ભાણવડમાં વિકાસના નામે ગોબાચારી? વેરાડ ગેટથી નગરપાલિકા સુધીના રોડ કામમાં ગુણવત્તા પર ઉઠ્યા ગંભીર સવાલો.
ભાણવડ શહેરમાં છેલ્લા કેટલાંક સમયથી વેરાડ ગેટ બહાર દેવાયત બાપાની પ્રતીમાથી લઈ નગરપાલિકા કચેરી સુધીનો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હતો. આ માર્ગ શહેરના સૌથી વ્યસ્ત માર્ગોમાંનો એક ગણાય છે, જ્યાં દિવસ-રાત વાહનવ્યવહાર ધમધમતો રહે છે. એસ.ટી. બસોથી લઈને નાના વાહનો સુધીના વાહનચાલકો માટે આ માર્ગ પર મુસાફરી કરવી એક પડકાર બની ગઈ હતી. ખાડા,…