બરડા પંથકની આસ્થાનું પ્રતિક: ચંદ્રગ્રહણને કારણે કાનમેરા હોળીનું મુહૂર્ત બદલાયું પાંડવકાળીન પરંપરા સાથે જોડાયેલ તળેટી પર આજે સાંજે ભવ્ય હોળી પ્રગટશે.
બરડા ડુંગરની ઊંચી પર્વતમાળાની વચ્ચે આવેલ કાનમેરા તળેટી પર દર વર્ષે ઉજવાતી પરંપરાગત કાનમેરા હોળી આ વખતે ચંદ્રગ્રહણને કારણે એક દિવસ પૂર્વે ઉજવવામાં આવશે. વિક્રમ સંવત ૨૦૮૨ના ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી રાણપર યુવક મંડળ દ્વારા આયોજનમાં ફેરફાર કરીને ફાગણ સુદ ચૌદશ, તા. ૨ માર્ચ ૨૦૨૬, સોમવારના સાંજે ૬:૩૦ વાગ્યે હોળી પ્રગટાવવાનો નિર્ણય લેવાયો…