નવા નાગના–વિભાપરમાં ‘મૃત પશુઓનું નરક’: ૧૨ હજાર લોકોના શ્વાસ પર સંકટ, મનપા સામે અંતિમ આક્રોશ.
જામનગર શહેરના નવા નાગના, જૂના નાગના અને વિભાપર ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી એક એવો પ્રશ્ન વિકરાળ રૂપ ધારણ કરી રહ્યો છે કે, જે હવે માત્ર ફરિયાદ નથી રહ્યો પરંતુ માનવ આરોગ્ય, પર્યાવરણ અને માનવ અધિકારો સાથે જોડાયેલો ગંભીર જાહેર હિતનો મુદ્દો બની ગયો છે. વર્ષ ૨૦૨૨થી શરૂ થયેલી રજૂઆતો, અરજીઓ અને મૌખિક ફરિયાદોને સતત અવગણવામાં…