રાધનપુર કોંગ્રેસમાં સંગઠનાત્મક ભૂકંપઃ સાંતલપુર પ્રમુખની વરણી બાદ ૧૦૦થી વધુ કાર્યકરોના રાજીનામા, ચૂંટણી પૂર્વે પક્ષ માટે મોટો ઝટકો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રાક્ત્યે રાધનપુર વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસ સંગઠનમાં મોટો ભડકો સામે આવ્યો છે. સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પરબતભાઈ આહીરની વરણી બાદ નારાજગી ઉગ્ર બની ગઈ છે અને ૧૦૦થી વધુ કાર્યકર્તાઓએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યાનો દાવો કરવામાં આવ્યો છે. તાલુકા, શહેર અને નગરપાલિકા સ્તરના અગ્રણીઓએ એકસાથે પદ અને પક્ષ છોડતાં સંગઠનની આંતરિક એકતા…