17 વર્ષ સુધી ચાલતી રહી ‘શેર ઠગાઈ’: જામનગરના ઓર્થોપેડિક ડોક્ટર સાથે ₹41.86 લાખનો વિશ્વાસઘાત.
જામનગર:શહેરના જાણીતા ઓર્થોપેડિક સર્જન સાથે થયેલી લાખો રૂપિયાની શેર માર્કેટ ઠગાઈનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અંબર ચાર રસ્તા નજીક હાડકાંની હોસ્પિટલ ચલાવતા ડો. કિશોર સાજનમલ મહેશ્વરીએ સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મુંબઈના શેરદલાલો અને બ્રોકર કંપનીઓએ તેમની સાથે રૂ. 41.86 લાખની છેતરપિંડી કરી છે. વિશ્વાસ પર આધારિત રોકાણની આ…