અંબાજી મંદિર ટ્રસ્ટનો મહત્વનો નિર્ણય: હવે શિખર પર 5 મીટરથી લાંબી ધજા નહીં, 1 જાન્યુઆરી 2026થી નવા નિયમો અમલમાં
અંબાજી:વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ શ્રી અંબાજી માતાજીના મંદિરમાં દર્શન માટે દર વર્ષે લાખો માઈભક્તો ઉમટી પડે છે. ભક્તોની આસ્થા સાથે સાથે મંદિરની ઐતિહાસિક અને આધ્યાત્મિક ધરોહરને જાળવી રાખવા માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મંદિરના સુવર્ણ શિખર અને ભક્તોની સલામતીને ધ્યાનમાં રાખીને હવે મંદિરના શિખર પર વધુમાં વધુ 5 મીટર લંબાઈની…