કાંદિવલી મહાવીરનગરમાં શ્રી ગોવર્ધનનાથજીની હવેલીનો ભવ્ય ૧૧મો પાટોત્સવ : ૧૦૮ લોટીજી, ગિરિરાજ ઝાંખી અને છપ્પનભોગના મનોરથથી વૈષ્ણવ ભક્તિનો મહામેળો.
મુંબઈના કાંદિવલી વેસ્ટ સ્થિત મહાવીરનગર વિસ્તારમાં આવેલી પવિત્ર શ્રી ગોવર્ધનનાથજીની હવેલીમાં આ વર્ષે ભવ્ય અને આધ્યાત્મિક માહોલ વચ્ચે ૧૧મો પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો. હવેલીની સ્થાપનાને દસ વર્ષ પૂર્ણ થતા આ પાટોત્સવને વિશેષ ભક્તિભાવ, મનોરથો અને વૈષ્ણવ પરંપરાની સમૃદ્ધિ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ પાટોત્સવ ગોસ્વામી ૧૦૮ શ્રી શિશિરકુમારજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આયોજિત કરવામાં…