ધારેશ્વર મહાદેવની છત્રછાયા હેઠળ ભક્તિનો મહામેળો સુલતાનપુરમાં ગોપી મંડળની આગેવાનીમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી, રવેડી–ભજન–કીર્તનથી ગામ બન્યું ભક્તિમય.
મહાશિવરાત્રીના પાવન અવસરે સુલતાનપુર ગામમાં ધાર્મિક શ્રદ્ધા, સંસ્કૃતિ અને એકતાનું અનોખું દૃશ્ય સર્જાયું. ગામના પ્રાચીન અને લોકઆસ્થાના કેન્દ્ર એવા ધારેશ્વર મહાદેવ મંદિર ખાતે ગોપી મંડળની આગેવાનીમાં ભવ્ય રવેડી, ભજન–કીર્તન અને પ્રસાદ વિતરણના કાર્યક્રમો યોજાઈ ભક્તિનો મહામેળો સર્જાયો. સમગ્ર ગામ શિવમય બની ગયું હતું અને દરેક વયના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. 🚩 ભવ્ય રવેડી સાથે મહાશિવરાત્રીનો…