સોમનાથ : પૃથ્વીના તેજપૂંજ સમાન ‘કૈલાસ મહામેરૂ પ્રાસાદ’.
સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનથી અવિરત આસ્થાનું મહાતીર્થ પ્રભાસ પાટણ | વિશેષ ઐતિહાસિક-સાંસ્કૃતિક રિપોર્ટ “સોમનાથ માત્ર દેવાલય નથી, તે પ્રભાસક્ષેત્ર છે” — સ્કંદપુરાણના પ્રભાસખંડમાં ઉલ્લેખાયેલું આ વાક્ય સોમનાથના મહાત્મ્યને એક વાક્યમાં સમાવી લે છે. જંબુદ્વીપના નવ ખંડોમાં ભારતવર્ષ અને ભારતવર્ષના નવમા ભાગ સમાન સૌરાષ્ટ્રનું હૃદય એટલે પ્રભાસ. આ પવિત્ર ભૂમિ પર…