‘જય બાબા કેદાર’ના ગુંજતા નાદ વચ્ચે ખૂલ્યા કેદારનાથ મંદિરના પવિત્ર કપાટ – ૫૧ ક્વિન્ટલ ફૂલોથી ભવ્ય શણગાર, આધ્યાત્મિક ઉલ્લાસ સાથે નિયમોની કડક અમલવારી.
હિમાલયની ગોદમાં વસેલું પવિત્ર ધામ કેદારનાથ મંદિર આજે ફરી એકવાર લાખો શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાયું છે. શિયાળાના લગભગ છ મહિનાના લાંબા વિરામ બાદ, પરંપરાગત વિધિ-વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે મંદિરના કપાટ ખૂલતા સમગ્ર કેદારપુરી ‘જય બાબા કેદાર’ અને ‘હર હર મહાદેવ’ના ગુંજતા નાદથી ધ્રુજારી ઉઠી. આ પવિત્ર ક્ષણને સાક્ષી બનવા દેશ-વિદેશથી આવેલા હજારો ભક્તો ભાવવિભોર…