4 વર્ષ બાદ સૌરાષ્ટ્રની ધરતી પર અશ્વ વૈભવનું પુનરાગમન: વાંકાનેરમાં 17મો કામા અશ્વ શો, 280 ઘોડાની હણહણાટી સાથે દિલધડક સ્પર્ધાઓ
26થી 28 ડિસેમ્બર સુધી ત્રણ દિવસ વાંકાનેર બનશે કાઠિયાવાડી અશ્વ સંસ્કૃતિનું કેન્દ્ર, હજારો લોકો માણશે ભવ્ય અશ્વ મહોત્સવ સૌરાષ્ટ્રની ધરતી અને કાઠિયાવાડી અશ્વ – બંને એકબીજાના પર્યાય સમાન છે. શૂરવીરતા, ગૌરવ, રાજવી પરંપરા અને સંસ્કૃતિ સાથે વણાયેલા કાઠિયાવાડી અશ્વો ફરી એકવાર સૌરાષ્ટ્રના આંગણે પોતાની હણહણાટીથી માહોલ ગુંજાવા જઈ રહ્યા છે. ચાર વર્ષના લાંબા વિરામ બાદ…