ૩,૨૪,૫૭૫/- એમ.ઓઃ- મજકુર આરોપીઓએ ગ્રાઇન્ડર મશીન વડે કારખાના શટ્ટર તથા ઓફિસ ના શટ્ટરના તાળા કાપી અંદર પ્રવેશી ચોરીને અંજામ આપેલ છે. આ કાર્યવાહી પો.ઇન્‍સ.શ્રી વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.શ્રી સી.એમ.કાંટેલીયા , તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્‍ટાફના, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલાવડીયા,હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ એસ.જાડેજા, કિશોરભાઇ પરમાર, મયુરસિંહ પરમાર, ધમેન્દ્રસિંહ એન જાડેજા, ઘનશ્યામભાઇ ડેરવાડીયા,ભરતભાઇ ડાંગર,સુમીતભાઇ, સુરેશભાઇ માલકિયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ એમ. જાડેજા વિગેરે દ્રારા કરવામા આવેલ.

સુરેન્દ્રનગર જિલ્લાના કોટડા ગામના રોહિતભાઈ જીડીયા તમિલનાડુ નૌ સેનામાં ફરજ બજાવતાં વીર જવાન

સુરેન્દ્રનગર જિલ્લાના કોટડા ગામના રોહિતભાઈ જીડીયા તમિલનાડુ નૌ સેનામાં ફરજ બજાવતાં વીર જવાન શહીદ થતા ગામમાં શોકનો માહોલ

હાલ કોટડા ગામના 7 જેટલા જવાનો નૌસેના, ભૂમિદળ, BSF, સહિતની દેશ માટે સેવાઓ આપી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં થોડા વર્ષોમાં યુવાનો ફોજની નોકરી કરતા દેશ સેવામાં મોટા પ્રમાણમાં જોડાઇ રહ્યા છે. ત્યારે ત્રણ વર્ષ પહેલા ભારતીય નૌ સેનામાં જોડાયેલા કોટડા ગામના યુવાન રોહિતભાઇ જીડિયા કે જેઓ હાલ તમિલનાડુ ખાતે નેવલ બેઝ પર INS કટ્ટાબોમન પર ફરજ બજાવતા હતા. જેઓનું ફરજ દરમિયાન જવાનનું આકસ્મિક અવસાન થયાની જાણ થતાં પરિવાર સાથે સમગ્ર ગામમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. યુવાન રોહિતભાઈ જીડીયાના નશ્વર દેહને લઇ નૌ સેનાના જવાનો સાયલા પહોંચ્યા હતા. ત્યાંથી લઈ તેમના ગામ કોટડા સુધી સેંકડો લોકો બાઇક, કાર લઇને જોડાયા હતા. શહીદ યુવાનને વિરાંજલી આપવા માટે રૂટ પરના ગામોમાં શાળાના બાળકો, ગ્રામજનો ઠેર ઠેર પુષ્પ લઈને ઊભા રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કોટડા ગામે યુવાનના ઘરે તેમજ અંતિમ ધામે સેનાના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું તેમજ સાયલા – ધજાળા પોલીસના અધિકારીઓ, સેનાના નિવૃત જવાનો તેમજ પરિવારજનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી. શહીદ થયેલા જવાન રોહિતભાઇના નશ્વર દેહને ઘરે લાવવા સમયે હૃદયથી ભાંગી પડેલા માતા પિતા તેમજ ખાસ કરીને તેમના સગર્ભા પત્ની સહિતના લોકોના હૈયાફટ રુદનથી હાજર લોકોની આંખો પણ ભીની થઇ જવા પામી હતી. અંતિમ સંસ્કાર સમયે વંદેમાતરમ, ભારત માતા કી જય અને રોહિતભાઇ અમર રહોના નારા સાથે શહીદને અંતિમ વિદાય આપવા વખતે વાતાવરણ ગમગીન બની ગયું હતું.

શહીદ યુવાન ત્રણ ભાઈઓમાં સહુથી મોટા હતા

યુવાન રોહિતભાઇ તેમના પરિવારમાં ત્રણ ભાઈઓમાંથી મોટા હતા તેમજ દોઢ માસ પહેલા જ તેઓ રજા પર વતનમાં આવ્યા હોવાનું કુંટુંબી સ્વજન અને રાજકીય સામાજિક આગેવાન નાગરભાઇ જીડીયાએ જણાવ્યું હતું. આશાસ્પદ યુવાનના આકસ્મિક મોતથી સહુથી મોટો આઘાત તેમના સગર્ભા પત્નીને લાગ્યો હતો. ત્યારે પોતાના સંતાનનાં અવતરણ પહેલા જ પિતાનું અવસાન થતા પરિવાર શોકમગ્ન બની ગયો હતો.

અધિકારીઓ, આગેવાનોએ શહીદને શ્રદ્ધાંજલિ અર્પી

શહીદ રોહિતભાઇ મશરુંભાઇ જીડિયાની અંતિમ યાત્રા સમયે તેમને પોલીસ અધિકારીઓ, રાજકીય, સામાજિક આગેવાનો, નિવૃત્ત સૈન્ય જવાનો, મામલતદાર સહિતના અગ્રગણ્ય લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

સાયલા પંથકના યુવાનોમાં સેના પ્રત્યે રુચિ વધી રહી છે

ઝાલાવાડના સાયલા તાલુકામાં આવેલ ગામોમાંથી યુવાનો તેમજ યુવતીઓમાં શિક્ષણ સાથે સૈન્ય તથા પોલીસમાં ભરતી થઈ દેશ સેવા કરવા માટેની રુચિ વધી રહી છે. ત્યારે શહીદ યુવાનના વતન કોટડા ગામના સાત જેટલા યુવાનો હાલ નૌસેના, ભૂમિદળ તેમજ બીએસએફ સહિતમાં સેવાઓ આપી રહ્યા છે.