વિજ્ઞાનના આકાશમાંથી જાદુની દુનિયામાં : એરોનોટિકલ એન્જિનિયર પુત્રે સાચવ્યો પિતાનો અને ભારતની લુપ્ત થતી જાદુકળાનો વારસો
ભારત એટલે કળા, સંસ્કૃતિ અને પરંપરાઓનું વૈવિધ્યપૂર્ણ ભંડાર. એક સમય એવો હતો જ્યારે ભારતને વિશ્વભરમાં ‘જાદુગરોનો દેશ’ તરીકે ઓળખવામાં આવતું હતું. આપણા દેશમાં પ્રાચીનકાળથી જ ૬૪ કળાઓનું અસ્તિત્વ રહ્યું છે, જેમાંથી એક મહત્ત્વની કળા એટલે જાદુકળા. પરંતુ સમય બદલાયો, મનોરંજનના માધ્યમો બદલાયા અને ટેકનોલોજીની ઝડપી દોડમાં આ પરંપરાગત કળા આજે લુપ્ત થવાના આરે આવી પહોંચી…