૧૦૦ વર્ષ જૂના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરને ડિમોલિશનની તલવાર: આસ્થા સામે વિકાસ? ચિંચપોકલીમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ.
મુંબઈના ચિંચપોકલી-વેસ્ટ વિસ્તારમાં આવેલા આર્થર રોડ નાકા નજીક મહાનગરપાલિકાના કર્મચારીઓની વસાહત પાસે સ્થિત ૧૦૦ વર્ષ જૂના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરને ડિમોલિશ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી ફાઇનલ નોટિસને લઈને સ્થાનિક રહેવાસીઓ અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. મંદિરને બચાવવા માટે લોકો જાનના જોખમે ઝઝૂમવાની ચેતવણી આપી રહ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ…