ઉપલેટાના ભાયાવદરમાં વ્યાજખોરીનો કાળો ખેલ: ૯૦ હજારના કર્જ સામે ૨૫ લાખનું સોનું ઓળવી લેવાનો આરોપ, પોલીસમાં ફરિયાદ નોંધાઈ.
રાજકોટ / ઉપલેટા:રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામમાં વ્યાજખોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વૃદ્ધ વેપારી પાસેથી માત્ર ૯૦ હજાર રૂપિયાની ઉધારીના બદલામાં લાખો રૂપિયાના સોનાના દાગીના ઓળવી લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ૬૬ વર્ષીય વેપારી રતીલાલ હીરાભાઈ પરમારે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ગુનો…