રાજકોટમાં નાથુરામ ગોડ્સે આધારિત નાટકને લઈને વિવાદ: હેમુ ગઢવી હોલમાં યોજાનારા શો સામે કોંગ્રેસના તીવ્ર આક્ષેપો
રાજકોટ શહેરના હેમુ ગઢવી નાટ્યગૃહમાં મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડ્સેના જીવન પર આધારિત નાટકના શોનું આયોજન કરવામાં આવતાં રાજકીય અને સામાજિક માહોલ ગરમાયો છે. આ નાટકને લઈને ગુજરાત કોંગ્રેસે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે નાટકના માધ્યમથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારાને હીરો બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે દેશની એકતા, અહિંસા અને…