જામનગરમાં ટ્રાફિક વ્યવસ્થાનો કડક અમલ જુલેલાલ મંદિરથી ત્રણ બત્તી સર્કલ સુધી દબાણ હટાવતાં પોલીસ-એસ્ટેટ વિભાગની સંયુક્ત કામગીરી.
જામનગર શહેરના વ્યસ્ત વેપારી અને ધાર્મિક વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ બનાવવા માટે પોલીસ વિભાગ અને મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે સંયુક્ત રીતે વિશેષ ડ્રાઇવ હાથ ધરી હતી. જુલેલાલ મંદિરથી લઈ ત્રણ બત્તી સર્કલ સુધીના માર્ગ પર ગેરકાયદેસર રીતે ઉભી કરાયેલી ગાડીઓ, રોડ પરના દબાણો અને ફૂટપાથ પરના અસ્થાયી કબજો દૂર કરાતા સમગ્ર વિસ્તારમાં રાહતનો માહોલ સર્જાયો હતો….