આજથી હોળાષ્ટક શરૂ : ૮ દિવસ માંગલિક કાર્યો પર બ્રેક, છ રાશિના જાતકો માટે ખાસ સાવચેતીની સલાહ.
ફાગણ માસના આગમન સાથે જ હોળી અને ધુળેટીના રંગોત્સવની આતુરતા વધી ગઈ છે, પરંતુ શાસ્ત્રીય પરંપરા મુજબ હોળી પહેલાં આવતા આઠ દિવસને ‘હોળાષ્ટક’ તરીકે ઓળખવામાં આવે છે અને આ સમયગાળા દરમિયાન માંગલિક કાર્યો ટાળવાની સલાહ આપવામાં આવે છે. આ વર્ષે હોળાષ્ટકનો પ્રારંભ ૨૪ ફેબ્રુઆરી, મંગળવારથી થયો છે અને તે ફાગણ સુદ પૂનમ સુધી ચાલુ રહેશે….