અધર્મ ઉપર ધર્મની જીતનો વિશ્વવિખ્યાત ઉત્સવ: જામનગરમાં ભોઈ સમાજ બનાવશે ૨૫ ફૂટથી ઊંચું હોલિકાનું ભવ્ય પૂતળું.
જામનગર શહેરમાં દર વર્ષે ફાગણ સુદ પૂનમના પવિત્ર દિવસે ઉજવાતો હોલિકા મહોત્સવ આ વખતે પણ ભવ્ય અને દિવ્ય સ્વરૂપે ઉજવાવાનો છે. આગામી તા. ૦૨-૦૩-૨૦૨૬ના રોજ યોજાનાર આ હોલિકા દહન મહોત્સવને વિશ્વના સૌથી ઊંચા હોલિકા પૂતળા તરીકે ઓળખ આપવામાં આવે છે. ભોઈજ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા આયોજિત આ ઉત્સવ માત્ર ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ સનાતન ધર્મની શક્તિ,…