શહેરામાં શ્વાનનો આતંક: તંત્ર ક્યાં સુધી મૂકપ્રેક્ષક બની રહેશે?
પંચમહાલના શહેરામાં ભરચક ગણાતા મેઈન બજાર તેમજ આસપાસના વિસ્તારોમાં અચાનક કેટલાક શ્વાનો હિંસક બન્યા હતા. રસ્તા પરથી પસાર થતા નિર્દોષ રાહદારીઓ પર શ્વાનો તૂટી પડ્યા હતા. એક જ દિવસમાં અલગ-અલગ સ્થળોએ રમેશભાઈ પરમાર સહિત કુલ 6 લોકોને શ્વાનોએ બચકા ભરી ઈજાગ્રસ્ત કર્યા હતા.શ્વાન કરડવાના બનાવ બાદ ઘવાયેલા તમામ લોકોને તાત્કાલિક અસરથી શહેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં…